AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી-NCRમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જાણો કેમ આવી રહ્યા છે ભૂકંપના આંચકા અને નેપાળ સાથે શું છે કનેક્શન?

દિલ્હી એનસીઆરમાં આજે બપોરના 2.29 વાગ્યાને આસપાસ ભૂકંપના આંચકા અનુભવા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, નેપાળમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

દિલ્હી-NCRમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જાણો કેમ આવી રહ્યા છે ભૂકંપના આંચકા અને નેપાળ સાથે શું છે કનેક્શન?
earthquakes in amreli mitiyala
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 5:24 PM
Share

દેશની રાજધાનીમાં ફરી એકવાર બપોરના સમયે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેમાં ઉત્તર ભારતના વિવિધ ભાગોથી લઈને નેપાળ સુધી આચંકા અનુભવા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં કોઈ નુકસાનની પુષ્ટિ થઈ નથી પણ ટ્વિટર પર ઘણા લોકો એ પુષ્ટિ કરી રહ્યા છે કે તેઓએ જોરદાર આંચકાનો અનુભવ કર્યો છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં પણ ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. આ સાથે રૂદ્રપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘરોની બહાર આવી ગયા.

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા

દિલ્હી એનસીઆરમાં આજે બપોરના 2.29 વાગ્યાને આસપાસ ભૂકંપના આંચકા અનુભવા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર નેપાળમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક બિચિયા નામના સ્થળે હતું. જે નેપાળનો સુદૂર પશ્ચિમ પ્રાંત છે.

નેપાળમાં આવેલા આ ભૂકંપના આંચકા યુપીની રાજધાની લખનઉમાં પણ અનુભવાયા હતા. બપોરે લગભગ 2.30 વાગ્યે નેપાળથી લઈને દિલ્હી અને યુપી સુધીના ઘણા સ્થળોએ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના આ આંચકા લગભગ 30 સેકન્ડ સુધી રહ્યા હતા. જેના કારણે ઘણા લોકો ગભરાઈને પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા.

નેપાળ સાથે શું છે કનેક્શન?

એક રિપોર્ટ કહે છે કે નેપાળના કિસ્સામાં પણ આવું જ છે. અહીં રચાયેલા ભૂકંપના કેન્દ્રની અસર ભારતના તે ભાગો પર વધુ છે જે પહેલાથી જ સંવેદનશીલ વિસ્તારોમાં છે. નુકસાનની માત્રા તેની તીવ્રતા પર નિર્ભર રહેશે. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. તેથી જ ત્યાં કોઈ પણ પ્રકારનું ગંભીર નુકસાન થયું નથી.

મીડિયા રિપોર્ટમાં આઈઆઈટી કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગ એક્સપર્ટ પ્રો. જાવેદ એન મલિક કહે છે કે, હાલમાં હિમાલયની રેન્જમાં ટેકટોનિક પ્લેટ્સ અસ્થિર બની રહી છે. એટલા માટે આવનારા સમયમાં પણ આવા ભૂકંપ આવતા જ રહેશે. આ જ કારણ છે કે નેપાળમાં આવનારા ભૂકંપની અસર ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆર પર જોવા મળશે.

કેમ અવાર-નવાર અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા?

શા માટે દિલ્હી-એનસીઆરમાં વર્ષમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાય છે. આ અંગે IIT જમ્મુના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ચંદન ઘોષ કહે છે કે, દિલ્હી ઉત્તરીય ઝોનમાં છે. તેને ભૂકંપનો ઝોન-4 કહેવામાં આવે છે. જે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પર્યાવરણમાં ફેરફારને કારણે ભૂકંપના કેન્દ્રો પણ બદલાઈ રહ્યા છે. ટેકટોનિક પ્લેટોમાં ફેરફારને કારણે આવું થઈ રહ્યું છે.

તે કહે છે કે દિલ્હી હિમાલયની નજીક છે, જે ભારત અને યુરેશિયાની ટેકટોનિક પ્લેટોની બેઠક દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્લેટોમાં હિલચાલને કારણે દિલ્હી-એનસીઆર, કાનપુર અને લખનૌ જેવા શહેરો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. દિલ્હીની નજીક સોહના, મથુરા અને દિલ્હી-મુરાદાબાદ ત્રણ ફોલ્ટ લાઇન છે, જેના કારણે મોટા ભૂકંપની શક્યતા નકારી શકાય તેમ નથી.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">