થનગનાટ 2023 : આહીર સમાજ દ્વારા રાસોસત્વ કાર્યક્રમ યોજાયો, ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પહેરવેશમાં જોવા મળ્યા
અમદાવાદ આહીર સમાજ આયોજીત કાર્યક્રમ શાનદાર રહ્યો હતો. જેમાં અંદાજે 6 હજાર કરતા વધારે લોકોએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો , તેજસ્વી તારલા ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આહીરાણી મહારાસ નું ડેમોસ્ટ્રેશન પણ યોજાયું હતુ. જેમાં મહિલાઓ તેના પારંપારિવક પહેરવેશમાં જોવા મળી હતી.

અમદાવાદ આહીર સમાજ(અમદાવાદ-ગાંધીનગર) દ્વારા 28 ઓક્ટોબર શનિવાર ના રોજ કોબા સર્કલ પાસે, ગાંધીનગર ખાતે પાર્ટી પ્લોટ માં વાર્ષિક રાસ ગરબા મહોત્સવ "થનગનાટ-2023" અને 21મા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરદપુનમ ની પરંપરાગત ઉજવણી ના ભાગરૂપે આ કાર્યક્રમ માં અમદાવાદ ગાંધીનગર વિસ્તારના 6000 થી પણ વધારે આહીર સમાજના ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પહેરવેશ સાથે હાજર રહ્યા હતા સ્વરૂપી ભોજન લીધું હતું અને ગરબે રમ્યા હતા.

આ શરદપુનમ ના થનગનાટ-2023 રાસોસત્વ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો બાબુ આહીર, ખુશી આહીર, રંજુ આહીર, કલ્પેશ ડેર એ ગરબાના તાલે ખેલેયાઓને રાસ રમાડ્યા હતા.સાથે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં આહીર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓને 82 જેટલી વિવિધ શ્રેણીમાં શિલ્ડ-પ્રમાણપત્ર આહીર સમાજ ના અગ્રણીઓ અને આગેવાનો, તેમજ અમદાવાદ આહીર સમાજ ની કારોબારી ટીમના હસ્તે એનાયત કરાયા હતા. જેમાં તાલાલા(ગીર) ના ધારાસભ્ય ભગાભાઈ બારડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વસતા આહીર સમાજના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓ, આગેવાનો, પુર્વ પ્રમુખ, સરકારી અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેકટરઓ, ડોકટરો, એડવોકેટઓ, શિક્ષકઓ તેમજ ભાઈઓ-બહેનો, બાળકોએ હાજરી આપી હતી.

આ આયોજન ને સફળ બનાવવા અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ -ગાંધીનગર) ની સમગ્ર કારોબારી ટીમ પ્રમુખકરશનભાઈ ભોચિયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ ડેર, વજશીભાઈ આંબલીયા, પૂર્વ પ્રમુખઓ ,મંત્રી ડો. રણજીત પાડા, સહમંત્રી,અશોકભાઈ પરડવા,અશોકભાઈ ચંદ્રવાડીયા,ભાર્ગવભાઈ બલદાણીયા ,સંજયભાઈ છૈયા,નયનભાઈ કરમુર હાજર રહ્યા હતા.

ખજાનચી પ્રવીણભાઈ ભાદરકા,સહ ખજાનચી રમેશભાઈ લાડુમોર તેમજ આઈ.ટી.ટીમમયુરભાઈ કંડોરિયા, ધવલભાઈ મરંડ,ભાવેશભાઈ ભાદરકા, શામજીભાઈ જીંજાળા તેમજ સમગ્ર આઈ.ટી ટિમ તમામ સભ્યો અને સમગ્ર કારોબારી સમિતિ એ જહેમત ઉઠાવી હતી.
