AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં.

પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ
PM Modi In Poland
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2024 | 3:53 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલેન્ડ સાથેના સંબંધોનું વિશેષ મહત્વ છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.

પોલેન્ડના વડા પ્રધાન ટસ્ક સાથે સ્ટેજ શેર કરતાં પીએમ મોદીએ કહ્યું, “હું ઉષ્માભર્યું સ્વાગત અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત અને પોલેન્ડના સંબંધમાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજે 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો હવે સુધરી રહ્યા છે.

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં. તેમણે કહ્યું કે પોલેન્ડ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાંનું એક છે. અમે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડમાં જોડાવા માટે પોલેન્ડની કંપનીઓને આમંત્રણ આપીએ છીએ.

વિશ્વના ઘણા ક્ષેત્રોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરીએ છીએ. આ માટે ભારત તેના મિત્ર દેશો સાથે શક્ય તમામ સહયોગ આપવા તૈયાર છે.

યુક્રેન સંકટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ શક્ય છે.

Follow Us
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">