Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર: 500 વર્ષનો એ ઈતિહાસ મસ્જીદથી મંદિર સુધીની રાહ, જાણો પાંચ મિનિટમાં

રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે. રામલલા આજે પોતાના મહેલમાં બિરાજશે. આ માટે રામભક્તોએ લાંબી લડાઈ લડવી પડી હતી. ચાલો જાણીએ આ કેસમાં શું થયું.

રામ મંદિર: 500 વર્ષનો એ ઈતિહાસ મસ્જીદથી મંદિર સુધીની રાહ, જાણો પાંચ મિનિટમાં
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જાણો 500 વર્ષનો ઈતિહાસ
Follow Us:
| Updated on: Jan 22, 2024 | 10:34 AM

500 વર્ષની રાહનો આજે અંત આવી રહ્યો છે. શ્રી રામ લલ્લા અયોધ્યાના રામ મંદિરમાં પોતાના મહેલમાં બિરાજશે. સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. વિશ્વના ખૂણે ખૂણે વસેલા ભારતીય સમુદાયના લોકો શ્રી રામ લલ્લાના અભિષેક સમારોહની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ છે. કેટલીક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ રામ ભજન ગાવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આરતી-પૂજા થઈ રહી છે તો બીજી જગ્યાએ જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે.

રામ મંદિરનો મુદ્દો 500 વર્ષ જૂનો છે. તેની શરૂઆત ક્યારે થઈ અને કઈ તારીખે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, ચાલો જાણીએ.

  1. 1853માં અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર પ્રથમ વખત ધાર્મિક હિંસા થઈ હતી. અવધના નવાબ વાજિદ શાહના શાસન હેઠળ, નિર્મોહીઓએ (એક હિન્દુ સંપ્રદાય) દાવો કર્યો હતો કે બાબરના યુગમાં મસ્જિદ બનાવવા માટે એક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.
  2. છ વર્ષ પછી, અંગ્રેજોએ આ સ્થળને બે ભાગમાં વહેંચવા માટે વાડ ઉભી કરી. મુસ્લિમોને મસ્જિદની અંદર પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે બહારનો વિસ્તાર હિંદુઓના ઉપયોગ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
  3. જાન્યુઆરી 1885માં, મહંત રઘુબીર દાસે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં મસ્જિદની બહાર ઊભેલા પ્લેટફોર્મ રામચબૂતરા પર એક છત્રીના બાંધકામની મંજૂરી માંગવામાં આવી. જોકે, અરજી ફગાવી દેવામાં આવી હતી.
  4. 1949માં બાબરી મસ્જિદની અંદર ભગવાન રામની મૂર્તિ આવી હતી.ગોપાલ સિંહ વિશારદ નામના વ્યક્તિએ ફૈઝાબાદ કોર્ટમાં ભગવાનની પૂજા કરવા માટે અરજી કરી હતી. અયોધ્યાના રહેવાસી હાશિમ અંસારીએ કોર્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે મૂર્તિઓને હટાવીને તેને મસ્જિદ રહેવા દેવી જોઈએ. સરકારે સ્થળને તાળું મારી દીધું હતું પરંતુ પૂજારીઓને રોજ પૂજા કરવાની છૂટ હતી.
  5. અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી વધુ મુસ્લિમ
    એકમાત્ર મુસ્લિમ દેશ જેનો કેપ્ટન ઈસ્લામમાં માનતો નથી
    પ્રેમાનંદ મહારાજને આશ્રમમાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યા હતા ?
    પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
    Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
    શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
  6. 1961માં એક અરજદારે મુસ્લિમોને મિલકત પરત કરવાની વિનંતી કરતો કેસ દાખલ કર્યો હતો. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે બાબરી મસ્જિદને બોર્ડની સંપત્તિ જાહેર કરતા ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
  7. 1980ના દાયકામાં રામ મંદિરના નિર્માણ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પાર્ટી (VHP) ની આગેવાની હેઠળ એક સમિતિની સ્થાપના ભગવાન રામના જન્મસ્થળને મુક્ત કરાવવા અને તેમના સન્માનમાં મંદિર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
  8. 1986માં અયોધ્યા કોર્ટે હિંદુ પક્ષને રાહત આપી અને મસ્જિદમાં પૂજા કરવાની મંજૂરી આપી. હરિશંકર દુબેની અરજી પર, અયોધ્યામાં જિલ્લા ન્યાયાધીશે વિવાદિત મસ્જિદના દરવાજા ખોલવાનો આદેશ જારી કર્યો, જેમાં હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી. જેના જવાબમાં મુસ્લિમોએ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી હતી.
  9. કોર્ટના આદેશ બાદ રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હતો.
  10. કોર્ટના નિર્ણય પહેલા, વાર્ષિક પૂજા કરવાનો અધિકાર ફક્ત હિન્દુ પૂજારીને જ હતો, જો કે ચુકાદા બાદ તમામ હિંદુઓને સાઈટ પર પોંહચવાનો અધિકાર મળ્યો
  11. 1989માં VHPએ બાબરી મસ્જિદની બાજુમાં આવેલી જમીન પર રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યું. VHPના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ જસ્ટિસ દેવકી નંદન અગ્રવાલે મસ્જિદના ટ્રાન્સફરની વિનંતી કરતો કેસ દાખલ કર્યો હતો. આ પછી, ફૈઝાબાદ કોર્ટમાં પેન્ડિંગ ચાર કેસ હાઈકોર્ટની વિશેષ બેંચને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
  12. 1990માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં પાર્ટીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રામ મંદિર આંદોલનને સમર્થન જાહેર કરવાનો હતો.
  13. આ યાત્રામાં સંઘ પરિવાર સાથે સંકળાયેલા હજારો કાર સેવકો અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 25 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા અનેક ગામો અને શહેરોમાંથી પસાર થઈ હતી. દરરોજ લગભગ 300 કિલોમીટરનું અંતર કાપતી યાત્રાનું નેતૃત્વ કરનાર લાલ કૃષ્ણ અડવાણીએ એક જ દિવસમાં છ જાહેર રેલીઓને સંબોધિત કરી હતી.
  14. 23 ઓક્ટોબર 1990ના રોજ તત્કાલિન વડાપ્રધાન વીપી સિંહે બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવાની સત્તા આપી હતી. તત્કાલિન ભાજપ પ્રમુખને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
  15. 6 ડિસેમ્બર, 1992 ના રોજ, શિવસેના, વીએચપી અને ભાજપના નેતાઓની હાજરીમાં, કાર સેવકોએ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડી. આ પછી દેશભરમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા.
  16. 2003 માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ વિવાદિત સ્થળનું સર્વેક્ષણ કર્યું અને મસ્જિદની નીચે એક મહત્વપૂર્ણ હિંદુ સંકુલ હોવાના પુરાવા આપ્યા. જો કે મુસ્લિમ સંગઠનો આ અંગે અસહમત હતા.
  17. 2010 માં, અલ્હાબાદ હાઇકોર્ટે આ વિવાદ સાથે સંબંધિત ચાર ટાઇટલ દાવાઓ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે. એક તૃતીયાંશ હિંદુ મહાસભા દ્વારા પ્રતિનિધિત્વ કરતા રામલલાને ફાળવવો જોઈએ. એક તૃતીયાંશ ઇસ્લામિક વક્ફ બોર્ડને અને બાકીનો ત્રીજો નિર્મોહી અખાડાને. આ પછી ડિસેમ્બરમાં અખિલ ભારતીય હિંદુ મહાસભા અને સુન્ની વક્ફ બોર્ડ બંનેએ હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
  18. ત્રણ પક્ષકારો નિર્મોહી અખાડા, રામ લલ્લા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વહેંચવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.
  19. 9 નવેમ્બર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે પોતાનો ચુકાદો આપતાં, રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કરાયેલા ટ્રસ્ટને 2.77 એકરની વિવાદિત જમીન ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય કોર્ટે સરકારને મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને અલગ જગ્યાએ પાંચ એકર વૈકલ્પિક જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. પાંચ જજોની બેન્ચે આદેશ આપ્યો હતો જેનું નેતૃત્વ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા હતા. 17 નવેમ્બરે ચુકાદાના આઠ દિવસ બાદ જ તેઓ સેવામાંથી નિવૃત પણ થઈ ગયા
  20. રામ મંદિરના નિર્માણ માટે રચાયેલ ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં 15 સભ્યો છે.
  21. 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
g clip-path="url(#clip0_868_265)">