AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈને મુશ્કેલ અને વિક્ટ પરિસ્થિતિમાં કેવી રીતે ફળી ગૌભક્તિ, વાંચો

Panchmahal: પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈ તેમની ગૌભક્તિ વિશે જાણીતા છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવાનું બીડુ ઝડપ્યુ અને આવી ગાયો માટે શરૂ કરી ગૌશાળા. ત્યારે સોમાભાઈને કેવી રીતે મુશ્કેલી પરિસ્થિતિમં ફળી ગૌભક્તિ. વાંચો અહીં ...

પંચમહાલના પ્રહલાદ તરીકે જાણીતા સોમાભાઈને મુશ્કેલ અને વિક્ટ પરિસ્થિતિમાં કેવી રીતે ફળી ગૌભક્તિ, વાંચો
Nikunj Patel
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:17 PM
Share

પંચમહાલના અતિ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામમાં શ્રી રામ ગૌ શાળા ચલાવતા સોમાભાઈને ગાયોની ભક્તિ ફળી છે. પોતાની પાસે કંઈ ન હોવા છતા તેમણે નાસીપાસ થયા વિના ગાયોને સાચવવાનું બીડુ ઝડપ્યુ હતુ. સોમાભાઈના સંઘર્ષની શરૂઆત જ ગૌ સેવાના ભગીરથ કાર્યથી થાય છે. કતલખાને લઈ જવાતી ગાયોને બચાવ્યા બાદ પોલીસ અને ગૌ રક્ષકો તે ગાયોને સોમાભાઈની ગૌ શાળામાં મૂકી જતા હતા.

આ એવી ગાયો હતી જે ખૂબ જ અશક્ત અને દૂધ આપી શકતી ન હતી. આવી ગાયો થકી સોમાભાઈને આવક થાય એવુ કઈ હતું જ નહીં. ઉપરથી આવી ગાયોનો ઘાસચારો અને બીમારીમાં દવા એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો. સોમાભાઈએ આવી બિનઉપાર્જન ગૌ વંશની સેવા માટે પોતાનું ઘર, જમીન, પત્નીના દાગીના ગીરવે મૂકી દીધા હતા. એટલે સુધી કે પોતાના પુત્રને પણ અભ્યાસ બંધ કરાવી પરિવાર અને ગૌ વંશનું પોષણ કરવા મજૂરીએ મોકલવો પડ્યો. એક તરફ પોતાનું ગુજરાન માંડ ચાલતુ હતુ ત્યાં ગાયોની સંખ્યા વધતી જતી હતી.

સોમાભાઈને ફળી ગાયોની ભક્તિ

જેમ પ્રહલાદને ભક્તિ ફળી હતી અને હોલિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં અગનજ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ હતી. તેમ જ સંઘર્ષ અને વિકટ પરિસ્થિતિની આગમાં તપતા અને બળતા સોમાભાઈ અને તેમના પરિવારની વ્હારે ગૌ માતા જ આવ્યા તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. ખુદ સોમાભાઈ પણ જણાવે છે અતિ વિકટ આર્થિક પરિસ્થિતિમાં ફસાયા બાદ જાણે ગૌ માતાએ સંકેત આપ્યો હોય તેમ પોતાની ગૌ શાળામાં રહેલી ગાયોના છાણમાંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ કાષ્ટ બનાવવાની શરૂઆત કરી.

શરૂઆતમાં ઓછા જથ્થામાં ગૌ કાષ્ટ બનાવી વેચાણ કરતા થોડી ઘણી આવક થઈ અને ભુખે મરતી ગાયો અને પોતાના પરિવારને બે ટંક ભોજન મળી રહે તેવી આવક થઈ. બસ આજ ગૌ વંશના છાણમાંથી સોમાભાઈ વિવિધ ઉત્પાદનો કરતા ગયા અને વેચાણમાં વૃદ્ધિ થતી ગઈ. સોમાભાઈની ગૌ શાળામાં બનેલ ગૌ સ્ટીકની હોળી નિમિતે મોટી માગ રહે છે. હાલ તેઓ આ ગૌ સ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે.તેમનું કહેવુ છે ગૌકાષ્ટથી હોલિકા દહન કરીએ તો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય છે. વૃક્ષો કપાતા અટકે છે સાથે ગાયના છાણમાંથી બનેલ ગૌ કાષ્ટથી હવામાં ઓક્સિજનની માત્રા પણ વધે છે.

આજકાલ વૈદિક હોળીનો શહેરી વિસ્તારોમાં ભારે ટ્રેન્ડ જોવા મળે છે. ત્યારે વૈદિક હોળી માટે વપરાતા ગૌ કાષ્ટ એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ લાકડીઓ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ સોમાભાઈની ગૌ શાળામાંથી જ વેચાણ થાય છે. આજે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, દાહોદ, આણંદ, નડિયાદ, લુણાવાડા સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વૈદિક હોળી માટે સોમાભાઈની ગૌ શાળાના જ ગૌ કાષ્ટ ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો: Gujarati video : પંચમહાલમાં ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓના ભય વચ્ચે કરવું પડે છે કામ, વીજળીના અભાવે ત્રસ્ત છે ખેડૂતો, જુઓ Video

સોમાભાઈની ગૌ શાળામાં બનેલ ગૌ સ્ટીકની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌસ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે. જેની સારી આવક થકી સોમાભાઈની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું. એક સમયે એક ટંક ભોજનના જેમને વાંધા હતા તે સોમાભાઈ આજે પોતાની ગૌ શાળામાં 65 થી 70 લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે સોમાભાઇ ને ત્યાં રોજગારી માટે આવતા લોકોમાં મહિલાઓ સૌથી વધુ છે.

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">