Budget 2025 : બજેટમાં 2 ઘરના માલિકોને મોટી રાહત, હવે તેમને આ લાભ મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ જગત સુધી, બધા આ બજેટની રાહ જોઈ રહ્યા હતા. મોંઘવારી અને કરવેરા સાથે, સરકાર દ્વારા મધ્યમ વર્ગ માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સામાન્ય બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ જગત સુધી બધા આ બજેટની રાહ જોઈ રહ્યા હતા. મોંઘવારી અને કરવેરા સાથે, સરકાર દ્વારા મધ્યમ વર્ગ માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. આ વર્ષનું બજેટ પણ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ હતુ.

1 ફ્રેબુઆરી શનિવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતુ. જેની પાસે 2 ઘર છે, તેમને મોટી રાહત આપવામાં આવી છે.આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. Self-occupied ઘરમાં પણ ટેક્સમાં રાહત આપવામાં આવી છે.

હાલમાં, ભારતીય કર પ્રણાલી વ્યક્તિને ફક્ત એક જ ઘરને સ્વ-કબજાવાળી(Self-Occupied Properties) મિલકત તરીકે ગણવાની મંજૂરી આપે છે, જ્યારે બીજી મિલકત ભાડાની આવકના આધારે ટેક્સ લગાવવામાં આવે છે, પછી ભલે તે રહેણાંક હોય.

હવે બંને ઘરોને (Self-Occupied Properties) ઘર તરીકે ગણવામાં આવશે. બજેટમાં આ ફેરફાર કરવામાં આવતાં 2 ઘરમાં રહેતા લોકો માટે રાહત થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે 2 ઘર છે અને બંનેમાં રહે છે, તો બંને ઘરોને સ્વ-કબજાવાળી મિલકતો તરીકે ગણી શકાય, અને તેમને ભાડાની આવક પર કર ચૂકવવો પડશે નહીં.

આ રાહત એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે જેમની પાસે બે ઘર છે, અને તેઓ હવે બંને ઘરો પર ટેક્સ રાહત મેળવી શકે છે. આનાથી તે લોકોને ફાયદો થશે જેઓ એક ઘરમાં રહે છે અને બીજા ઘરમાં ભાડે નથી આપતા પરંતુ તેનો ઉપયોગ પરિવાર માટે કરે છે.
સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે ? બજેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































