AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA 2022: IIFA એવોર્ડ્સમાં સેલિબ્રિટીઝ રેડને બદલે ગ્રીન કાર્પેટ પર કેમ ચાલે છે? 15 વર્ષ પહેલા આ કારણે બદલાયો કાર્પેટનો રંગ

દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આઈફા એવોર્ડનું (IIFA Awards) આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ ફંક્શનમાં પર્યાવરણને બચાવવા રેડ કાર્પેટને બદલે ગ્રીન કાર્પેટનો ઉપયોગ 2007થી કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 2:54 PM
Share
દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આઈફા એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આઈફા 2022નું આયોજન 4 જૂને અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. એવોર્ડનું નામ સાંભળતા જ મગજમાં રેડ કાર્પેટ પર ચાલતી સેલિબ્રિટીઝની તસવીર ઉભરી આવે છે. પણ અહીં એવું બિલકુલ નથી. અહીં સેલિબ્રિટીઓ રેડ પર નહીં પણ ગ્રીન કાર્પેટ પર વોક કરે છે. આનું પણ એક કારણ છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આઈફા એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આઈફા 2022નું આયોજન 4 જૂને અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. એવોર્ડનું નામ સાંભળતા જ મગજમાં રેડ કાર્પેટ પર ચાલતી સેલિબ્રિટીઝની તસવીર ઉભરી આવે છે. પણ અહીં એવું બિલકુલ નથી. અહીં સેલિબ્રિટીઓ રેડ પર નહીં પણ ગ્રીન કાર્પેટ પર વોક કરે છે. આનું પણ એક કારણ છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

1 / 5
કાર્પેટનો રંગ લાલથી લીલા કરવાનો નિર્ણય 15 વર્ષ પહેલાં આઈફા એટલે કે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં લેવામાં આવ્યો હતો. વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન પ્લાનેટનો સંદેશ આપવા માટે તેનો રંગ બદલવામાં આવ્યો હતો. 2007માં યુકેના શેફિલ્ડમાં IIFAનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કાર્પેટનો રંગ પ્રથમ વખત બદલાયો હતો.

કાર્પેટનો રંગ લાલથી લીલા કરવાનો નિર્ણય 15 વર્ષ પહેલાં આઈફા એટલે કે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં લેવામાં આવ્યો હતો. વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન પ્લાનેટનો સંદેશ આપવા માટે તેનો રંગ બદલવામાં આવ્યો હતો. 2007માં યુકેના શેફિલ્ડમાં IIFAનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કાર્પેટનો રંગ પ્રથમ વખત બદલાયો હતો.

2 / 5
IIFAના આયોજકે કહ્યું, આ એવોર્ડ હંમેશા પર્યાવરણ માટે વધુ સારો સંદેશ આપવા માંગે છે. ફિલ્મ સ્ટાર્સ અને એવોર્ડ ચાહકો આ સંદેશને સમગ્ર વિશ્વમાં લઈ જવા માંગે છે. આઈફાની આ પહેલને સમગ્ર વિશ્વમાં સમર્થન મળ્યું હતું અને તેની ખૂબ ચર્ચા થઈ હતી.

IIFAના આયોજકે કહ્યું, આ એવોર્ડ હંમેશા પર્યાવરણ માટે વધુ સારો સંદેશ આપવા માંગે છે. ફિલ્મ સ્ટાર્સ અને એવોર્ડ ચાહકો આ સંદેશને સમગ્ર વિશ્વમાં લઈ જવા માંગે છે. આઈફાની આ પહેલને સમગ્ર વિશ્વમાં સમર્થન મળ્યું હતું અને તેની ખૂબ ચર્ચા થઈ હતી.

3 / 5
IIFA એવોર્ડની શરૂઆત 22 વર્ષ પહેલા વિઝક્રાફ્ટ ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. 2000 માં લંડનમાં પ્રથમ IIFA એવોર્ડ્સ યોજાયો હતો. ત્યારપછી દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તેનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે.

IIFA એવોર્ડની શરૂઆત 22 વર્ષ પહેલા વિઝક્રાફ્ટ ઈન્ટરનેશનલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. 2000 માં લંડનમાં પ્રથમ IIFA એવોર્ડ્સ યોજાયો હતો. ત્યારપછી દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં આ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તેનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે.

4 / 5
આઈફા એવોર્ડ્સ અત્યાર સુધીમાં દુબઈ, બેંગકોક, ન્યુયોર્ક, કોલંબો, એમ્સ્ટરડેમ, મેડ્રિડ, ફ્લોરિડા, કુઆલાલંપુર અને મકાઉમાં યોજાયો છે. અભિનેતા સલમાન ખાન આ વર્ષે આઈફા એવોર્ડમાં હોસ્ટિગ કરી કરી રહ્યો છે.

આઈફા એવોર્ડ્સ અત્યાર સુધીમાં દુબઈ, બેંગકોક, ન્યુયોર્ક, કોલંબો, એમ્સ્ટરડેમ, મેડ્રિડ, ફ્લોરિડા, કુઆલાલંપુર અને મકાઉમાં યોજાયો છે. અભિનેતા સલમાન ખાન આ વર્ષે આઈફા એવોર્ડમાં હોસ્ટિગ કરી કરી રહ્યો છે.

5 / 5
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">