AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: માત્ર ભોપાલ જ નહીં હિમાચલની મંડીમાં પણ આવેલા છે ઘણા સરોવર, આ સરોવરની મુલાકાત અવશ્ય લેજો

મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો. આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચનો સમયગાળો શ્રેષ્ઠ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:19 PM
Share
રેવાલસર તળાવ મંડી શહેરથી લગભગ 23 કિમી દૂર છે. હિમાલયની તળેટીમાં 1360 મીટરની ઊંચાઈએ આવેલા આ તળાવનો આકાર ચોરસ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે તે રાખમાંથી બનેલું છે. તે હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે એક સામાન્ય તીર્થસ્થાન પણ છે. તળાવની સાથે જ અહીં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.

રેવાલસર તળાવ મંડી શહેરથી લગભગ 23 કિમી દૂર છે. હિમાલયની તળેટીમાં 1360 મીટરની ઊંચાઈએ આવેલા આ તળાવનો આકાર ચોરસ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે તે રાખમાંથી બનેલું છે. તે હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે એક સામાન્ય તીર્થસ્થાન પણ છે. તળાવની સાથે જ અહીં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.

1 / 5
કમરૂનાગ તળાવ મંડીથી 68 કિલોમીટર દૂર છે. આ તળાવ દેવ કમરૂનાગને સમર્પિત છે. અહીં લોકો માનતા માનીને જાય છે અને માનતા પુરી થયા પછી ભગવાન કમરૂનાગના દર્શન કરે છે, પછી તેમાં સોનું, ચાંદી, સિક્કા અને નોટોનું દાન કરે છે. આ સરોવરનો આનંદ માણવા માટે તમારે 6 કિલોમીટર પગપાળા ચઢવું પડે છે.

કમરૂનાગ તળાવ મંડીથી 68 કિલોમીટર દૂર છે. આ તળાવ દેવ કમરૂનાગને સમર્પિત છે. અહીં લોકો માનતા માનીને જાય છે અને માનતા પુરી થયા પછી ભગવાન કમરૂનાગના દર્શન કરે છે, પછી તેમાં સોનું, ચાંદી, સિક્કા અને નોટોનું દાન કરે છે. આ સરોવરનો આનંદ માણવા માટે તમારે 6 કિલોમીટર પગપાળા ચઢવું પડે છે.

2 / 5
રેવાલસરથી કુંતાભયો તળાવ લગભગ 6 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે એક વખત અર્જુને માતા કુંતીની તરસ છીપાવવા માટે બાણ વડે પાણીનો પ્રવાહ છોડ્યો હતો. બાદમાં એ પ્રવાહે તળાવનું રૂપ ધારણ કર્યું. આ તળાવના પાણીનો રંગ વાદળી-લીલો જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. તળાવથી લગભગ એક કિલોમીટર દૂર, રસ્તાની બાજુમાં એક નાની ટેકરી પર ગુફાઓ છે, જે બૌદ્ધ સાધુઓ માટે સાધનાનું પવિત્ર સ્થળ છે.

રેવાલસરથી કુંતાભયો તળાવ લગભગ 6 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે એક વખત અર્જુને માતા કુંતીની તરસ છીપાવવા માટે બાણ વડે પાણીનો પ્રવાહ છોડ્યો હતો. બાદમાં એ પ્રવાહે તળાવનું રૂપ ધારણ કર્યું. આ તળાવના પાણીનો રંગ વાદળી-લીલો જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. તળાવથી લગભગ એક કિલોમીટર દૂર, રસ્તાની બાજુમાં એક નાની ટેકરી પર ગુફાઓ છે, જે બૌદ્ધ સાધુઓ માટે સાધનાનું પવિત્ર સ્થળ છે.

3 / 5
મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી. તેણે પોતાનું શસ્ત્ર જમીન પર માર્યુ, શસ્ત્ર જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું. તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે. સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.

મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી. તેણે પોતાનું શસ્ત્ર જમીન પર માર્યુ, શસ્ત્ર જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું. તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે. સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.

4 / 5
સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે. આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે. આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">