એઈમ્સ
એઈમ્સ એટલે કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજ છે. જે દેશભરના વિવિધ રાજ્યોમાં આવેલી છે. એઈમ્સમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં દર્દીઓને એડવાન્સ ટેક્નોલોજીથી સારવાર આપવામાં આવે છે. AIIMSની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે.
AIIMSમાં સારવાર માટેની એપોઇન્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. રાજકુમારી અમૃત કૌરની પહેલ પર AIIMS અસ્તિત્વમાં આવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સની ઓપીડી તેમના નામ પરથી રાખવામાં આવી છે. હવે દિલ્હીમાં એઈમ્સમાં નવી ઓપીડી બિલ્ડીંગ પણ બનાવવામાં આવી છે. AIIMSમાં ઘણી ગંભીર બીમારીઓની સારવાર પણ કરવામાં આવે છે. AIIMS ની પોતાની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જેની એક શાખા ઝજ્જરમાં છે. એઈમ્સ હોસ્પિટલ હવે દેશના ઘણા બધા મોટા શહેરોમાં સેવા આપે છે. આ સિવાય અંગ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પ્રકારની મોટી સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.
Breaking News: ભારતના સૌપ્રથમ ઈચ્છા મૃત્યુ મેળવનાર હરીશ રાણાએ એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ, 13 વર્ષથી હતા કોમામાં
ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા, જેમને સુપ્રીમ કોર્ટ તરફથી નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મળી હતી, તેમનું દિલ્હી એઈમ્સમાં અવસાન થયું છે. તેમને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયા કરાવવા માટે એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓ ડૉકટર્સની દેખરેખ હેઠળ રહ્યા. છેલ્લા 10 દિવસથી તેમના ખોરાક-પાણી સદંતર બંધ કરવામાં આવ્યા હતા.
- Mina Pandya
- Updated on: Mar 24, 2026
- 7:22 pm
10 દિવસથી ખોરાક-પાણી બંધ, છતા હાલત સ્થિર…. મૃત્યુની રાહ જોઈ રહેલા હરીશ રાણાએ AIIMS ના ડૉક્ટર્સને પણ ચોંકાવ્યા
ભોજન પાણી વિના પણ હરીશ રાણાની હાલત સ્થિર દેખાઈ રહી છે. પેસિવ યુથેનેશિયા પ્રક્રિયા અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી તેને ખોરાક-પાણી આપવાનું બંધ કરાયુ છે. ડૉક્ટરની દેખરેખમાં તેને દર્દમાંથી રાહત આપવાની દવાઓ અપાઈ રહી છે. જેથી તેની અંતિમયાત્રા કોઈ કષ્ટ વિના સંપન્ન થઈ શકે.
- Mina Pandya
- Updated on: Mar 24, 2026
- 5:53 pm
Breaking News: Union Budget 2026-27 દર્દીના જેબ પર રાહત કેન્સર, ડાયાબિટિસની દવાઓ સસ્તી થશે, – જાણો વધુમાં હેલ્થ સેક્ટરમાં શું નવું
કેન્દ્ર સરકારે બજેટ 2026માં હેલ્થ સેક્ટર માટે મોટી જાહેરાતો કરી છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓની દવાઓ સસ્તી કરવા માટે ખાસ 'બાયો ફાર્મા સ્કીમ' જાહેર કરાઈ છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારીને 60 વર્ષથી ઉપરના વડીલોને આવરી લેવા અને મફત સારવારની મર્યાદા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Feb 1, 2026
- 12:18 pm
AIIMS Vacancy : 2 લાખથી વધારે પગાર, 50 વર્ષના ઉમેદવારો પણ કરી શકશે અરજી
AIIMS Faculty Vacancy 2025: AIIMS એ ફેકલ્ટી પદો માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. ચાલો જાણીએ કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે.
- Meera Kansagara
- Updated on: Oct 25, 2025
- 1:22 pm
અદભૂત અને અવિશ્વસનીય ! AIIMS માં 5 મહિનાના ગર્ભનું દાન કરીને જૈન પરિવારે માનવતાની મિસાલ રજૂ કરી
ભ્રૂણ દાન બાદ સામાન્ય રીતે પરિવારમાં ચિંતા અને દુઃખનું વાતાવરણ જોવા મળે છે પણ આ વખતે વાત કંઈ અલગ જ છે. AIIMS માં 5 મહિના ગર્ભ દાન કરીને જૈન પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે. લોકો તેમના આ કામની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
- Ravi Prajapati
- Updated on: Sep 8, 2025
- 9:10 pm