AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : ગૌતમ ગંભીરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, રણનીતિ નહીં બદલી તો 27 વર્ષ બાદ શ્રીલંકામાં હારશે ભારત!

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચ બુધવારે કોલંબોમાં રમાશે. વનડે શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણી બચાવવા માટે ભારતીય ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. જો કે આ માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

| Updated on: Aug 06, 2024 | 5:42 PM
Share
ટીમ ઈન્ડિયાના ચાહકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની આટલી ખરાબ હાલત થશે. ભારતીય ટીમ હવે વનડે શ્રેણી તો જીતી નહીં જ શકે, પરંતુ હવે શ્રેણી હારવાની પરિસ્થિતિ આવી ગઈ છે.

ટીમ ઈન્ડિયાના ચાહકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની આટલી ખરાબ હાલત થશે. ભારતીય ટીમ હવે વનડે શ્રેણી તો જીતી નહીં જ શકે, પરંતુ હવે શ્રેણી હારવાની પરિસ્થિતિ આવી ગઈ છે.

1 / 5
કોલંબોમાં બીજી વનડે મેચ હાર્યા બાદ ભારતીય ટીમની આવી હાલત થઈ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે આ શ્રેણીમાં ભારે પડી છે.

કોલંબોમાં બીજી વનડે મેચ હાર્યા બાદ ભારતીય ટીમની આવી હાલત થઈ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે આ શ્રેણીમાં ભારે પડી છે.

2 / 5
ODI સિરીઝમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી વનડેની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા.

ODI સિરીઝમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી વનડેની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા.

3 / 5
પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

4 / 5
ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

5 / 5
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
g clip-path="url(#clip0_868_265)">