બ્રિજ ભૂષણ સિંહની હકાલપટ્ટી પાક્કી, અયોધ્યામાં લેવાશે મોટો નિર્ણયઃ સૂત્રો
Brij Bhushan Singh: રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણની ખુરશી છીનવાઈ જવાની છે, અહેવાલો અનુસાર, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારી એજીએમની બેઠકમાં તેમનું રાજીનામું માંગવામાં આવશે.

ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ મોટી મુશ્કેલીમાં છે. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે બ્રિજ ભૂષણને WFI પ્રમુખ પદેથી હટાવી શકાય છે. (PC-PTI)

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની AGM અને કાર્યકારી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ ભાગ લેશે. (PC-PTI)

અહેવાલો અનુસાર, બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ આ બેઠકમાં ભાગ લેશે. જો બ્રિજભૂષણ શરણ સિંહ પોતે રાજીનામું નહીં આપે તો ફેડરેશન તરફથી તેમનું રાજીનામું માંગવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ અંશુ મલિકે જંતર-મંતર પર સ્ટેજ પર કહ્યું કે, બ્રિજ ભૂષણ શરણ સિંહ મહિલા ખેલાડીઓના રૂમની સામે એક રૂમ લેતા હતા અને તેને હંમેશા ખુલ્લો રાખતા હતા

એવા પણ સમાચાર છે કે રમત મંત્રાલયમાં બ્રિજભૂષણ શરણ સિંહ સામેની લેખિત ફરિયાદમાં ક્યાંય પણ જાતીય સતામણીનો ઉલ્લેખ નથી.