AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMSમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ, જો આ નિયમનું ઉલ્લંઘન કરશો તો ચુકવવો પડશે દંડ

આ નિયમ હોસ્પિટલમા આવતા દર્દીની સાથે AIIMSમા ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ બનાવવામા આવ્યો છે. જેમા દર્દીની સાથે આવનાર વ્યકિત પણ AIIMS પરિસરમા ધુમ્રપાન નહી કરી શકે છતા પણ જો કોઈ ધુમ્રપાન કરતા ઝડપાશે તો તેને દંડ ચુકવવો પડશે.

AIIMSમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ, જો આ નિયમનું ઉલ્લંઘન કરશો તો ચુકવવો પડશે દંડ
AIIMS
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 2:59 PM
Share

દિલ્હીમાં આવેલીAIIMSમાં સાયબર ક્રાઈમની ઘટના બન્યા પછી સતત નિયમોમા બદલાવ લાવવામા આવી રહ્યા છે. તેવામા જ વધુ એક નિયમ બનાવવામા આવ્યો છે, જેમા AIIMSના ડાયરેકટરે AIIMSના પરિસરમા ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ નિયમ હોસ્પિટલમા આવતા દર્દીની સાથે AIIMSમા ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ બનાવવામા આવ્યો છે. જેમાં દર્દીની સાથે આવનાર વ્યકિત પણ AIIMS પરિસરમા ધુમ્રપાન નહી કરી શકે, છતા પણ જો કોઈ ધુમ્રપાન કરતા ઝડપાશે તો તેને 200 રુપિયા દંડ ચુકવવો પડશે.

AIIMSના કાયમી કર્મચારી આ નિયમનો ભંગ કરશે તો તેમના સામે શિસ્ત ભંગનો ગુના અંતરગત કાર્યવાહી કરવામા આવશે અને જે કર્મચારી કાયમી ધોરણે ફરજ બજાવતા નથી તેમની સેવાનો અંત પણ થઈ શકે છે. આ દંડની લેવાનુ કામ AIIMSના સુરક્ષા કર્મચારીઓને આપવામા આવે તેવી શક્યતા છે. આ નિયમનુ ચુસ્તતાથી પાલન થાય તે માટે AIIMSના અલગ-અલગ વિભાગના વડાને આ નિયમનુ સારી રીતે પાલન કરવામા આવે તેની જવાબદારી સોંપવામા આવી છે.

ઘણા લોકો AIIMSમાં ધુમ્રપાન કરે છે

દિલ્હીની AIIMSની ઓપીડીમા દિવસના 10,000 જેટલા દર્દી આવે છે અને AIIMSના દરેક વોર્ડમાં એક જ સમયે 1500 જેટલા દર્દીઓ આવે છે. જેમા કેટલાક લોકો ધુમ્રપાન કરતા હોય છે, જેથીAIIMSની પરિસરમા ગંદકી થાય છે. જેના કારણે AIIMSમા આવતા દર્દીઓને સમસ્યા ઉત્પન થાય છે અને હોસ્પિટલનુ વાતાવરણ બગડે છે. જેના કારણે આ નિયમ બનાવવામા આવ્યો છે.

પરિસરમાં ધૂમ્રપાન કરતા ઝડપાશો તો દંડ વસૂલાશે

આ કામ AIIMSના સુરક્ષા વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ પરિસરમાં ધૂમ્રપાન કરતા ઝડપાશે તો હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ દંડ વસૂલશે. આ સંદર્ભે હોસ્પિટલના અનેક વિસ્તારોમાં ચેતવણી માટે અનેક સ્થળોએ બોર્ડ પણ લગાવવામાં આવશે. જેથી લોકોને માહિતી મળે કે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર રોક લગાવવામા આવી છે.

જો કોઈ સુરક્ષાકર્મી આવું કરશે તો તેને પણ દંડ લાગશે. આ પહેલા વધુ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં ગાર્ડ સુરક્ષા સિવાય તે અન્ય કોઈ કામ નહીં કરે. જો કોઈ કર્મચારી ગાર્ડ પાસે ચા કે ખાવાનું માંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો ગાર્ડ આમ કરતો પકડાશે તો તેની સેવાનો અંત કરવામાં આવશે.

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">