કામની વાત: મોબાઈલ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ કેટલી રાખવી જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાંતો
ઘણી લાંબો સમય મોબાઈલ વાપરતા લોકોને આંખો અને માથું દૂખવા લાગે છે, તેમજ આંખોમાં બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યા થાય ત્યારે તેની પાછળનું કારણ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ છે.

આજકાલ દરેક વ્યક્તિ પોતાનો અડધાથી વધુ સમય સ્માર્ટફોન પર વિતાવે છે. કારણ કે મોટા ભાગનું કામ ઓનલાઈન થવા લાગ્યું છે. અભ્યાસ, ખરીદી કે મનોરંજન બધું જ સ્માર્ટફોન દ્વારા થઈ રહ્યું છે. લોકો પણ દિવસભર સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. તેમજ મોટાભાગે હવે મોબાઈલ લોકો માટે ટાઈમપાસનું માધ્યમ બની ગયું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

ઘણો લાંબો સમય મોબાઈલ વાપરતા લોકોને આંખો અને માથું દૂખવા લાગે છે તેમજ આંખોમાં બળતરા અને પાણી નીકળવા જેવી સમસ્યા થાય ત્યારે તેની પાછળનું કારણ ફોન વાપરતી વખતે તેની બ્રાઈટનેસ છે. ફોનની બ્રાઇટનેસ સીધી આપણી આંખોને અસર કરે છે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

લેપટોપની સામે અથવા ફોનની સામે આપણે માટાભાગનો સમય પસારીએ છીએ. દેખીતી રીતે આ આંખો પર તાણ લાવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ફોનની બ્રાઈટનેસ કેટલી હોવી જોઈએ જેથી આંખો પર કોઈ દબાણ ન આવે.( ફોટો ક્રેડિટ- ગુગલ )

ઘણા લોકો માને છે કે તેને ઓછામાં ઓછું રાખવું જોઈએ કારણ કે તેનાથી આંખો પર ઓછું દબાણ આવે છે. તો ઘણા લોકો માને છે કે તેને વધારવી જોઈએ જેથી સ્ક્રીન પર કંઈક લખેલું જોવા માટે આંખો પર વધુ દબાણ ન આવે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

ત્યારે આ અંગે નિષ્ણાતો કહે છે કે ફોનની બ્રાઈટનેસની કોઈ સેટ પેટર્ન નથી. ખૂબ જ ઓછી બ્રાઈટનેસને કારણે તમારે કઈ પણ લખેલુ વાચવામાં ઘણું દબાણ આવે છે તો વધુ પડતી બ્રાઈટનેસ તમારી આંખોમાં પાણી નીકળવા અને બળતરા જેવી સમસ્યા કરી શકે છે. તે જ સમયે, રાત્રે 50 ટકાથી વધુ તેજને કારણે આંખોમાં સમસ્યા થતી હોય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

જો કે, એક નાની વાતનું ધ્યાન રાખવાથી આંખોને ફોનની બ્રાઈટનેસથી પરેશાન થવાથી બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસના પ્રકાશના પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે જો તમે બહાર જતા હોવ તો ફોનની બ્રાઈટનેસ વધારવી. તે જ સમયે, જો રાત્રે અંધારામાં હોય તો તે મુજબ ઘટાડી દેવી જેનાથી આંખોને કોઈ પણ પ્રકારનું દબાણ આવશે નહીં. ( ફોટો ક્રેડિટ- ગુગલ )