Nirmala Sitharaman Updates : બેડ બેંક અને ડેટ મેનેજમેન્ટ કંપનીની કરાઈ જાહેરાત, જાણો કેવી રીતે કરશે કામ

નિર્મલા સીતારમણે આજે બેડ બેંકની જાહેરાત કરી હતી. આ બેંકની જાહેરાત 2021 ના ​​બજેટમાં કરવામાં આવી હતી. આ બેંકને સરકાર તરફથી 30 હજાર 600 કરોડની ગેરંટી મળશે.

Nirmala Sitharaman Updates : બેડ બેંક અને ડેટ મેનેજમેન્ટ કંપનીની કરાઈ જાહેરાત, જાણો કેવી રીતે કરશે કામ
બેડ બેંકને સરકાર તરફથી લગભગ 31 હજાર કરોડની ગેરંટી મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:45 PM

કેબિનેટની બેઠકના બીજા દિવસે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) મહત્વની બેઠક યોજાઈ હતી. પત્રકાર પરિષદ યોજીને આજની બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંક જેને એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની કહેવામાં આવે છે તેની જાહેરાત કરી હતી.

સરકાર આ બેંક માટે 30 હજાર 600 કરોડની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ 2 લાખ કરોડની એનપીએ (NPA) બેડ બેંકમાં ટ્રાન્સફર થશે. પ્રથમ તબક્કામાં આ અંતર્ગત 90 હજાર કરોડની એનપીએ ટ્રાન્સફર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બેડ બેંક ઉપરાંત એક ડેટ મેનેજમેન્ટ કંપની પણ બનાવવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેન્કો બેડ બેન્કમાં 51 ટકા હિસ્સો અને ડેટ મેનેજમેન્ટ કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવશે. બેંકોની નાણાંકીય સ્થિતિ અંગે નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની રીકવરી કરવામાં આવી છે.

માર્ચ 2018 થી 3 લાખ કરોડથી વધુની રીકવરી થઈ છે. 1 લાખ કરોડ તો માત્ર રાઈટ-ઓફ કરીને આપવામાં આવેલી લોનમાંથી વસૂલવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં બેંકોની સંપત્તિમાં ઘણો સુધારો થયો છે.

બેડ બેંક અથવા એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની બેંકોની બેડ લોન ખરીદી લે છે અને પછી પોતાની રીતે તેની ઉઘરાણી કરશે. સામાન્ય રીતે, જ્યારે કોઈ બેડ બેંક એક બેડ લોનને ખરીદે છે, ત્યારે તે માત્ર 15 ટકા રોકડ તરીકે ચૂકવે છે. બાકીના 85% સુરક્ષા રસીદના રૂપમાં છે. આ સુરક્ષા રસીદના રૂપમાં 30600 કરોડની સરકારી ગેરંટી જાહેર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. 2018 માં, દેશમાં 21 જાહેર ક્ષેત્રની બેન્કો હતી અને માત્ર 2 બેન્કો નફાકારક હતી. 2021 માં માત્ર બે બેંકોએ ખોટ નોંધાવી છે. આ દર્શાવે છે કે બેંકોની બેલેન્સશીટમાં ઘણો સુધારો થયો છે.

બેંકોને સતત રીકેપીટલાઈઝ કરવામાં આવી છે

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકો દ્વારા દર વર્ષે હજારો કરોડનું રીકેપીટલાઈઝ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2017-18માં 90 હજાર કરોડ, નાણાકીય વર્ષ 2018-19માં 1.06 લાખ કરોડ, 2019-20માં 70 હજાર કરોડ, 2020-21માં 20 હજાર કરોડ અને ચાલુ નાણાકીય વર્ષ માટે 20 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો આ કંપનીમાં 49 ટકા હિસ્સો રહેશે, બાકીનો હિસ્સો ખાનગી કંપનીઓ પાસે રહેશે.

શું છે બેડ બેંક 

બેડ બેંક એ બેંક નથી, બલ્કે તે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની બેડ લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે બેન્કો વધુ લોકોને સરળતાથી લોન આપી શકશે અને તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.

સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા બેંકમાંથી લોન લઈને ભરપાઈ નથી કરતા ત્યારે લોન ખાતાને બંધ કરી દેવામાં આવે છે. આ પછી, તેના નિયમો અનુસાર રીકવરી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તેની રીકવરી શક્ય નથી અથવા જો તે થઈ પણ હોય તો પણ તે ન થયા બરાબર હોય છે. પરિણામે, બેંકોના પૈસા ડૂબી જાય છે અને બેંક ખોટમાં જાય છે.

આ પણ વાંચો :  Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">