શું ખરેખર આકાશમાંથી માછલીઓનો વરસાદ થઈ શકે છે ? જાણો સાયન્સ શું કહે છે
ચોમાસાની શરૂઆત સાથે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ તમે કોઈને કહેતા સાંભળ્યા હશે કે માછલીઓનો વરસાદ થયો, તો શું ખરેખર માછલીઓનો વરસાદ થાય છે? ચાલો જાણીએ સાયન્સ શું કહે છે.

દુનિયામાં આવા ઘણા રહસ્યો છે, જે હજુ પણ અકબંધ છે. તેમાંથી એક છે આકાશમાંથી માછલીઓનો વરસાદ થવો. ખાસ કરીને ચોમાસા દરમિયાન, લોકો કહે છે કે વરસાદની સાથે, માછલીઓ પણ આકાશમાંથી જમીન પર પડે છે.

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું માછલીઓ પણ વરસાદ થાય છે? ચાલુ જાણીએ સત્ય અને આમ થાય છે તો કેમ થાય છે તેના વિશે.

માછલીઓ ચોક્કસપણે વરસાદના પાણી સાથે આકાશમાંથી પડે છે. નિષ્ણાતોના મતે, માત્ર માછલીઓ જ નહીં પરંતુ દેડકા, કાચબા અને કરચલા જેવા જળચર પ્રાણીઓ પણ આકાશમાંથી પડે છે.

વાસ્તવમાં, આકાશમાંથી માછલીઓનો વરસાદ પાછળનું સૌથી મોટું કારણ વાવાઝોડું માનવામાં આવે છે.

સમુદ્ર પાર કરતી વખતે અથવા સમુદ્રના તળની નજીક, વાવાઝોડું પાણીના ભયંકર તોફાનમાં ફેરવાય છે. પાણીના તોફાનને કારણે, પવન માછલીઓ, દેડકા જેવા પ્રાણીઓને ખેંચીને પાણીની સપાટી પર અથવા સમુદ્રની નજીક લઈ જાય છે.

તમને જણાવી દઈએ કે જેમ વાવાઝોડું જમીન પરથી હલકી વસ્તુઓને ઉડાડી દે છે, તેવી જ રીતે પાણીની નજીક ઉડતું વાવાઝોડું પાણીમાં રહેલા હળવા જીવો સાથે ઘણી વસ્તુઓને ઉપર ખેંચી લે છે.

વાવાઝોડા સાથે ઉડતા જીવો ક્યારેક આકાશમાં પહોંચે છે અને જ્યારે પવનની ગતિ ધીમી પડે છે, ત્યારે આ વાવાઝોડા આકાશમાં જ્યાં પણ હોય ત્યાં મુશળધાર વરસાદ સાથે માછલી અને દેડકા જેવા જીવને પણ નીચે પાડી દે છે.

આમ સમુદ્રમાંથી વાવાઝોડામા ખેચાંઈ આવેલા જીવો પવનની ગતિ ધીમી થાય છે ત્યારે જીવો વરસાદની સાથે જમીન પર પડે છે.
Phone Tips: વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો શું કરવું અને શું ન કરવું? આ જાણી લેજો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
