MS Dhoni : એમએસ ધોનીનું આગામી મેચ રમવાનું નક્કી નથી, શું IPL કરિયર થઈ ગયું સમાપ્ત?
છેલ્લા કેટલાક સિઝનથી એમએસ ધોનીની IPLમાંથી નિવૃત્તિ વિશે સતત અટકળો ચાલી રહી છે. સિઝનની શરૂઆતમાં જ્યારે તેના માતા-પિતા મેચ જોવા માટે ચેન્નાઈ સ્ટેડિયમ પહોંચ્યા હતા ત્યારે આવા પ્રશ્નો ઉભા થયા હતા. જો કે ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડના સાથેન ધોનીને ટીમની કપ્તાની મળી ત્યારે આ સવાલોનો અંત આવ્યો. પરંતુ પંજાબ સામેની મેચમાં ટોસ બાદ ધોનીએ કઈંક એવું કહ્યું જેનાથી ધોનીની નિવૃતિનો સવાલ ફરી ચર્ચાનો વિષય બની ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની આગામી IPL રમશે કે નહીં? દરેક સિઝનની જેમ, આ સિઝનમાં પણ આ પ્રશ્ન યથાવત છે. પરંતુ હવે ધોનીએ પોતાના જવાબથી બધાને ચોંકાવી દીધા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પહેલા ટોસ દરમિયાન, જ્યારે ધોનીને તેના ભવિષ્ય અને ખાસ કરીને આગામી IPL સિઝન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે 'કેપ્ટન કૂલે' તરત જ કહ્યું કે હાલમાં તેને ખબર નથી કે તે આગામી મેચ રમશે કે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ આ સિઝનની 49મી મેચમાં બુધવાર, 30 એપ્રિલના રોજ ચેપોક સ્ટેડિયમ ખાતે ટકરાયા હતા. આ મેચમાં ટોસ હાર્યા પછી, જ્યારે એમએસ ધોની વાતચીત માટે આવ્યો, ત્યારે કોમેન્ટેટર ડેની મોરિસને તેને તેના IPLમાં તેના ભવિષ્ય વિશે પૂછ્યું હતું.

મોરિસને કહ્યું, "શું આનો અર્થ એ છે કે તમે આગામી સિઝનમાં પણ પાછા ફરશો?" આના પર ધોનીએ કોઈ પણ વિલંબ કર્યા વિના કહ્યું, "હજી નક્કી નથી કે હું આગામી મેચ માટે આવીશ કે નહીં." આટલું કહ્યા પછી, ધોની હસવા લાગ્યો અને મોરિસન પણ પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શક્યો નહીં.

ધોનીએ મજાકમાં આ વાત કહી હતી, પરંતુ દર વખતની જેમ, તેના નિવેદનથી ચાહકોમાં હલચલ મચી ગઈ છે. હવે ચાહકોના મનમાં હંમેશા આ ડર રહેશે કે ધોની અચાનક IPLમાંથી નિવૃત્તિ લઈ લેશે.

જોકે, આ સિઝનમાં ચેન્નાઈની સ્થિતિ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે તે જોતા એવું લાગે છે કે ધોની આખી સિઝન રમશે. ગાયકવાડના બહાર થયા પછી ધોનીએ લગભગ 2 વર્ષ પછી ફરીથી CSKની કમાન સંભાળી છે.

જોકે, આ સિઝનમાં ધોનીના નિવૃત્તિના સમાચાર આ પહેલા પર ચર્ચામાં હતા. CSKની કમાન સંભાળતા પહેલા દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ધોનીના નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી.

આનું કારણ એ હતું કે તેના માતા-પિતા પહેલીવાર મેચ જોવા આવ્યા હતા. ધોનીના સમગ્ર કારકિર્દીમાં પહેલીવાર તેના માતા-પિતા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં, અફવાઓ ફેલાઈ હતી કે આ મેચ ધોનીની છેલ્લી IPL મેચ હશે, પરંતુ એવું બન્યું નહીં. (All Photo Credit : PTI)
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. CSKનું પ્લેઓફમાં પ્રવેશવું પણ ખૂબ જ મુશ્કેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































