AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિસ્વાર્થ સેવા: અમદાવાદનો યુવા વકીલ અમરેલી અને શિયાળબેટ જઈને પહોંચાડી આવ્યો 1000 રાશનકીટ, મિત્રો સાથે મળીને 100 લોકોને બાંધી આપશે ઘર

તાઉતે વાવાઝોડુ (Tauktae Cyclone) આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.

નિસ્વાર્થ સેવા: અમદાવાદનો યુવા વકીલ અમરેલી અને શિયાળબેટ જઈને પહોંચાડી આવ્યો 1000 રાશનકીટ, મિત્રો સાથે મળીને 100 લોકોને બાંધી આપશે ઘર
Advocate Utkarsh Dave
Hardik Bhatt
| Edited By: | Updated on: Jun 02, 2021 | 10:11 PM
Share

તાઉતે વાવાઝોડુ (Tauktae Cyclone) આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.

સરકાર અને સ્વૈચ્છીક સંગઠનો મદદ કરી રહ્યાં હોવા છતા ત્યાં મદદની વધુ જરૂર હોવાની ખબર અમદાવાદના યુવા વકીલ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave)ને પડી. જે હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરે છે. તેમને અમરેલીના જ તેમના એક મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે “અહીં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જમીન, ખેતી અને ઘરોને નુકશાન થયું છે. ઉના, રાજુલા, શિયાળબેટ, જાફરાબાદ અને વેરાવળના આંતરીયાળ ગામડાઓમાં હજુપણ સ્થિતી ખરાબ છે.

Selfless service: A young lawyer from Ahmedabad went to Amreli and Shiyalbet and delivered 1000 ration kits, together with friends will build a house for 100 people

વકીલ ઉત્કર્ષભાઈ કહે છે કે ત્યાં લોકોને જમવા માટે પણ કંઈ નથી અને લાઈટ પણ નથી તેવી ખબર મળી. તેથી તરત જ મેં અને મારા સેવાભાવી મિત્રોએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરવા જવાનું નક્કી કર્યું. તેથી તેમણે 1હજાર જેટલી રાશન કીટ તૈયાર કરાવી અને અમદાવાદથી બધુ જ કામ પડતું મુકીને ત્યાં પહોંચી ગયાં વિતરણ કરવા. ત્યાં પોલીસ, સ્થાનિકો તેમજ સ્થાનિક સત્તાતંત્રની મદદથી તેઓ શિયાળબેટ સુધી જઈ આવ્યાં.

ત્યાં પહોંચીને જરૂરિયાતમંદોને 1 મહિના સુધી ચાલે તેટલુ રાશન પહોંચાડી આવ્યાં. ઉત્કર્ષભાઈ કહે છે કે હવે અમદાવાદમાંથી તેમના વકીલ મિત્રો, સેવાભાવી લોકો વગેરે મળીને ફંડ એકઠુ કરી રહ્યાં છે. ટુંક જ સમયમાં તેઓ 100 જેટલા લોકોને ઘર બાંધી આપવાનું કામ કરશે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે સલામ છે ઉત્કર્ષભાઇ જેવા યુવાઓને અને સ્વૈચ્છીક સેવા કરતા સંગઠનોને જે આવા જરૂરીયાતમંદોની મદદ માટે હરહંમેશ તૈયાર હોય છે.

આ પણ વાંચો: PORBANDAR: કોરોનાકાળમાં નાગરિકોને રાહત આપવા વિજ-બિલ અને વેરા માફ કરવાની જિલ્લા કોંગ્રેસ અને આગેવાનોની માંગ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">