AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
Wheat Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 11:10 AM
Share

પંજાબ કૃષિ યુનિવર્સિટીએ (Punjab Agriculture University) ઘઉંની એવી જાત વિકસાવી છે, જેના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થશે. તેથી હવે ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો ઘઉંનો (Wheat) લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરશે. આ સાથે હૃદય રોગથી પીડિત દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. ભારતમાં 13 લાખથી વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે.

રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વજન પણ ઘટશે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ઘઉંની આ જાતને PW RS-1 નામ આપવામાં આવ્યું છે. તેનું સેવન કરવાથી ધીમે ધીમે શરીરમાં ગ્લુકોઝ બનશે. આ સાથે પાચનક્રિયા પણ ધીરે ધીરે થશે. આ રીતે ખાંડને નિયંત્રિત કરી શકાય છે. આ ઘઉંની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછું ખાવાથી જ પેટ ભરાશે અને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. જે વ્યક્તિ 6 રોટલી ખાય છે તેનું પેટ માત્ર 3 રોટલીથી જ ભરાય છે. આ રીતે રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વ્યક્તિનું વજન પણ ઘટશે, જેના કારણે તે સ્વસ્થ રહેશે.

ઘઉં આ જાતની ખેતીથી ખેડૂતોની આવક વધશે

યુનિવર્સિટીના મુખ્ય ઘઉં બ્રીડર અચલા શર્માએ આ જાત વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘઉં નવી જાત છે. તેની ખેતીથી ખેડૂતોની આવક તો વધશે જ, તેની સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે PW RS-1 માં કુલ સ્ટાર્ચનું પ્રમાણ ઘઉંની અન્ય જાતોની તુલનામાં 66-70 ટકા જેટલું છે, પરંતુ તેમાં 30.3 ટકા પ્રતિરોધક સ્ટાર્ચ સામગ્રી છે.

ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હોળી પહેલા તેની લણણી કરી શકાશે.

આ પણ વાંચો : Farming: આ રાજ્યમાં ખજૂરની ખેતી કરતા ખેડૂતોનું નસીબ બદલાઇ ગયું, આવી રીતે કરી ખેતી

વૈજ્ઞાનિકોએ બીટ-ધ-હીટ સોલ્યુશન હેઠળ ઘઉં વાવવા માટે ઘઉંની આ જાતો વિકસાવી છે. ખેડૂતો સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઘઉંની વાવણી કરે છે, પરંતુ આ જાતોની ખેતી 20 ઓક્ટોબરથી શરૂ કરી શકાય છે. આ ત્રણ જાતોમાંથી પ્રથમ જાતનું નામ HDCSW-18 છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">