Get Rid of Lizard : ઘરમાં આ પાણી છાંટી દો, ગરોળી, વંદો કે કીડી થશે છૂમંતર, જાણો
ઘરમાંથી વંદો અને ગરોળી કેવી રીતે દૂર કરવી? આવો વિચાર દરેકને આવતો હોય છે. જો તમે તમારા ઘરના ફ્લોર પર ગરોળી, વંદો, કીડીઓ અથવા જંતુઓ ફરતા જુઓ છો, તો તમારે હવે ચિંતા કરવાની જરુંર નથી.

ઘરમાં ગરોળી દેખાય આવી સ્થિતિમાં, ઘર સાફ કરવા દરમિયાન, તમે પાણીમાં કેટલીક વસ્તુઓ ભેળવી શકો છો અને ઘરના દરેક ખૂણાને આ પાણીથી સાફ કરી સમસ્યાથી છુટકારો મળશે.

તમને જણાવી દઈએ કે કાળા મરીનો પાવડર, લીમડાનું તેલ અને કપૂર, ત્રણેય જંતુઓને ભગાડવામાં ખૂબ ઉપયોગી છે. આ સાથે જ ઘરને પાણી વડે સાફ કરતી વખતે પાણીમાં પીસેલું કપૂર ભેળવી દો.

પાણીમાં પીસેલા કાળા મરી અને લીમડાનું તેલ ઉમેરો. હવે તૈયાર કરેલા મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તે પાણીથી ઘર સાફ કરો. આમ કરવાથી, ગરોળી અને અન્ય જંતુઓ તમારા ઘરમાં દેખાશે નહીં.

આ ઉપરાંત, જો દિવાલો પર ગરોળી અને જંતુઓ દેખાય, તો લીમડાનું તેલ, કપૂર પાવડર અને કાળા મરી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને...આ ત્રણેયનું તૈયાર મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને દિવાલો પર સ્પ્રે કરો. આમ કરવાથી ગરોળી, વંદો, કીડીઓ અને અન્ય જંતુઓ ભાગી જશે.

તમને જણાવી દઈએ કે કોફી અને તમાકુની ગોળીઓ ગરોળીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં, પાણી અથવા ઘીમાં બંનેનો પાવડર ઉમેરીને ગોળીઓ બનાવો. હવે તેને ઘરના દરેક ખૂણામાં રાખો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image - Canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
