AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Ahmedabad : અમદાવાદના જન્મ દિવસે નિહાળો બેજોડ શિલ્પ, સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા  સ્થળો

અમદાવાદ શહેરનો 26 ફેબ્રુઆરીએ જન્મ દિવસ છે. અમદાવાદ  શહેર અદભુત સ્થાપત્ય અને એતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનોથી ભરપુર છે. જેમાં પણ અમદાવાદ શહેરમાં મુસ્લિમ શાસકોના સમયમાં તે સમયના શ્રેષ્ઠ કારીગરોએ કેટલાંક મહત્વના સ્થળોનું  નિર્માણ કર્યું  હતું . તેમજ  તે સિવાય પણ  અન્ય સ્થાપત્યોનું  અમદાવાદ શહેરમાં નિર્માણ થયું છે . જે આજે પણ તેના  જુના  શિલ્પ સ્થાપત્યઅને ઐતિહાસિકતાને લીધે જાણીતાં છે.આવો  જાણીએ અમદાવાદના આવા જ કેટલાંક ઐતિહાસિક સ્થળો વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 10:40 PM
Share
ભદ્રનો કિલ્લો - અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભદ્રના  કિલ્લાને શહેરના હદયનું  બિરુદ આપવામાં આવ્યું છે. આ કિલ્લામાં જ નગરદેવી તરીકે  પૂજાતા ભદ્રકાળી માતાજીનું  મંદિર આવેલું છે. આ કિલ્લાનું  ક્ષેત્રફળ ૪૩ એકર  છે તેમાં ૧૪ બુર્જ  છે. જો કે  જર્જરિત થયેલા આ કિલ્લાનું  હાલ પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે.

ભદ્રનો કિલ્લો - અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભદ્રના  કિલ્લાને શહેરના હદયનું  બિરુદ આપવામાં આવ્યું છે. આ કિલ્લામાં જ નગરદેવી તરીકે  પૂજાતા ભદ્રકાળી માતાજીનું  મંદિર આવેલું છે. આ કિલ્લાનું  ક્ષેત્રફળ ૪૩ એકર  છે તેમાં ૧૪ બુર્જ  છે. જો કે  જર્જરિત થયેલા આ કિલ્લાનું  હાલ પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે.

1 / 6
જુમ્મા  મસ્જિદ- અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજાથી અગ્નિ ખૂણા તરફ અને માણેકચોક જતા પૂર્વે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદનું  નિર્માણ અહમદશાહ બાદશાહે ઈ.સ.  ૧૪૨૪માં  કરાવ્યું  હતું. આ  મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો રોજ નમાઝ અદા કરે છે. તેમજ દર ઈદના દિવસે સમગ્ર રાજ્યમાંથી મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરવા આવે છે. આ  મસ્જિદ મુઘલકાળ દરમ્યાન કરાયેલા બેનમુન કલાકારીગરીને પ્રદર્શિત કરે છે. મસ્જિદની આસપાસ બનાવેલા મિનારા તેને વધુ કલાત્મક બનાવે  છે.

જુમ્મા  મસ્જિદ- અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજાથી અગ્નિ ખૂણા તરફ અને માણેકચોક જતા પૂર્વે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદનું  નિર્માણ અહમદશાહ બાદશાહે ઈ.સ.  ૧૪૨૪માં  કરાવ્યું  હતું. આ  મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો રોજ નમાઝ અદા કરે છે. તેમજ દર ઈદના દિવસે સમગ્ર રાજ્યમાંથી મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરવા આવે છે. આ  મસ્જિદ મુઘલકાળ દરમ્યાન કરાયેલા બેનમુન કલાકારીગરીને પ્રદર્શિત કરે છે. મસ્જિદની આસપાસ બનાવેલા મિનારા તેને વધુ કલાત્મક બનાવે  છે.

2 / 6
ઝુલતા મિનારા- અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે બે  ઝુલતા મિનારા પ્રચલિત છે.તેમાં પણ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા સીદી બશીરના ઝુલતા મીનારા છે. અને બીજા ગોમતીપુરમાં આવેલા રાણીના ઝુલતા મિનારા. જો કે આ બંનેમાં સીદી બશીરના ઝુલતા મિનારા વધુ પ્રચલિત છે. જેની ઉંચાઈ ૧૦૦ ફૂટ છે. જેમાં એક  મિનારો હલાવો તો બીજો મિનારો પણ આપોઆપ હલે છે. જો કે સ્થાપત્યના અદભુત નિયમ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ તથ્યો સામે આવ્યા નથી.

ઝુલતા મિનારા- અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે બે  ઝુલતા મિનારા પ્રચલિત છે.તેમાં પણ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા સીદી બશીરના ઝુલતા મીનારા છે. અને બીજા ગોમતીપુરમાં આવેલા રાણીના ઝુલતા મિનારા. જો કે આ બંનેમાં સીદી બશીરના ઝુલતા મિનારા વધુ પ્રચલિત છે. જેની ઉંચાઈ ૧૦૦ ફૂટ છે. જેમાં એક  મિનારો હલાવો તો બીજો મિનારો પણ આપોઆપ હલે છે. જો કે સ્થાપત્યના અદભુત નિયમ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ તથ્યો સામે આવ્યા નથી.

3 / 6
કાંકરિયા તળાવ-  અમદાવાદ શહેરમાં હાલ કાંકરિયા લેક ફ્રન્ટના નામે ઓળખાતું તળાવ કાંકરિયા પણ અદભુત શિલ્પકલાને પ્રદર્શિત કરતું બેજોડ શિલ્પ સ્થાપત્ય ધરાવે  છે. કાંકરિયા તળાવને  પણ  ઈ. સ. ૧૪૫૧માં અહમદશાહના પોત્ર સુલતાન કુતુબુદિને બંધાવ્યું હતું. તળાવનો ઘેરાવો ૨૧૪૩ વાર અને ૧૯૦ ફુટ લાંબી સરખી બાજુઓ છે.જો કે કાંકરિયાને હાલમાં લેકફ્રન્ટના નામે નવીન રૂપરંગ આપવામાં આવ્યા છે, હાલ તો અમદાવાદ શહેરનું સૌથી વ્યસ્ત પીકનીક સ્પોટ  બન્યું છે.

કાંકરિયા તળાવ- અમદાવાદ શહેરમાં હાલ કાંકરિયા લેક ફ્રન્ટના નામે ઓળખાતું તળાવ કાંકરિયા પણ અદભુત શિલ્પકલાને પ્રદર્શિત કરતું બેજોડ શિલ્પ સ્થાપત્ય ધરાવે  છે. કાંકરિયા તળાવને  પણ  ઈ. સ. ૧૪૫૧માં અહમદશાહના પોત્ર સુલતાન કુતુબુદિને બંધાવ્યું હતું. તળાવનો ઘેરાવો ૨૧૪૩ વાર અને ૧૯૦ ફુટ લાંબી સરખી બાજુઓ છે.જો કે કાંકરિયાને હાલમાં લેકફ્રન્ટના નામે નવીન રૂપરંગ આપવામાં આવ્યા છે, હાલ તો અમદાવાદ શહેરનું સૌથી વ્યસ્ત પીકનીક સ્પોટ  બન્યું છે.

4 / 6
 સરખેજ રોજા- કહેવામાં આવે  છે  કે રોજામાં  રોજ સરખેજ રોજા છે. સરખેજ રોજાએ એ સમગ્ર એશિયામાં તાજમહેલ પછીનું સૌથી મોટું ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ માનવામાં આવે  છે. આ રોજાનું  નિર્માણ ઈ.સ. ૧૪૪૬માં સુલતાન મુહમ્મદે શરુ કરાવ્યું  હતું. જે  ઈ.સ. ૧૪૫૧માં કુતુબુદીને  પૂર્ણ કરાવ્યું હતું. સરખેજ રોજાના મહમદ બેગડાનો મકબરો આવેલો છે.આ ઉપરાંત પણ ઘણા રાજાના મકબરા છે. આ ઉપરાંત સુફી સંત અહમદ ખટુ ગંજ બક્ષની મજાર પણ આવેલી છે. માનવામાં આવે  છે કે અહમદશાહ બાદશાહે જે સાત અહમદના હાથે  અહમદઆબાદ આજનું અમદાવાદ શહેરની નીંવ મૂકી હતી તેમાંના તે એક અહમદ હતા. સરખેજ રોજાની કોતરણી કલા બેજોડ છે. આ ઉપરાંત  તળાવ અને રાજારાણીનો મહેલ પણ જોવાલાયક છે.

 સરખેજ રોજા- કહેવામાં આવે  છે  કે રોજામાં  રોજ સરખેજ રોજા છે. સરખેજ રોજાએ એ સમગ્ર એશિયામાં તાજમહેલ પછીનું સૌથી મોટું ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ માનવામાં આવે  છે. આ રોજાનું  નિર્માણ ઈ.સ. ૧૪૪૬માં સુલતાન મુહમ્મદે શરુ કરાવ્યું  હતું. જે  ઈ.સ. ૧૪૫૧માં કુતુબુદીને  પૂર્ણ કરાવ્યું હતું. સરખેજ રોજાના મહમદ બેગડાનો મકબરો આવેલો છે.આ ઉપરાંત પણ ઘણા રાજાના મકબરા છે. આ ઉપરાંત સુફી સંત અહમદ ખટુ ગંજ બક્ષની મજાર પણ આવેલી છે. માનવામાં આવે  છે કે અહમદશાહ બાદશાહે જે સાત અહમદના હાથે  અહમદઆબાદ આજનું અમદાવાદ શહેરની નીંવ મૂકી હતી તેમાંના તે એક અહમદ હતા. સરખેજ રોજાની કોતરણી કલા બેજોડ છે. આ ઉપરાંત  તળાવ અને રાજારાણીનો મહેલ પણ જોવાલાયક છે.

5 / 6
સીદી સૈયદની ઝાળી- બેનમુન અને અજોડ કારીગરીને ઉજાગર કરતી સીદી સૈયદની ઝાળી અમદાવાદ શહેરની શાન બની ચુકી છે. આ ઝાળીની અદભુત કારીગરી અને અરેબીક ડીઝાઇન તેની આગવી ઓળખ છે. ખજૂરી કોતરણી અને તેમાં પણ અડધા પાન પરની કોતરણી વાળી  પાંચ ઝાળીઓ  છે. જો કે તેમાંથી એક ઝાળી અંગ્રેજો બ્રિટીશ મ્યુઝીયમમાં લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઝાળીના  સ્થાનને  તેને હાલ પથ્થરથી  પુરવામાં આવી છે.

સીદી સૈયદની ઝાળી- બેનમુન અને અજોડ કારીગરીને ઉજાગર કરતી સીદી સૈયદની ઝાળી અમદાવાદ શહેરની શાન બની ચુકી છે. આ ઝાળીની અદભુત કારીગરી અને અરેબીક ડીઝાઇન તેની આગવી ઓળખ છે. ખજૂરી કોતરણી અને તેમાં પણ અડધા પાન પરની કોતરણી વાળી  પાંચ ઝાળીઓ  છે. જો કે તેમાંથી એક ઝાળી અંગ્રેજો બ્રિટીશ મ્યુઝીયમમાં લઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઝાળીના  સ્થાનને  તેને હાલ પથ્થરથી  પુરવામાં આવી છે.

6 / 6
Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">