
લાલ કૃષ્ણ અડવાણી
લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમનો જન્મ કરાચીમાં 08 નવેમ્બર 1927માં થયો હતો. 1941માં 14 વર્ષની ઉંમરે લાલ કૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેઓ કરાંચી શાખાના પ્રચારક (પૂર્ણ સમયના કાર્યકર) બન્યા અને ત્યાં અનેક શાખાઓ વિકસાવી. ભાગલા પછી અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનના મત્સ્ય-અલવરમાં મોકલવામાં આવ્યા, જેમાં ભાગલા બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી. તેમણે 1952 સુધી અલવર, ભરતપુર, કોટા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં કામ કર્યું છે.
1970થી તેઓ છ વર્ષના કાર્યકાળ માટે દિલ્હીથી રાજ્યસભાના સભ્ય બન્યા. જનસંઘમાં વિવિધ પદો પર સેવા આપ્યા બાદ 1973માં તેઓ પાર્ટીની કાર્યકારી સમિતિના કાનપુર સત્રના પ્રેસિડેન્ટ બન્યા. 1976થી 1982 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય હતા. ઈન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી બાદ જનસંઘ અને અન્ય ઘણી પાર્ટીઓએ ભાજપમાં મર્જર કર્યું. અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી 1977ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સભ્યો તરીકે લડ્યા હતા. અડવાણી નવી સ્થાપિત ભાજપના અગ્રણી નેતા બન્યા અને મધ્ય પ્રદેશથી 1982માં બે ટર્મ સુધી તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. અડવાણી 2002થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. 2015માં તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
Breaking News : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી. શનિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા તેમને ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Tanvi Soni
- Updated on: Dec 14, 2024
- 10:24 am
પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અને માતાનું નામ જ્ઞાની દેવી હતું. તેમની નાની બહેનનું નામ શીલા છે. તેમણે કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ સિંધની સરકારી કોલેજ હૈદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.
- Dilip Chaudhary
- Updated on: Nov 8, 2024
- 7:00 am
ત્રીજી વખત PM બનતા પહેલા નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના લીધા આશીર્વાદ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે વરણી થયા બાદ, સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા અને તેમને મળીને આર્શીવાદ મેળવ્યા હતા. આ પછી પીએમ મોદીએ ભાજપના અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના ઘરે જઈને તેમના પણ આશીર્વાદ લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2024
- 4:54 pm
ભાજપનો આજે સ્થાપના દિવસ : 44 વર્ષની રાજકીય સફર, વર્તમાન સમયમાં 17 રાજ્યોમાં સરકાર
6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવીને ઉજવણીની શરુઆત કરાવશે. આ પ્રસંગે નડ્ડા જનસંઘના નેતાઓ દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરશે.
- Tanvi Soni
- Updated on: Apr 6, 2024
- 8:11 am