સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલી છે. આ યુનિવર્સિટીની સ્થાપના 23મી મે 1967માં થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને NAACએ બી વર્ગની રાજ્ય યુનિવર્સિટીની માન્યતા આપી છે.
શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ રાજકોટ અને ભાવનગર જીલ્લામાં હતું. ત્યાર પછી ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રાજકોટ મુખ્ય મથક જાહેર કર્યું છે.
આ યુનિવર્સિટીનું કેમ્પસ 363 એકરમાં ફેલાયેલું છે. આ યુનિવર્સિટી હાલમાં 5 જિલ્લાઓને આવરી લે છે. જેમ કે, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલીનું કાર્ય કરે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલ 103 વિવિધ કોર્ષ ભણાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમો ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, અને પીએચડી કોર્ષ કરાવે છે. મેનેજમેન્ટ, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી અને સાયન્સ સહિતના વિવિધ વિષયોની ડિગ્રી આપે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાના પ્રમોશનને લઈ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા નિદત બારોટની RTIમાં ખુલાસો થયો છે કે સંશોધન પત્રમાં 2020ની શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગેરરીતિના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2026
- 8:52 pm