ભાજપ સરકારે કેબિનેટમાં લીધો ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રુપિયા

મોદી સરકારે સત્તામાં બીજી વખત આવ્યા બાદ ખેડૂતોને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજવાનો લાભ હવે દરેક ખેડૂતોને આપવાનું નક્કી કરાયું છે. ભાજપની સરકારે બહુમત મેળવીને ફરીથી પોતાની સરકાર બનાવી છે અને ફરીથી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પ્રથમ ફેંસલો શહીદોના બાળકો માટે લીધો તો અન્ય ફેંસલામાં ખેડૂતોનો પણ સમાવેશ કર્યો છે. […]

ભાજપ સરકારે કેબિનેટમાં લીધો ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રુપિયા
Follow Us:
| Updated on: May 31, 2019 | 3:32 PM

મોદી સરકારે સત્તામાં બીજી વખત આવ્યા બાદ ખેડૂતોને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજવાનો લાભ હવે દરેક ખેડૂતોને આપવાનું નક્કી કરાયું છે.

ભાજપની સરકારે બહુમત મેળવીને ફરીથી પોતાની સરકાર બનાવી છે અને ફરીથી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પ્રથમ ફેંસલો શહીદોના બાળકો માટે લીધો તો અન્ય ફેંસલામાં ખેડૂતોનો પણ સમાવેશ કર્યો છે. પીએમ કિસાન યોજનામાં હવે દેશના બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે અને તેમાં વાર્ષિક 6 હજાર રુપિયાની મદદ ખેડૂતોને આપવામાં આવશે. જ્યારે 60 વર્ષની ઉપરની વયના ખેડૂતોને હવે પેંશન પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો:  સુરતમાં પાણીના ગેરકાયદે કનેક્શનને લઈને થઈ ખુલ્લાં હાથે મારામારી, જુઓ VIDEO

મોદી સરકારના ફેંસલાથી દેશના 14.5 કરોડ ખેડૂતને હવે પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. પહેલાં આ યોજનાનો લાભ એવા જ ખેડૂતોને આપવાનું નક્કી કરાયું હતું કે જેમની પાસે પાંચ હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન હોય. મોદી સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને હટાવી લીધો છે અને હવે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે. ખાસ કરીને આ વખતે ફેરફાર કરીને ખેડૂતો માટે પેંશનની પણ જોગવાઈ મોદી સરકારે કરી છે જેનો પણ લાભ 60 વર્ષની વધારે વયના ખેડૂતો લઈ શકશે.

પહેલાં 2 કરોડ ખેડૂત જમીન વધારે હોવાના લીધે વંચિત રહી જતાં હતા તેમનો પણ સમાવેશ

પહેલાં આ યોજનાનો લાભ 12.5 કરોડ ખેડૂતને મળતો હતો અને તેમાં ખાસ કરીને 2 કરોડ જેટલાં ખેડૂત જમીનના નિયમના કારણે વંચીત રહી જતાં હતા. મોદી સરકારે આ નિયમને હટાવી દીધો છે જેના લીધે યોજનાનો લાભ 14.5 કરોડ ખેડૂતને મળી શકશે. આ બાબતની ઘોષણા કૃષિ મંત્રી નરેન્દ્ર્ સિંહ તોમર દ્વારા કેબિનેટની બેઠક સમાપ્ત થયા પછી પત્રકારોને આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અત્યાર સુધી આ યોજનામાં 3.11 કરોડ નાના ખેડૂતોને 2 હજારનો પ્રથમ હપ્તો મળી ગયો છે જ્યારે અન્ય બે હપ્તા પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાને અંતરિમ બજેટમાં રજૂ કરવામાં આવી હતી અને 2.75 કરોડ ખેડૂતોને આ યોજનાનો બીજો 2000 રુપિયાનો હપ્તો પણ મળી ચૂક્યો છે.

60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને આપવામાં આવશે પેંશન

જે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધારે હશે તેમને પેંશન પણ સરકાર દ્વારા આપવામાં આવશે. આ પેંશનની રકમ પ્રતિમાસ 3 હજાર રુપિયા નક્કી કરવામાં આવી છે. આમ સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે ખેડૂતલક્ષી આ મોટો નિર્ણય લીધો છે જેના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ મળી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">