વસંત પંચમી
દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જે દિવસે વસંતઋતુની શરૂઆત થાય છે તે દિવસને વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી જ્ઞાન, બુદ્ધિ, કળા અને જ્ઞાનના આશીર્વાદ માંગવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને પીળા ફૂલોથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે, જેથી દરેક શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર થઇ શકે છે. પીળી વાનગીઓ બનાવે છે. તેમજ આ તહેવાર પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને કેટલીક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી, વસંત પંચમી ક્યારે છે? તેની ચોક્કસ તારીખ અને શુભ સમય તેમજ તેનું મહત્ત્વ જાણો
Vasant Panchami 2026: હિન્દુ ધર્મમાં વસંત પંચમી એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે મહા મહિનાના શુક્લ પક્ષમાં એટલે કે અંજવાળિયાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર વસંતના આગમનનું પ્રતીક છે અને તે દેવી સરસ્વતીની પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ વસંત પંચમીની સાચી તારીખ અને તિથિ.
- Meera Kansagara
- Updated on: Jan 10, 2026
- 10:26 am
મહાકુંભનુ ત્રીજુ અમૃત સ્નાન, સાધુ સંતોએ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી, જૂઓ ફોટા
વસંત પંચમીના શુભ અવસર પર કુંભમેળામાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આ દિવસે તમામ અખાડાઓ ક્રમબદ્ધ ગંગા નદીમાં ડૂબકી લગાવે છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલ ભાગદોડ જેવી સ્થિતિ વસંત પંચમીના અમૃત સ્નાન સમયે ના થાય તે માટે તંત્રે આગોતરુ આયોજન કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2025
- 5:21 pm
Sweet Rice Recipe : સરસ્વતી માતાને પ્રસાદમાં ધરાવો સ્વીટ રાઈસ, જાણો સંપૂર્ણ રેસિપી
ભારતમાં અલગ અલગ પ્રકારની પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારે વસંતપંચમીના દિવસે તમે સરસ્વતી માતાને પ્રસાદમાં સ્વીટ રાઈસ બનાવવાની સરળ રીતે જણાવીશું.
- Disha Thakar
- Updated on: Feb 2, 2025
- 8:59 am
Vasant Panchami daan 2025: વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન, દરેક કાર્યમાં મળશે સફળતા!
vasant Panchami 2025: હિન્દુ ધર્મમાં વસંત પંચમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. તેમજ વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
- Dhinal Chavda
- Updated on: Jan 30, 2025
- 11:47 am
Moong Dal Halwa Recipe : વસંતપંચમીના દિવસે સરસ્વતી માતાને પ્રસાદમાં મગની દાળનો શીરો બનાવો
ભારતમાં અલગ અલગ પ્રકારના હલવો બનાવવામાં આવે છે. ત્યારે વસંતપંચમીના દિવસે તમે સરસ્વતી માતાને પ્રસાદમાં મગની દાળનો શીરો બનાવવાની સરળ રીતે જણાવીશું.
- Disha Thakar
- Updated on: Feb 2, 2025
- 8:50 am