મૃત્યુ પછી શબને એકલું છોડવું કેમ માનવામાં આવે છે અશુભ ? ગરુડ પુરાણમાં છુપાયેલું છે આ રહસ્ય
સનાતન ધર્મમાં મૃત્યુ પછીના સંસ્કારોનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણ મુજબ, જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી મૃતદેહની રક્ષા કરવી અનિવાર્ય છે. શું તેની પાછળ માત્ર ધાર્મિક માન્યતા છે કે પછી કોઈ વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ? આ પરંપરા સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો જાણવા વાંચો આ અહેવાલ.

ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જેણે આ સંસારમાં જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આત્મા પોતાના કર્મોના આધારે અલગ-અલગ યોનિઓમાં જન્મ લે છે અને આ ચક્ર મોક્ષની પ્રાપ્તિ સુધી ચાલ્યા કરે છે. આ ગ્રંથમાં આત્માની યાત્રા અને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા અનેક કડક નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે મૃતદેહને ક્યારેય એકલો ન છોડવો.

મૃતદેહની રક્ષા અને સુરક્ષા: શબને એકલું ન છોડવા પાછળનું સૌથી મોટું વ્યવહારિક કારણ તેની સુરક્ષા છે. જો મૃતદેહ લાંબા સમય સુધી દેખરેખ વગર રહે તો કીડીઓ, મંકોડા કે અન્ય જીવજંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આથી જ પરિવારનો કોઈ સભ્ય સતત શબની પાસે બેસીને તેની રક્ષણ કરે છે.

નકારાત્મક શક્તિઓનો ભય: ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાત્રિના સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે. એવી માન્યતા છે કે જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે, તો ભટકતી આત્માઓ કે નકારાત્મક ઉર્જા તે શરીરમાં પ્રવેશ કરી શકે છે, જેની અસર પરિવાર પર પણ પડી શકે છે.

આત્માનું શરીર સાથેનું જોડાણ: ગરુડ પુરાણ જણાવે છે કે જ્યાં સુધી અંતિમ સંસ્કાર પૂર્ણ ન થાય, ત્યાં સુધી આત્માનો મોહ પોતાના શરીર સાથે જોડાયેલો રહે છે. આત્મા તેની આસપાસની ગતિવિધિઓ અને સ્વજનોને અનુભવી શકે છે. આવા સમયે શબને એકલું છોડવું તે આત્માને દુઃખ પહોંચાડવા સમાન માનવામાં આવે છે, તેથી સ્વજનો પ્રાર્થના અને સ્મરણ કરતા ત્યાં બેસે છે.

દીવો અને ધૂપનું મહત્વ: પ્રાચીન કાળથી જ મૃતદેહ પાસે દીવો અને ધૂપ પ્રગટાવવાની પરંપરા છે. આ પાછળનો હેતુ વાતાવરણને શુદ્ધ રાખવાનો અને નકારાત્મકતાને દૂર કરવાનો છે. પ્રકાશ અને સુગંધ વાતાવરણમાં પવિત્રતા જાળવી રાખે છે, જે આત્માની ગતિ માટે પણ શુભ માનવામાં આવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે
Breaking News: ઈન્ટરનેટ જગતમાં આ સમાચારે મચાવ્યો ખળભળાટ, એક જ ઝટકે WhatsAppથી UPI સુધી બધું જ બંધ થઈ જશે ?
