AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષ બાદ થયા છૂટાછેડા, ફ્લોપ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરનાર 4 બાળકોના પિતાનો આવો છે પરિવાર

અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972 ના રોજ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં થયો હતો. તે આર્મી પરિવારમાંથી આવે છે.અર્જુનને કોમલ રામપાલ નામની એક નાની બહેન છે. તો આજે અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો

| Updated on: May 09, 2025 | 7:34 AM
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તેમને કોઈ પરિચયની જરૂર નથી. પોતાના અભિનયની સાથે સાથે, તે કેટલીક વખત પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે તેમને કોઈ પરિચયની જરૂર નથી. પોતાના અભિનયની સાથે સાથે, તે કેટલીક વખત પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

1 / 14
 તેમના નાના બ્રિગેડિયર ગુરદયાલ સિંહ જેમણે સ્વતંત્રતા પછી ભારતીય સેના માટે પ્રથમ આર્ટિલરી ગન ડિઝાઇન કરી હતી.જેનો ઉપયોગ કારગિલ યુદ્ધમાં થયો હતો, અર્જુનના પિતા, અમરજીત રામપાલ અને તેમની માતાનું નામ ગ્વેન રામપાલ છે.

તેમના નાના બ્રિગેડિયર ગુરદયાલ સિંહ જેમણે સ્વતંત્રતા પછી ભારતીય સેના માટે પ્રથમ આર્ટિલરી ગન ડિઝાઇન કરી હતી.જેનો ઉપયોગ કારગિલ યુદ્ધમાં થયો હતો, અર્જુનના પિતા, અમરજીત રામપાલ અને તેમની માતાનું નામ ગ્વેન રામપાલ છે.

2 / 14
અર્જુન રામપાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અર્જુન રામપાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 14
અર્જુન રામપાલના નાનાએ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ બંનેમાં દેશની સેવા કરી હતી. આજે અમે અર્જુન રામપાલના પરિવાર વિશે એવી વાતો કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા લોકો જાણતા નહીં હોય.

અર્જુન રામપાલના નાનાએ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ બંનેમાં દેશની સેવા કરી હતી. આજે અમે અર્જુન રામપાલના પરિવાર વિશે એવી વાતો કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા લોકો જાણતા નહીં હોય.

4 / 14
 અર્જુનના પિતા બ્રાહ્મણ હતા, જ્યારે તેની માતા શીખ અને ડચ છે. આ જ કારણ છે કે અર્જુન બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓ સાથે જોડાયેલો રહ્યો છે અને એક એવા પરિવારમાં મોટો થયો છે જ્યાં ક્રિસમસથી લઈને દિવાળી અને ઈદ સુધીની દરેક તહેવાર પરિવારમાં ઉજવવામાં આવતો હતો.

અર્જુનના પિતા બ્રાહ્મણ હતા, જ્યારે તેની માતા શીખ અને ડચ છે. આ જ કારણ છે કે અર્જુન બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓ સાથે જોડાયેલો રહ્યો છે અને એક એવા પરિવારમાં મોટો થયો છે જ્યાં ક્રિસમસથી લઈને દિવાળી અને ઈદ સુધીની દરેક તહેવાર પરિવારમાં ઉજવવામાં આવતો હતો.

5 / 14
અર્જુન રામપાલનું બાળપણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તે નાનો હતો ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. જે પછી તેની માતા તેને પોતાની સાથે નાસિક લઈ ગઈ, જ્યાં તે શિક્ષિકા તરીકે કામ કરતી હતી.

અર્જુન રામપાલનું બાળપણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તે નાનો હતો ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. જે પછી તેની માતા તેને પોતાની સાથે નાસિક લઈ ગઈ, જ્યાં તે શિક્ષિકા તરીકે કામ કરતી હતી.

6 / 14
 અભિનેતા અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર, 1972ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો અને તેમનું સાચું નામ અમરજીત રામપાલ છે

અભિનેતા અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર, 1972ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો અને તેમનું સાચું નામ અમરજીત રામપાલ છે

7 / 14
અર્જુને મહારાષ્ટ્રના દેવલાલીમાં સેન્ટ પેટ્રિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી અને આ દરમિયાન તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું હતુ.

અર્જુને મહારાષ્ટ્રના દેવલાલીમાં સેન્ટ પેટ્રિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી અને આ દરમિયાન તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું હતુ.

8 / 14
અર્જુને દિલ્હીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો. આ સાથે તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું. આજે જાણો કેવી રીતે મોડેલિંગની દુનિયાના એક સામાન્ય છોકરાએ બોલિવૂડમાં શાનદાર ફિલ્મો કરવાનું શરૂ કર્યું.

અર્જુને દિલ્હીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો. આ સાથે તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું. આજે જાણો કેવી રીતે મોડેલિંગની દુનિયાના એક સામાન્ય છોકરાએ બોલિવૂડમાં શાનદાર ફિલ્મો કરવાનું શરૂ કર્યું.

9 / 14
અર્જુન રામપાલે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તેમનો પરિવાર ભારતીય સેના સાથે સંકળાયેલો હતો. તેમણે પોતાની પહેલી ફિલ્મ 2001માં કરી હતી.

અર્જુન રામપાલે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તેમનો પરિવાર ભારતીય સેના સાથે સંકળાયેલો હતો. તેમણે પોતાની પહેલી ફિલ્મ 2001માં કરી હતી.

10 / 14
એક જૂના ઇન્ટરવ્યુમાં, અર્જુને પોતાના જૂના જીવનને યાદ કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે તેની પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા. આ સમય દરમિયાન તેના મકાનમાલિકે તેને ઘણી મદદ કરી હતી.

એક જૂના ઇન્ટરવ્યુમાં, અર્જુને પોતાના જૂના જીવનને યાદ કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે તેની પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા. આ સમય દરમિયાન તેના મકાનમાલિકે તેને ઘણી મદદ કરી હતી.

11 / 14
અનેક ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, શાહરૂખ ખાનની 2006 માં આવેલી ફિલ્મ 'ડોન' એ તેના કરિયરને હિટ બનાવ્યું. આ પછી, તેમને 'રોક ઓન' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. એકવાર અર્જુન રામપાલ દિલ્હીમાં એક પાર્ટીમાં ગયો હતો. પણ તેને ખબર નહોતી કે આ પાર્ટીમાં તેનું નસીબ ચમકવાનું છે. ફેમસ ફેશન ડિઝાઇનર રોહિત બાલની નજર અર્જુન પર પડી. જે પછી તેણે અર્જુનને મોડેલિંગ કરવાની ઓફર કરી. રોહિતની મદદથી, અર્જુન મોડેલિંગની દુનિયામાં એક જાણીતું નામ બની ગયું.

અનેક ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, શાહરૂખ ખાનની 2006 માં આવેલી ફિલ્મ 'ડોન' એ તેના કરિયરને હિટ બનાવ્યું. આ પછી, તેમને 'રોક ઓન' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. એકવાર અર્જુન રામપાલ દિલ્હીમાં એક પાર્ટીમાં ગયો હતો. પણ તેને ખબર નહોતી કે આ પાર્ટીમાં તેનું નસીબ ચમકવાનું છે. ફેમસ ફેશન ડિઝાઇનર રોહિત બાલની નજર અર્જુન પર પડી. જે પછી તેણે અર્જુનને મોડેલિંગ કરવાની ઓફર કરી. રોહિતની મદદથી, અર્જુન મોડેલિંગની દુનિયામાં એક જાણીતું નામ બની ગયું.

12 / 14
1998માં, અર્જુન રામપાલે મોડેલ મેહર જેસિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેને બે દીકરીઓ છે, માહિયા અને માયરા. પરંતુ લગ્નના 20 વર્ષ પછી 2018માં, બંનેએ અચાનક અલગ થવાનો નિર્ણય લીધો. આ સમાચારથી બોલિવૂડ સહિત તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. અર્જુન અને મેહરના છૂટાછેડાનું કારણ ગેબ્રિએલાને માનવામાં આવે છે. અર્જુને ગેબ્રિએલા સાથે લગ્ન કર્યા નથી પરંતુ તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં છે

1998માં, અર્જુન રામપાલે મોડેલ મેહર જેસિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેને બે દીકરીઓ છે, માહિયા અને માયરા. પરંતુ લગ્નના 20 વર્ષ પછી 2018માં, બંનેએ અચાનક અલગ થવાનો નિર્ણય લીધો. આ સમાચારથી બોલિવૂડ સહિત તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. અર્જુન અને મેહરના છૂટાછેડાનું કારણ ગેબ્રિએલાને માનવામાં આવે છે. અર્જુને ગેબ્રિએલા સાથે લગ્ન કર્યા નથી પરંતુ તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં છે

13 / 14
અર્જુન રામપાલને મેહર જેસિયા સાથેના પહેલા લગ્નથી બે પુત્રીઓ, મહિકા અને માયરા અને તેમની હાલની લિવ-ઇન રિલેશનશિપથી ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સથી બે પુત્રો, એરિક અને આરવ છે.

અર્જુન રામપાલને મેહર જેસિયા સાથેના પહેલા લગ્નથી બે પુત્રીઓ, મહિકા અને માયરા અને તેમની હાલની લિવ-ઇન રિલેશનશિપથી ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સથી બે પુત્રો, એરિક અને આરવ છે.

14 / 14

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">