AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: કોરોનામાં નોકરી ગઈ તો ઘરમાં જ શરૂ કરી માઈક્રોગ્રીન્સની ખેતી, સરકારથી મળી સહાય તો કમાણી પણ સારી થઈ

કોરોના મહામારી (Corona Pandemic)દરમિયાન તેમણે નોકરી ગુમાવી દીધી હતી. જો કે, તેણે જીવન પ્રત્યેની આશા છોડી ન હતી અને નવા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન તેઓ પુસા (PUSA)સંસ્થાના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ. જ્ઞાન પ્રકાશ મિશ્રાને મળ્યા.

Success Story: કોરોનામાં નોકરી ગઈ તો ઘરમાં જ શરૂ કરી માઈક્રોગ્રીન્સની ખેતી, સરકારથી મળી સહાય તો કમાણી પણ સારી થઈ
Mayank Chaturvedi is earning better by cultivating microgreensImage Credit source: DD Kisan Video Grab
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:57 AM
Share

દિલ્હીના રહેવાસી મયંક ચતુર્વેદી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ સારી નોકરી કરી રહ્યા હતા, પરંતુ કોરોના મહામારી (Corona Pandemic)દરમિયાન તેમણે નોકરી ગુમાવી દીધી હતી. જો કે, તેણે જીવન પ્રત્યેની આશા છોડી ન હતી અને નવા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન તેઓ પુસા (PUSA)સંસ્થાના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ. જ્ઞાન પ્રકાશ મિશ્રાને મળ્યા. તેમણે મયંકને એક સરસ વિકલ્પ સૂચવ્યો. ત્યારે તેઓએ માઇક્રોગ્રીન્સની ખેતી (Farming)કરવાનું શરૂ કર્યું છે અને લોકોને આરોગ્યપ્રદ આહાર પૂરો પાડી રહ્યા છે. બે દિવસની તાલીમે તેમના જીવનમાં ફરી હરિયાળી ભરી દીધી છે. જોકે, આ બિઝનેસમાં મયંકને માર્કેટ તૈયાર કરવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

મયંક ચતુર્વેદી ડીડી ફાર્મર સાથેની વાતચીતમાં કહે છે કે ‘સરકારની મદદથી મેં આ કામ શરૂ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે માઈક્રોગ્રીન્સ ઉગાડવા માટે કોઈ ખેતરની જરૂર નથી. તમે તમારા ઘરની ખાલી જગ્યામાં રેક બનાવીને તેને ઉગાડી શકો છો. તેઓ કહે છે કે જો તમે નોકરી કરો છો તો પણ સરળતાથી ખેતી કરી શકો છો. તે કમાણીનો પણ સારો માર્ગ છે.’

ઘરમાં જ તૈયાર કર્યું છે વર્ટિકલ ફાર્મ

ચતુર્વેદી કહે છે કે તેમણે પોતાના રૂમની અંદર એક વર્ટિકલ ફાર્મ તૈયાર કર્યું છે. તેઓ કહે છે કે આ પદ્ધતિથી ખેતી કરીને એક સાથે અનેક પ્રકારના પાક ઉગાડવામાં આવે છે. તેમાં મૂળા, સરસવ, બીટ, લાલ કોબી, મેથી અને વટાણાનો સમાવેશ થાય છે. તેઓ વર્ટિકલ ફાર્મમાં કોકોપીટમાં ઉગાડવામાં આવે છે. કોકોપીટમાં નાળિયેરની ભૂકી નાખવામાં આવે છે. તેની ઉપર બીજ નાખવામાં આવે છે. સમયાંતરે સિંચાઈ માટે સ્પ્રે કરવામાં આવે છે અને ટૂંક સમયમાં તેઓ અંકુરિત થાય છે.

ઓછી જગ્યામાં વધુ ઉપજ મેળવવા માટે ટ્રે નો ઉપયોગ કરવામાં આવે છે. આ હેલ્ધી સુપરફૂડને માર્કેટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આજે તેમના આ નાના છોડ મોટા રેસ્ટોરાં અને હોટેલોમાં સપ્લાય કરવામાં આવે છે.

માઇક્રોગ્રીન્સ પોષણથી ભરપૂર હોય છે

હવે તમે વિચારતા હશો કે આ માઇક્રોગ્રીન્સ છે શું, તો ચાલો તમને તેના વિશે જણાવીએ. વાસ્તવમાં, આ ઘણા પ્રકારના પૌષ્ટિક પાકોના નાના છોડ છે, જે ફક્ત રોપાઓ તરીકે ઉપયોગમાં લેવા માટે વાવવામાં આવે છે. તેઓ માત્ર પોષણથી ભરપૂર નથી પણ આહારમાં સામેલ કરવામાં આવે ત્યારે તેનો સ્વાદ પણ વધારી દે છે. આ જ કારણ છે કે આજના સમયમાં તેની માગ ઘણી વધારે છે.

તેમાં ઝિંક અને મેગ્નેશિયમની સાથે અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. નિષ્ણાતો કહે છે કે તેમાં તૈયાર છોડ કરતાં 40 ગણા વધુ પોષક તત્વો હોય છે. તે જ સમયે, તેઓ વિવિધ રંગોમાં છે, જેના કારણે કોરોના પછીના સમયમાં તેની માગ વધી છે.

આ પણ વાંચો: ગોવામાં ભાજપ સરકાર બનાવવામાં વિલંબ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, દિગંબર કામતે કહ્યું પાર્ટીમાં છે આંતરકલહ

આ પણ વાંચો: Home Loan : ઓછા EMIના ચક્કરમાં દેવાના બોજ તળે ન દબાશો, સમજો સસ્તી લોનનું ગણિત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">