AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK ના સ્ટાર ઓલરાઉન્ડરે કરી દીધો કમાલ, T20માં પૂરી કરી ત્રિપલ સેંચુરી, IPL માં મચાવ્યો ધમાલ

ઇન્ડીયન પ્રીમીયર લીગની 2023ની સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હાર સાથે શરૂઆત કર્યા પછી પણ ટીમે અન્ય ટીમોને પાછળ છોડીને ટોચનો સ્થાન હાંસિલ કર્યો હતો. પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાવાળી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ટી20 ક્રિકેટમાં તે ભારત તરફથી ત્રિપલ સેન્ચુરી પૂર્ણ કરનાર ખેલાડી બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 11:47 PM
Share
ચેન્નઇ સુપર કિંગ્સે 2022માં આઇપીએલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2023માં શાનદાર વાપસી કરી છે. આ સીઝનમાં સીએસકે 7 મેચ બાદ પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 27 એપ્રિલની મેચ અગાઉ બીજા સ્થાન પર હતી.

ચેન્નઇ સુપર કિંગ્સે 2022માં આઇપીએલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2023માં શાનદાર વાપસી કરી છે. આ સીઝનમાં સીએસકે 7 મેચ બાદ પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ 27 એપ્રિલની મેચ અગાઉ બીજા સ્થાન પર હતી.

1 / 5
ચેન્નઇ સુપર કિંગ્સની રોજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ 2023ની 37મી ઘણી યાદગાર બની છે. ચેન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ ત્રિપલ સેન્ચુરી પૂરી કરી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે 8મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

ચેન્નઇ સુપર કિંગ્સની રોજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ 2023ની 37મી ઘણી યાદગાર બની છે. ચેન્નઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ ત્રિપલ સેન્ચુરી પૂરી કરી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે 8મો ભારતીય ક્રિકેટર બન્યો છે.

2 / 5
રોહિત શર્મા, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, આર અશ્વિન બાદ રવિન્દ્ર જાડેજા ભારત તરફથી 300 ટી20 મેચ રમનાર 8મા ખેલાડી બન્યા. ભારત તરફથી સૌથી વધુ ટી20 મેચ રોહિત શર્માએ રમી છે. બીજા સ્થાન પર દિનેશ કાર્તિક છે.

રોહિત શર્મા, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન, આર અશ્વિન બાદ રવિન્દ્ર જાડેજા ભારત તરફથી 300 ટી20 મેચ રમનાર 8મા ખેલાડી બન્યા. ભારત તરફથી સૌથી વધુ ટી20 મેચ રોહિત શર્માએ રમી છે. બીજા સ્થાન પર દિનેશ કાર્તિક છે.

3 / 5
 રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો.  વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો. વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

4 / 5
ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">