AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
Wheat Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 11:10 AM
Share

પંજાબ કૃષિ યુનિવર્સિટીએ (Punjab Agriculture University) ઘઉંની એવી જાત વિકસાવી છે, જેના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થશે. તેથી હવે ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો ઘઉંનો (Wheat) લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરશે. આ સાથે હૃદય રોગથી પીડિત દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. ભારતમાં 13 લાખથી વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે.

રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વજન પણ ઘટશે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ઘઉંની આ જાતને PW RS-1 નામ આપવામાં આવ્યું છે. તેનું સેવન કરવાથી ધીમે ધીમે શરીરમાં ગ્લુકોઝ બનશે. આ સાથે પાચનક્રિયા પણ ધીરે ધીરે થશે. આ રીતે ખાંડને નિયંત્રિત કરી શકાય છે. આ ઘઉંની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછું ખાવાથી જ પેટ ભરાશે અને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. જે વ્યક્તિ 6 રોટલી ખાય છે તેનું પેટ માત્ર 3 રોટલીથી જ ભરાય છે. આ રીતે રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વ્યક્તિનું વજન પણ ઘટશે, જેના કારણે તે સ્વસ્થ રહેશે.

ઘઉં આ જાતની ખેતીથી ખેડૂતોની આવક વધશે

યુનિવર્સિટીના મુખ્ય ઘઉં બ્રીડર અચલા શર્માએ આ જાત વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘઉં નવી જાત છે. તેની ખેતીથી ખેડૂતોની આવક તો વધશે જ, તેની સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે PW RS-1 માં કુલ સ્ટાર્ચનું પ્રમાણ ઘઉંની અન્ય જાતોની તુલનામાં 66-70 ટકા જેટલું છે, પરંતુ તેમાં 30.3 ટકા પ્રતિરોધક સ્ટાર્ચ સામગ્રી છે.

ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હોળી પહેલા તેની લણણી કરી શકાશે.

આ પણ વાંચો : Farming: આ રાજ્યમાં ખજૂરની ખેતી કરતા ખેડૂતોનું નસીબ બદલાઇ ગયું, આવી રીતે કરી ખેતી

વૈજ્ઞાનિકોએ બીટ-ધ-હીટ સોલ્યુશન હેઠળ ઘઉં વાવવા માટે ઘઉંની આ જાતો વિકસાવી છે. ખેડૂતો સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઘઉંની વાવણી કરે છે, પરંતુ આ જાતોની ખેતી 20 ઓક્ટોબરથી શરૂ કરી શકાય છે. આ ત્રણ જાતોમાંથી પ્રથમ જાતનું નામ HDCSW-18 છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">