Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ

India-EU Relations: આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

India-EU Relations: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી કાઉન્સિલની રચના, વેપાર અને તકનીકી સહયોગ વધારવા પર કરશે કામ
EU-India Image Credit source: Twitter MEA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:34 PM

સોમવારે ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula Von Der Leyen) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે વાતચીત થઈ હતી. બંને વચ્ચે યોજાયેલી બેઠકમાં ભારત અને યુરોપ વચ્ચે વેપાર, ટેકનિકલ સહયોગ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે વેપાર વધારવા અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે એક વિશેષ પરિષદની રચના કરવામાં આવી છે. તેને India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (India-EU Trade And Technology Council) નામ આપવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારત તેના કોઈપણ ભાગીદારો સાથે વેપાર અને તકનીકી પરિષદની સ્થાપના કરવા માટે સંમત થયું છે.

યુરોપિયન યુનિયન માટે પણ આ બીજી વખત છે કે તેણે આવી કાઉન્સિલની રચના કરી છે. આ પહેલા યુરોપિયન યુનિયન દ્વારા યુએસ સાથે મળીને આ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વેપાર અને ટેકનોલોજી સહયોગને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

વ્યૂહાત્મક ભાગીદારીની જરૂર છે

બંને પક્ષોના સંયુક્ત નિવેદન જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે “ઝડપથી બદલાતા રાજકીય વાતાવરણને કારણે બંને પક્ષો વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી જરૂરી છે. બંને પક્ષો આના પર સંમત થયા છે. આ વેપાર અને તકનીકી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને યુરોપની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે સંબંધિત રાજકીય નિર્ણયો અને તકનીકી ભાગીદારી માટે જરૂરી પાયો પૂરો પાડવાનો છે. આ સાથે ભારત અને યુરોપીયન અર્થતંત્રોના વિકાસ માટે તમામ ક્ષેત્રોમાં ફોલોઅપને રાજકીય સ્તરે લઈ જવાનું પણ તેનું કામ હશે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

બંને પક્ષો હાલમાં રાજનૈતિક સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વર્તમાન પડકારો પર સાથે મળીને કામ કરવા અને રાજકીય વિકાસ પર સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા છે. India-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલની રચના એ બંને બાજુના લોકોના ભલા માટે વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળનું પગલું છે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ભારત આવ્યા છે

ભારતની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ઉર્સુલા લેયેને એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ (TERI) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ટકાઉ, પ્રગતિશીલ અને સમાન તક ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યુરોપિયન યુનિયન અને ભારતના રાજકીય એજન્ડામાં જળવાયુ પરિવર્તન અને જૈવવિવિધતાના મુદ્દાઓ ટોચ પર છે.

આ પણ વાંચો: Russia Ukraine War: અમેરિકાના વિદેશ-સંરક્ષણ પ્રધાનની કિવની ‘ગુપ્ત’ મુલાકાત, યુક્રેનને 30 કરોડ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત

આ પણ વાંચો: હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">