AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી-NCRમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જાણો કેમ આવી રહ્યા છે ભૂકંપના આંચકા અને નેપાળ સાથે શું છે કનેક્શન?

દિલ્હી એનસીઆરમાં આજે બપોરના 2.29 વાગ્યાને આસપાસ ભૂકંપના આંચકા અનુભવા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, નેપાળમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

દિલ્હી-NCRમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જાણો કેમ આવી રહ્યા છે ભૂકંપના આંચકા અને નેપાળ સાથે શું છે કનેક્શન?
earthquakes in amreli mitiyala
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 5:24 PM
Share

દેશની રાજધાનીમાં ફરી એકવાર બપોરના સમયે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેમાં ઉત્તર ભારતના વિવિધ ભાગોથી લઈને નેપાળ સુધી આચંકા અનુભવા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં કોઈ નુકસાનની પુષ્ટિ થઈ નથી પણ ટ્વિટર પર ઘણા લોકો એ પુષ્ટિ કરી રહ્યા છે કે તેઓએ જોરદાર આંચકાનો અનુભવ કર્યો છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં પણ ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. આ સાથે રૂદ્રપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘરોની બહાર આવી ગયા.

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા

દિલ્હી એનસીઆરમાં આજે બપોરના 2.29 વાગ્યાને આસપાસ ભૂકંપના આંચકા અનુભવા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર નેપાળમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક બિચિયા નામના સ્થળે હતું. જે નેપાળનો સુદૂર પશ્ચિમ પ્રાંત છે.

નેપાળમાં આવેલા આ ભૂકંપના આંચકા યુપીની રાજધાની લખનઉમાં પણ અનુભવાયા હતા. બપોરે લગભગ 2.30 વાગ્યે નેપાળથી લઈને દિલ્હી અને યુપી સુધીના ઘણા સ્થળોએ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના આ આંચકા લગભગ 30 સેકન્ડ સુધી રહ્યા હતા. જેના કારણે ઘણા લોકો ગભરાઈને પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા.

નેપાળ સાથે શું છે કનેક્શન?

એક રિપોર્ટ કહે છે કે નેપાળના કિસ્સામાં પણ આવું જ છે. અહીં રચાયેલા ભૂકંપના કેન્દ્રની અસર ભારતના તે ભાગો પર વધુ છે જે પહેલાથી જ સંવેદનશીલ વિસ્તારોમાં છે. નુકસાનની માત્રા તેની તીવ્રતા પર નિર્ભર રહેશે. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. તેથી જ ત્યાં કોઈ પણ પ્રકારનું ગંભીર નુકસાન થયું નથી.

મીડિયા રિપોર્ટમાં આઈઆઈટી કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગ એક્સપર્ટ પ્રો. જાવેદ એન મલિક કહે છે કે, હાલમાં હિમાલયની રેન્જમાં ટેકટોનિક પ્લેટ્સ અસ્થિર બની રહી છે. એટલા માટે આવનારા સમયમાં પણ આવા ભૂકંપ આવતા જ રહેશે. આ જ કારણ છે કે નેપાળમાં આવનારા ભૂકંપની અસર ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆર પર જોવા મળશે.

કેમ અવાર-નવાર અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા?

શા માટે દિલ્હી-એનસીઆરમાં વર્ષમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાય છે. આ અંગે IIT જમ્મુના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ચંદન ઘોષ કહે છે કે, દિલ્હી ઉત્તરીય ઝોનમાં છે. તેને ભૂકંપનો ઝોન-4 કહેવામાં આવે છે. જે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પર્યાવરણમાં ફેરફારને કારણે ભૂકંપના કેન્દ્રો પણ બદલાઈ રહ્યા છે. ટેકટોનિક પ્લેટોમાં ફેરફારને કારણે આવું થઈ રહ્યું છે.

તે કહે છે કે દિલ્હી હિમાલયની નજીક છે, જે ભારત અને યુરેશિયાની ટેકટોનિક પ્લેટોની બેઠક દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્લેટોમાં હિલચાલને કારણે દિલ્હી-એનસીઆર, કાનપુર અને લખનૌ જેવા શહેરો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. દિલ્હીની નજીક સોહના, મથુરા અને દિલ્હી-મુરાદાબાદ ત્રણ ફોલ્ટ લાઇન છે, જેના કારણે મોટા ભૂકંપની શક્યતા નકારી શકાય તેમ નથી.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">