AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ

India-EU Relations: આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ
EU-India Image Credit source: Twitter MEA
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:34 PM
Share

સોમવારે ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula Von Der Leyen) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે વાતચીત થઈ હતી. બંને વચ્ચે યોજાયેલી બેઠકમાં ભારત અને યુરોપ વચ્ચે વેપાર, ટેકનિકલ સહયોગ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે વેપાર વધારવા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે એક વિશેષ પરિષદની રચના કરવામાં આવી છે. તેને India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (India-EU Trade And Technology Council) નામ આપવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારત તેના કોઈપણ ભાગીદારો સાથે વેપાર અને તકનીકી પરિષદની સ્થાપના કરવા માટે સંમત થયું છે.

યુરોપિયન યુનિયન માટે પણ આ બીજી વખત છે કે તેણે આવી કાઉન્સિલની રચના કરી છે. આ પહેલા યુરોપિયન યુનિયન દ્વારા યુએસ સાથે મળીને આ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

વ્યૂહાત્મક ભાગીદારીની જરૂર છે

બંને પક્ષોના સંયુક્ત નિવેદન જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે “ઝડપથી બદલાતા રાજકીય વાતાવરણને કારણે બંને પક્ષો વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી જરૂરી છે. બંને પક્ષો આના પર સંમત થયા છે. આ વેપાર અને તકનીકી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને યુરોપની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે સંબંધિત રાજકીય નિર્ણયો અને તકનીકી ભાગીદારી માટે જરૂરી પાયો પૂરો પાડવાનો છે. આ સાથે ભારત અને યુરોપીયન અર્થતંત્રોના વિકાસ માટે તમામ ક્ષેત્રોમાં ફોલોઅપને રાજકીય સ્તરે લઈ જવાનું પણ તેનું કામ હશે.

બંને પક્ષો હાલમાં રાજનૈતિક સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વર્તમાન પડકારો પર સાથે મળીને કામ કરવા અને રાજકીય વિકાસ પર સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા છે. India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલની રચના એ બંને બાજુના લોકોના ભલા માટે વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળનું પગલું છે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ભારત આવ્યા છે

ભારતની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ઉર્સુલા લેયેને એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ (TERI) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ટકાઉ, પ્રગતિશીલ અને સમાન તક ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યુરોપિયન યુનિયન અને ભારતના રાજકીય એજન્ડામાં જળવાયુ પરિવર્તન અને જૈવવિવિધતાના મુદ્દાઓ ટોચ પર છે.

આ પણ વાંચો: Russia Ukraine War: અમેરિકાના વિદેશ-સંરક્ષણ પ્રધાનની કિવની ‘ગુપ્ત’ મુલાકાત, યુક્રેનને 30 કરોડ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત

આ પણ વાંચો: હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">