AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એઈમ્સ

એઈમ્સ

એઈમ્સ એટલે કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજ છે. જે દેશભરના વિવિધ રાજ્યોમાં આવેલી છે. એઈમ્સમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં દર્દીઓને એડવાન્સ ટેક્નોલોજીથી સારવાર આપવામાં આવે છે. AIIMSની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે.

AIIMSમાં સારવાર માટેની એપોઇન્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. રાજકુમારી અમૃત કૌરની પહેલ પર AIIMS અસ્તિત્વમાં આવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સની ઓપીડી તેમના નામ પરથી રાખવામાં આવી છે. હવે દિલ્હીમાં એઈમ્સમાં નવી ઓપીડી બિલ્ડીંગ પણ બનાવવામાં આવી છે. AIIMSમાં ઘણી ગંભીર બીમારીઓની સારવાર પણ કરવામાં આવે છે. AIIMS ની પોતાની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જેની એક શાખા ઝજ્જરમાં છે. એઈમ્સ હોસ્પિટલ હવે દેશના ઘણા બધા મોટા શહેરોમાં સેવા આપે છે. આ સિવાય અંગ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પ્રકારની મોટી સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.

Read More

AIIMS Vacancy : 2 લાખથી વધારે પગાર, 50 વર્ષના ઉમેદવારો પણ કરી શકશે અરજી

AIIMS Faculty Vacancy 2025: AIIMS એ ફેકલ્ટી પદો માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. ચાલો જાણીએ કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે.

અદભૂત અને અવિશ્વસનીય ! AIIMS માં 5 મહિનાના ગર્ભનું દાન કરીને જૈન પરિવારે માનવતાની મિસાલ રજૂ કરી

ભ્રૂણ દાન બાદ સામાન્ય રીતે પરિવારમાં ચિંતા અને દુઃખનું વાતાવરણ જોવા મળે છે પણ આ વખતે વાત કંઈ અલગ જ છે. AIIMS માં 5 મહિના ગર્ભ દાન કરીને જૈન પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે. લોકો તેમના આ કામની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

‘ગરીબોને મફતમાં સારવાર આપો નહીંતર AIIMS Apolloને ટેકઓવર કરી લેશે’, સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની સુપ્રીમ કોર્ટની બેન્ચે કડક ટિપ્પણી કરી છે કે જો અપોલો હોસ્પિટલ ગરીબોને મફત સારવાર નહીં આપે તો ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ને તેનો કબજો લેવાનું કહેવામાં આવશે. એપોલોના વકીલે કહ્યું કે આ હોસ્પિટલ દિલ્હી સરકારના 26 ટકા હિસ્સા સાથે સંયુક્ત સાહસમાં ચલાવવામાં આવી રહી છે.

યોગ અને આયુર્વેદ હાર્ટ અટેક અને સ્ટ્રોકને મટાડી શકે છે, AIIMSના રિસર્ચમાં થયો ખુલાસો

હવે મેડિકલ સાયન્સ પણ યોગ અને આયુર્વેદની તાકાતને સ્વીકારવા લાગ્યું છે. AIIMS ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદ દ્વારા ઘણા રોગોનો ઇલાજ કરી શકાય છે. તાજેતરમાં આ સંશોધન એક પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના 400 નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

g clip-path="url(#clip0_868_265)">