Ganesh Chaturthi 2022: અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઇને તૈયારીઓ આખરી તબક્કામાં, પંડાલમાં અલગ અલગ થીમો જોવા મળશે

અમદાવાદમાં (Ahmedabad)ગણેશ ચતુર્થી પર લોકો અલગ અલગ રૂપમાં ગણેશજીની સ્થાપના કરતા હોય છે. તો કેટલાક લોકો સામાજિક અને ધાર્મિક સંદેશ આપતી થીમ પણ બનાવતા હોય છે.

Ganesh Chaturthi 2022: અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઇને તૈયારીઓ આખરી તબક્કામાં, પંડાલમાં અલગ અલગ થીમો જોવા મળશે
Ahmedabad Ganesh Mahotsav
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 30, 2022 | 11:17 PM

શ્રાવણ માસ બાદ ગણેશજીની( Ganesh Chaturthi 2022 ) આરાધના કરવાનો પર્વ એવો ગણેશ ચતુર્થી પર્વ આવી ગયો છે. અમદાવાદમાં (Ahmedabad)ગણેશ ચતુર્થી પર લોકો અલગ અલગ રૂપમાં ગણેશજીની સ્થાપના કરતા હોય છે. તો કેટલાક લોકો સામાજિક અને ધાર્મિક સંદેશ આપતી થીમ પણ બનાવતા હોય છે. આ વર્ષે પણ આવો જ પ્રયાસ યથાવત જોવા મળ્યો. જ્યાં ઓઢવ ખાતે રત્નમાલા સોસાયટી પાસે કે જ્યાં 28 વર્ષથી ગણેશ પર્વની ઉજવણી થાય છે જ્યાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. જ્યાં આ વર્ષે રામ મંદિરની થીમ બનાવવામાં આવી રહી છે. લગભગ 1 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. કે જ્યાં મંડપ આગળ રામ મંદિર જેવી પ્રતિકૃતિ અને ગેટ ઉભા કરાયા છે. તો મંડપ અંદર રામ વનવાસ દર્શાવાશે. જ્યાં એક નાવડીમાં ગણેશ ભગવાનને બિરાજમાન કરાશે. જે સ્થળ પર થીમ આકર્ષક હોવાને કારણે તેમજ વિસર્જન સમયે ચાલુ ટ્રોલીમાં ગણેશનો અભિષેક કરી વિસર્જન કરાતું હોવાથી ત્યાં હજારોની સંખ્યામાં દરરોજ ભક્તો દર્શન કરવા ઉમટે છે. અને તેજ રીતે પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થળે અલગ અલગ થીમ પર લોકો ગણેશજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે…

મોંઘવારીના કારણે દર વર્ષની સરખામણીએ પંડાલ ની સંખ્યા ઓછી

તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં નારણપુરામાં પારસનગર ખાતે વાંસ માંથી ગણેશ બનાવવાની થીમ બનાવાઈ રહી છે. જે શહેરનો સૌથી મોટો પંડાલ માનવા આવી રહ્યો છે જ્યાં ગણેશ એસોસિએશન. gpcb અને અન્ય સંસ્થા દવારા ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જ્યાં શહેરની સૌથી વધુ સારી મૂર્તિ અને પંડાલ ને એવોર્ડ આપી સન્માનિત કરાશે. તો 5 સારી મૂર્તિ અને 4 સારી થિમને પણ એવોર્ડ આપી તમામનું પ્રોત્સાહન વધારાશે. જો ગણેશ એસોસિએશનના પ્રમુખની વાત માનીએ તો 7 સપ્ટેમ્બરે આ કાર્યકર યોજાશે. તેમજ અમદાવાદ ગણેશ એસોસિયેશનની વાત માનીએ તો આ વર્ષે મોંઘવારીના કારણે દર વર્ષની સરખામણીએ પંડાલ ની સંખ્યા ઓછી થઈ હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું. સાથે જ લોકોમાં ગણેશ ચતુર્થી પર્વ ને લઈને તેમજ વિસર્જન ને લઈને જાગૃતિ આવે, લોકો ઘરે વિસર્જન કરતા થાય, લોકો માટી ની મૂર્તિ અથવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત થાય તે માટે એક ગાઈડલાઈન બનાવી લોકોને મોકલી આપી છે તેમજ પેમ્પફ્લેટ બનાવી તે લોકો સુધી પહોંચાડશે. જેથી આ બાબતે વધુમાં વધુ લોકો જાગૃત બને.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોરોના અવેરનેસ થીમ પર પણ ગણેશજીની સ્થાપના

એટલું જ નહિ પણ શહેરમાં કેટલાક સ્થળે પ્રકૃતિ પર તો કેટલાક સ્થળે કોરોના અવેરનેસ થીમ પર પણ ગણેશજીની સ્થાપના કરવાના કામે લાગી ગયા છે. જે એજ સૂચવે છે કે સમાજમાં સંદેશો આપવા ગણેશ ચતુર્થીનું કેટલું મહત્વ રહેલું છે. જે મહત્વ ચુકાય નહિ અને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહે માટે અને ગણેશજીની આરાધના કરવા લોકો વિવિધ પ્રયાસ કરતા જોવા મળ્યા છે. ગણેશ પર્વ આવી ગયો છે. જે ગણેશ પર્વ પર લોકો ગણેશજીને પોતાના ઘરે સોસાયટી, એપાર્ટમેન્ટ અને રસ્તા પર પંડાલ બનાવતા હોય છે. જ્યાં વિવિધ થીમ જોવા મળતી હોય છે. જેમાં આ વર્ષે પણ શહેરમાં વિવિધ થીમ ના ગણપતિની સ્થાપના કરવાનો પ્રયાસ જોવા મળશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">