Dengue Diet: ડેન્ગ્યુના દર્દીએ આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો થઈ જશો હેરાન
ડેન્ગ્યુના દર્દીએ ખોરાકનું (Dengue Diet) વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરકમાં બેદરકારી રાખશો તો તમે હેરાન થઈ શકો છો. જાણો ડેન્ગ્યુ થયો હોય તે દરમિયાન કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ.

બદલાતી સિઝનમાં ડેન્ગ્યુનું જોખમ સામાન્ય રીતે વધી જાય છે. આ રોગ મચ્છર કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુથી તાવ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, થાક, ઉલ્ટી અને સ્કિન પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થાય છે. આવી પરિસ્થિતિમાં ખોરાકનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. અહીં જાણો ડેન્ગ્યુમાં કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

ફ્રાઈડ ફુડ - ડેન્ગ્યુના દર્દીઓએ ઓયલી અને ફ્રાઈડ ફુડનું સેવન ન કરવું જોઈએ. આ ખોરાક બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે. તેઓ કોલેસ્ટ્રોલ વધારે છે. આ દરમિયાન માત્ર હળવો ખોરાક લેવો જોઈએ.

કેફીન - ડેન્ગ્યુના દર્દીઓએ કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ. આનાથી વ્યક્તિ થાક અનુભવે છે. હૃદયના ધબકારા વધવા લાગે છે. માંસપેશીઓની તકલીફ શરૂ થાય છે. આવી પરિસ્થિતિમાં પપૈયાના પાનના રસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

નોન-વેજ - ડેન્ગ્યુના દર્દીઓએ નોન-વેજ ન ખાવું જોઈએ. તેને પચાવવું ખૂબ મુશ્કેલ છે. આનાથી દર્દીને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે. પાચન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. તેથી નોન-વેજ ન ખાવું જોઈએ.

મસાલેદાર ખોરાક - ડેન્ગ્યુના દર્દીએ મસાલેદાર ખોરાક પણ ન ખાવો જોઈએ. તેના સેવનથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે. તેનાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેથી મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.