CSKમાં અશ્વિનનું સ્થાન કોણ લેશે? આ 3 બોલર છે સૌથી મોટો દાવેદાર
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિને પણ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેની નિવૃત્તિ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝ પાસે ત્રણ ખેલાડીઓ હશે, જેમાંથી એક પર તે દાવ લગાવી શકે છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિન IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. હવે જ્યારે તે IPLમાંથી નિવૃત્ત થઈ ગયો છે, ત્યારે 2026ની સિઝન પહેલા ચેન્નાઈને એક ખેલાડીની જરૂર પડશે.

રવિચંદ્રન અશ્વિન બોલિંગ તેમજ બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો હતો અને તેની નિવૃત્તિ પછી, ચેન્નાઈ તેની ટીમને વધુ મજબૂત બનાવવા માંગશે અને ઓલરાઉન્ડ પ્રતિભા ધરાવતા ખેલાડીને અશ્વિનની જગ્યાએ ટીમમાં પસંદ કરી શકે છે.

ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ CSKમાં અશ્વિનનું સ્થાન લઈ શકે છે. અશ્વિનની જેમ, બ્રેસવેલ બેટિંગની સાથે બોલિંગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે નીચલા ક્રમમાં બેટિંગ કરે છે અને IPLમાં RCB માટે 5 મેચમાં છ વિકેટ અને 123.40ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવી ચૂક્યો છે.

આદિલ રાશિદ ખૂબ જ અનુભવી સ્પિનર છે. તેને T20 ક્રિકેટનો ઘણો અનુભવ છે. ભલે આદિલ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકતો નથી, પરંતુ તે ઘાતક બોલિંગ કરી CSKમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઘણી વખત જોવા મળ્યું છે કે CSKએ ટીમમાં અનુભવી ખેલાડીઓને સ્થાન આપ્યું છે. આદિલ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈનનું પ્રદર્શન T20 ક્રિકેટમાં પણ ખૂબ સારું રહ્યું છે. તેણે T20 ક્રિકેટમાં સતત સારી બોલિંગ કરી છે અને ઘણા ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. જો તક મળે તો, આ યુવા ખેલાડી ચેન્નાઈ માટે પણ શાનદાર બોલિંગ કરીને વિરોધી ટીમના ખેલાડીઓ પર દબાણ લાવવા માંગશે. (All Photo Credit : PTI / GETTY / X)
IPLમાંથી નિવૃત્તિ વાદ હવે અશ્વિન ક્રિકેટના મેદાનમાં રમતો જોવા નહીં મળે. ભવિષ્યમાં તે શું કરે છે તે જાણવા ફેન્સ ઉત્સાહિત છે. રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો.
