AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં.

પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ
PM Modi In Poland
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2024 | 3:53 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલેન્ડ સાથેના સંબંધોનું વિશેષ મહત્વ છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.

પોલેન્ડના વડા પ્રધાન ટસ્ક સાથે સ્ટેજ શેર કરતાં પીએમ મોદીએ કહ્યું, “હું ઉષ્માભર્યું સ્વાગત અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત અને પોલેન્ડના સંબંધમાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજે 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો હવે સુધરી રહ્યા છે.

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં. તેમણે કહ્યું કે પોલેન્ડ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાંનું એક છે. અમે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડમાં જોડાવા માટે પોલેન્ડની કંપનીઓને આમંત્રણ આપીએ છીએ.

વિશ્વના ઘણા ક્ષેત્રોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરીએ છીએ. આ માટે ભારત તેના મિત્ર દેશો સાથે શક્ય તમામ સહયોગ આપવા તૈયાર છે.

યુક્રેન સંકટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ શક્ય છે.

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">