AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami 2022: રામનવમીના દિવસે જરૂર કરો આ પ્રસિદ્ધ રામમંદિરના દર્શન

દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 12:32 PM
Share
દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આવો જાણીએ ભગવાન રામના કયા પ્રખ્યાત મંદિરની તમે મુલાકાત લઈ શકો છો.

દેશમાં ભગવાન રામને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે. તમે રામ નવમી જેવા ખાસ અવસર પર અહીં જવાની યોજના બનાવી શકો છો. દર વર્ષે ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આવો જાણીએ ભગવાન રામના કયા પ્રખ્યાત મંદિરની તમે મુલાકાત લઈ શકો છો.

1 / 5
રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ - રામ રાજા મંદિર ઓરછા, મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ મંદિરમાં શ્રી રામ ભગવાન અને રાજા બંને તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ રાજા રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક એવી પરંપરા છે જે તેને વધુ ખાસ બનાવે છે.

રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ - રામ રાજા મંદિર ઓરછા, મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ મંદિરમાં શ્રી રામ ભગવાન અને રાજા બંને તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ રાજા રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક એવી પરંપરા છે જે તેને વધુ ખાસ બનાવે છે.

2 / 5
કાલારામ મંદિર, નાસિક - કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ક્ષેત્રમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી સુંદર રામ મંદિરોમાંનું એક છે. તેમાં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ છે. ભગવાન રામની સાથે દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ છે. એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણજી 10માં વર્ષ પછી ગોદાવરી નદીના કિનારે રહેવા માટે પંચવટી આવ્યા હતા.

કાલારામ મંદિર, નાસિક - કાલારામ મંદિર મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ક્ષેત્રમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી સુંદર રામ મંદિરોમાંનું એક છે. તેમાં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ છે. ભગવાન રામની સાથે દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ છે. એવું માનવામાં આવે છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ, દેવી સીતા અને લક્ષ્મણજી 10માં વર્ષ પછી ગોદાવરી નદીના કિનારે રહેવા માટે પંચવટી આવ્યા હતા.

3 / 5
અયોધ્યા રામ મંદિર, ઉત્તરપ્રદેશ - આ મંદિર ભગવાન રામના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. રામનું જન્મસ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના જમણા કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર શ્રી રામનો જન્મ થયો હતો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

અયોધ્યા રામ મંદિર, ઉત્તરપ્રદેશ - આ મંદિર ભગવાન રામના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. રામનું જન્મસ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના જમણા કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર શ્રી રામનો જન્મ થયો હતો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

4 / 5
રઘુનાથ મંદિર, જમ્મુ - આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર જમ્મુની મધ્યમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિરમાં ભક્તો 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન પણ કરી શકે છે. રઘુનાથ મંદિર પરિસરમાં 7 અન્ય મંદિરો પણ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે.

રઘુનાથ મંદિર, જમ્મુ - આ મંદિર ઉત્તર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર જમ્મુની મધ્યમાં આવેલું છે. રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિરમાં ભક્તો 33 કરોડ દેવી-દેવતાઓના દર્શન પણ કરી શકે છે. રઘુનાથ મંદિર પરિસરમાં 7 અન્ય મંદિરો પણ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે.

5 / 5

 

 

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">