વસંત પંચમી
દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જે દિવસે વસંતઋતુની શરૂઆત થાય છે તે દિવસને વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી જ્ઞાન, બુદ્ધિ, કળા અને જ્ઞાનના આશીર્વાદ માંગવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને પીળા ફૂલોથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે, જેથી દરેક શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર થઇ શકે છે. પીળી વાનગીઓ બનાવે છે. તેમજ આ તહેવાર પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને કેટલીક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
Basant Panchami 2026: વસંત પંચમી પર આ 5 વસ્તુઓ ઘરે લાવો, આખા વર્ષ દરમિયાન ક્યારેય પૈસાની કમી નહીં રહે!
Basant Panchmi 2026: વસંત પંચમી એ ફક્ત એક તહેવાર નથી, પણ વર્ષનો એક શુભ સમય પણ છે. આ જ કારણ છે કે આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વસંત પંચમી પર ઘરે કઈ પાંચ વસ્તુઓ લાવવી જોઈએ.
- Meera Kansagara
- Updated on: Jan 23, 2026
- 7:17 am
Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી, વસંત પંચમી ક્યારે છે? તેની ચોક્કસ તારીખ અને શુભ સમય તેમજ તેનું મહત્ત્વ જાણો
Vasant Panchami 2026: હિન્દુ ધર્મમાં વસંત પંચમી એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે મહા મહિનાના શુક્લ પક્ષમાં એટલે કે અંજવાળિયાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર વસંતના આગમનનું પ્રતીક છે અને તે દેવી સરસ્વતીની પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ વસંત પંચમીની સાચી તારીખ અને તિથિ.
- Meera Kansagara
- Updated on: Jan 10, 2026
- 10:26 am