AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર પેટ સાફ રાખવા જ નહીં, શરીરને હાઇડ્રેટ રાખવા માટે પણ વરદાન છે આ શાક; ઉનાળામાં આ 7 પ્રકારના લોકો માટે ‘રામબાણ’ ઇલાજ છે આ શાક

ભર ઉનાળે જ્યારે પાચનતંત્ર નબળું પડે અને લૂ લાગવાનો ડર રહે, ત્યારે 'તોરિયાં' તમારા શરીર માટે સુરક્ષા કવચ બની શકે છે. ફાઈબર અને વિટામિનથી ભરપૂર આ શાક માત્ર કબજિયાત જ દૂર નથી કરતું, પણ શરીરને અંદરથી ઠંડક પણ આપે છે.

| Updated on: Mar 26, 2026 | 6:26 PM
Share
ઉનાળાની ઋતુએ દસ્તક દઈ દીધી છે. વધતી જતી ગરમી અને પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ તુરિયાં (Ridge Gourd) ખાવાની સલાહ આપે છે. આ એક ઉત્તમ અને કુદરતી વિકલ્પ છે. તેના નિયમિત સેવનથી માત્ર પાચનતંત્ર મજબૂત નથી થતું, પરંતુ શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ સર્જાતી નથી.

ઉનાળાની ઋતુએ દસ્તક દઈ દીધી છે. વધતી જતી ગરમી અને પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ તુરિયાં (Ridge Gourd) ખાવાની સલાહ આપે છે. આ એક ઉત્તમ અને કુદરતી વિકલ્પ છે. તેના નિયમિત સેવનથી માત્ર પાચનતંત્ર મજબૂત નથી થતું, પરંતુ શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ સર્જાતી નથી.

1 / 6
તુરિયાં સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને અત્યંત સ્વાસ્થ્યવર્ધક શાક છે, જે ઉનાળામાં પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર, તુરિયાંનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યા દૂર રાખે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે.

તુરિયાં સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને અત્યંત સ્વાસ્થ્યવર્ધક શાક છે, જે ઉનાળામાં પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર, તુરિયાંનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યા દૂર રાખે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે.

2 / 6
તુરિયાંમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઉનાળામાં તુરિયાંનું શાક ખાવું એ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે.

તુરિયાંમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઉનાળામાં તુરિયાંનું શાક ખાવું એ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે.

3 / 6
ઉનાળામાં શરીરમાં ગરમી વધવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે, એવામાં તુરિયાંનું શાક હલકું અને સરળતાથી પચી જાય તેવું હોય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગેસ તેમજ અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

ઉનાળામાં શરીરમાં ગરમી વધવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે, એવામાં તુરિયાંનું શાક હલકું અને સરળતાથી પચી જાય તેવું હોય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગેસ તેમજ અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

4 / 6
આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, તુરિયાં પિત્ત દોષને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ છે. જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તેમના માટે પણ તુરિયાંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત, તુરિયાંનું શાક તાવ, ખાંસી અને પેટના કીડા દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, તુરિયાં પિત્ત દોષને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ છે. જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તેમના માટે પણ તુરિયાંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત, તુરિયાંનું શાક તાવ, ખાંસી અને પેટના કીડા દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

5 / 6
ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે. તુરિયાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખે છે અને ગરમીને કારણે થતી ત્વચાની સમસ્યાઓ જેવી કે ફોડલીઓ, રેશા અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે.

ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે. તુરિયાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખે છે અને ગરમીને કારણે થતી ત્વચાની સમસ્યાઓ જેવી કે ફોડલીઓ, રેશા અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે.

6 / 6

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે પરમાણુ રેડિયેશન લીક થશે તો આ 8 દેશમાં મચશે હાહાકાર, શું ગુજરાત પર થશે અસર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">