AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20,000 કરોડની સંપત્તિ સાથે ગુજરાતના સૌથી ધનાઢ્ય રાજવી છે બરોડાના રાજા, ક્રિકેટ સાથે છે ખાસ કનેક્શન

વિશ્વના સૌથી મોટા મહેલના માલિક, પૂર્વ રણજી ખેલાડી અને બરોડાના રાજા સમરજિતસિંહ ગાયકવાડ ગુજરાતના સૌથી અમીર રાજવી છે. રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે સમરજિતસિંહ ગાયકવાડ.

20,000 કરોડની સંપત્તિ સાથે ગુજરાતના સૌથી ધનાઢ્ય રાજવી છે બરોડાના રાજા, ક્રિકેટ સાથે છે ખાસ કનેક્શન
Samarjitsinh Ranjitsinh Gaekwad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:42 PM
Share

સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડ (Samarjitsinh Ranjitsinh Gaekwad) ભારતના સૌથી ધનિક લોકોમાંના એક છે. તેઓ બરોડા રાજવી પરિવારના સદસ્ય છે અને બરોડાના ઔપચારિક રાજા છે. તેઓ ગુજરાતના સૌથી ધનિક રાજવી છે. તેમના લગ્ન શુભાંગિની રાજે સાથે થયા છે. તેમને બે દીકરીઓ છે. તેઓ પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે.

બરોડા તરફથી રણજી ક્રિકેટ રમ્યા

સમરજિતસિંહ ગાયકવાડ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. તેમણે દેહરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ રમતગમતમાં પારંગત હતા અને શાળાની ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ ટીમના કેપ્ટન પણ હતા. તેઓ રણજી ટ્રોફીમાં બરોડા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમણે કુલ છ રણજી મેચ રમી હતી.

પેલેસ, સ્ટેડિયમ, મ્યુઝિયમના માલિક

વર્ષ 2013માં સમરજિતસિંહ ગાયકવાડે 4.2 બિલિયન ડોલરથી વધુની કિમતના લાંબા કાનૂની વિવાદનું સમાધાન કર્યું હતું. તેઓ પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસ, મોતી બાગ સ્ટેડિયમ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમના માલિક છે. તેમને રાજા રવિ વર્માના મોંઘા ચિત્રો, ઝવેરાત વગેરે વારસામાં પણ મળ્યા હતા. તેઓ ટ્રસ્ટ પણ ચલાવે છે જે ગુજરાત અને વારાણસીમાં 17 મંદિરોનું સંચાલન કરે છે.

આ પણ વાંચો : PNB સસ્તા ભાવમાં આપી રહી છે મકાન અને દુકાન, ખરીદવા માટે કરવું પડશે આ કામ

બકિંગહામ પેલેસ કરતા ચાર ઘણો મોટો મહેલ

લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વના સૌથી મોટા ખાનગી મકાનોમાંનું એક છે. જેને ગાયકવાડ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યો હતો. આ મહેલને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ પેલેસમાં 170થી વધુ રૂમ છે. આશરે 500 એકરમાં કમ્પાઉન્ડનો વિસ્તાર ફેલાયેલો છે. જેમાં એક ગોલ્ફ કોર્સ પણ છે. આ ગોલ્ફ કોર્સ બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. મહેલનો એક ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં એક સંગ્રહાલય છે. જેની ટિકિટની કિંમત 150-200 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">