Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આજે ઝારખંડના પ્રવાસે, ગઢવા અને ચાઈબાસામાં કરશે ચૂંટણી રેલીઓ

પીએમ મોદીની ઝારખંડ મુલાકાતને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી અને ઝારખંડના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અહીં ત્રણ રાજકીય રેલીઓ યોજી હતી અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

PM મોદી આજે ઝારખંડના પ્રવાસે, ગઢવા અને ચાઈબાસામાં કરશે ચૂંટણી રેલીઓ
PM modi at jharkhand
Follow Us:
| Updated on: Nov 04, 2024 | 6:56 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને બે રેલીઓને સંબોધિત કરશે. આ રેલીઓ ચાઈબાસા અને ગઢવામાં યોજાશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પીએમ મોદી સવારે લગભગ 11 વાગ્યે બિહારના ગયા એરપોર્ટ પર પહોંચશે અને ગઢવામાં રેલીને સંબોધવા માટે હેલિકોપ્ટર દ્વારા ગઢવા જશે.

તેમણે કહ્યું કે, ગઢવામાં રેલીને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન રાંચી આવશે અને ત્યાંથી તેઓ ચાઈબાસા જશે. જ્યાં તેઓ લગભગ 2.30 વાગ્યે બીજી રેલીને સંબોધિત કરવાના છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 13 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

રાંચી પછી ચાઈબાસા જશે

પીએમ મોદીના ઝારખંડ પ્રવાસને લઈને બીજેપી નેતાએ કહ્યું કે, ગઢવાથી રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન રાંચી માટે રવાના થશે અને ત્યાંથી ચાઈબાસા જશે. તેમણે કહ્યું કે તેઓ બપોરે 2.30 વાગ્યે ચાઈબાસામાં બીજી રેલીને સંબોધિત કરશે.

ગિલ આઈપીએલની શુભ શરુઆત આ નવા બેટથી કરશે, જુઓ ફોટો
નીતા અંબાણીના પગે લાગ્યો આ ક્રિકેટર,જુઓ વીડિયો
DSLR કેમેરાનું પૂરું નામ શું છે, તે આટલો લોકપ્રિય કેમ છે?
Live કોન્સર્ટમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી નેહા કક્કર! લાગ્યા ગો બેકના નારા-Video
શું તમે hero Splendor નામનો અર્થ જાણો છો?
Vastu Tips: ઘરમાં મધમાખીનું મધપૂડો બનાવવું શુભ કે અશુભ? જાણો અહીં

પીએમ મોદીની ઝારખંડ મુલાકાતને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી અને ઝારખંડના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અહીં ત્રણ રાજકીય રેલીઓ યોજી હતી અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

સોરેન સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને સુરક્ષા આપી રહી છે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તે વોટ બેંકની રાજનીતિ માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપે છે. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે તો તે આદિવાસીઓની જમીન ગેરકાયદેસર વસાહતીઓને ટ્રાન્સફર થતી રોકવા માટે કડક કાયદો લાવશે.

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે

અમિત શાહે એવી પણ જાહેરાત કરી હતી કે, માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે અને આદિવાસી વસ્તીને અસર કર્યા વિના ઝારખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ઘાટસિલામાં ધાલભૂમગઢ ખાતે ભાજપની રેલીને સંબોધતા અમિત શાહે દાવો કર્યો હતો કે રાજ્યમાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે. કારણ કે હેમંત સોરેન સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોતાની વોટ બેંક માને છે.

g clip-path="url(#clip0_868_265)">