Stock Market : બુધવારનો ‘બાદશાહ’ કોણ? રોકાણકારોની નજર આ શેર્સ પર હોઈ શકે છે
મંગળવારના ટ્રેડિંગમાં શેરબજારમાં વધારો જોવા મળ્યો અને નિફ્ટી 100 થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. એવામાં ચાલો જાણીએ કે, બુધવારે કયા કયા સ્ટોક્સ રોકાણકારોની નજરમાં રહેશે...

મંગળવારના રોજ એટલે કે 19 ઓગસ્ટના રોજ ઇન્ડેક્સ 25 હજારના સ્તરની નીચે બંધ થયું હતું. જો કે, બધાની નજર હવે બુધવારના ટ્રેડિંગ પર છે. શું નિફ્ટી આગામી સત્રમાં 25 હજારના સ્તરથી ઉપર બંધ થશે?

નિષ્ણાતો માને છે કે, આ સ્તરથી ઉપરની બાજુ બંધ થશે તો બજારમાં મજબૂત ખરીદી જોવા મળી શકે છે. જો આવું થશે તો કેટલાંક સ્ટોકમાં વધારે હલચલ જોવા મળી શકે છે.

ગેઇલ (ઇન્ડિયા): મીડિયા રિપોર્ટ્સ મુજબ, PNGRB સપ્ટેમ્બરની શરૂઆતમાં GAIL (ઇન્ડિયા) લિમિટેડની પાઇપલાઇન્સના સુધારેલા ટેરિફની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, બોર્ડ સપ્ટેમ્બરના પહેલા થોડા દિવસોમાં બેઠક કરશે અને આ મુદ્દા પર નિર્ણય લેશે.

લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી: કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે, તે ટાંડસી-III અને ટાંડસી-III એક્સટેન્શન કોકિંગ કોલ માઈન્સ માટે સફળ બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી છે. કંપનીએ આ પ્રોજેક્ટ 10.5% ના પ્રીમિયમ સાથે હાથ પર લીધો છે.

GMR પાવર અને અર્બન ઇન્ફ્રા: કંપનીની બોર્ડ મીટિંગ 22 ઓગસ્ટના રોજ યોજાવાની છે. બોર્ડ રૂ. 3000 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે અને ત્યારબાદ ખાસ નિર્ણય લઈ શકે છે.

Route મોબાઇલ: કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષના ડિવિડન્ડની ચુકવણી માટે 28 ઓગસ્ટ 2025 ને રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી છે.

ઇન્ફો એજ (ભારત): કંપનીએ માહિતી આપી છે કે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ચિંતન ઠક્કરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચિંતન 19 નવેમ્બર 2025 સુધી કંપનીમાં રહેશે. કંપનીએ અંબરીશ રઘુવંશીને વચગાળાના CFO તરીકે નિયુક્ત કર્યા છે.

SML ઇસુઝુ: કંપનીએ માહિતી આપી છે કે, બોર્ડે કંપનીનું નામ બદલીને SML મહિન્દ્રા કરવાની મંજૂરી આપી છે. આ સાથે કંપનીની AGM 26 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

ગુજરાત આલ્કલીઝ અને કેમિકલ્સ: કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે જાહેર કરાયેલ ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 19 સપ્ટેમ્બર નક્કી કરી છે. કંપનીની AGM 26 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.