AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6000ની સહાય, પીએમ કિસાન સન્માન નિધી યોજના, આ રીતે કરો અરજી

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.6,000ની સહાય મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે.

ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6000ની સહાય, પીએમ કિસાન સન્માન નિધી યોજના, આ રીતે કરો અરજી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
| Updated on: Dec 27, 2020 | 5:14 PM
Share

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.6,000ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. પતિ, પત્નિ અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઈ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

આ પણ વાંચો: રજનીકાંત હેલ્થ અપડેટ-ડોક્ટર્સે જણાવ્યુ “બ્લડ પ્રેશર હાઈ, પરંતુ રિપોર્ટ્સમાં કોઈ ગંભીર બાબત નથી”

સહાય માટેની અરજી માટે ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતોની જરૂરિયાત રહે છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત https://www.digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવાની રહેશે. સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઈ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરી શકો છો. અરજીકર્તા ખેડૂતોએ તમામ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. આ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત આપવાની રહેશે.

આ યોજનાની વધારે માહિતી: https://agri.gujarat.gov.in/Portal/News/858_1_PM-Kisan-FAQ-30-07-2019.pdf 

જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે. અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે. જમીન ધારકતાની ગણતરી માટે તા.01-02-2019ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે. જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.

યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબને યોજનાનો લાભ મળતો નથી. 1. સંસ્થાકીય જમીનધારકો 2. જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય. 3. વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ 4. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્ય, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ 5. સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4/ ગ્રુપ-ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી 6. વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. 10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા હોય 7. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

Follow Us
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
g clip-path="url(#clip0_868_265)">