AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organic Fertilizers: ખેડૂતો આ રીતે કેળાની ડાળીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને કમાઈ શકે છે નફો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર (Organic Fertilizers)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત અનાજ લોકો સુધી પહોંચશે.

Organic Fertilizers: ખેડૂતો આ રીતે કેળાની ડાળીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને કમાઈ શકે છે નફો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Banana Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:19 AM
Share

ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરતી રહે છે. ખેતીને રાસાયણિક ખાતર મુક્ત બનાવવા માટે સરકાર ખેડૂતોને જાગૃત કરવા તાલીમ આપવાનું કામ કરતી રહે છે. સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર (Organic Fertilizers)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત અનાજ લોકો સુધી પહોંચશે. તેનાથી તે દરેક પ્રકારની બીમારીઓથી દૂર રહેશે.

ઘણીવાર ખેડૂતો કેળાના ઝાડના અવશેષોને નકામા ગણીને ખેતરમાં છોડી દે છે. આ ન માત્ર પર્યાવરણને બગાડે છે પરંતુ જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, ખેડૂતો નકામા કેળાના થડમાંથી જૈવિક ખાતર બનાવીને સારો નફો મેળવી શકે છે.

સીતાપુરના રાહુલ સિંહ મોટા પાયે કેળાની ખેતી કરે છે. તેમનું કહેવું છે કે અગાઉ અહીં પણ મોટાભાગના ખેડૂતો કેળાની ડાળીને નકામી ગણીને ફેંકી દેતા હતા. દુર્ગંધને કારણે આજુબાજુથી પસાર થવું મુશ્કેલ હતું પરંતુ હવે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો જાગૃત બન્યા છે. હવે તેઓ તેના થડમાંથી જૈવિક ખાતર બનાવી રહ્યા છે.

આ માટે ત્યાં એક ખાડો બનાવવામાં આવ્યો છે. જેમાં કેળાની ડાળીઓ મુકવામાં આવે છે. પછી તેમાં ગાયનું છાણ અને નીંદણ પણ નાખવામાં આવે છે. આ પછી, ડિકંપોઝર છાંટવામાં આવે છે. થોડા જ સમયમાં આ છોડ ખાતરના રૂપમાં તૈયાર થઈ જાય છે, જેનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે અને સાથે જ પાકની ઉપજમાં પણ વધારો કરી શકે છે.

ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે તે માટે સરકાર ખેડૂતોને આવા જૈવિક ખાતર બનાવવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે. આ ઉપરાંત ખેડૂતો માટે આ વિષય પર ઘણા સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Success Story: સફળતાના નવા શિખરો સર કરી રહી છે મહિલા ખેડૂત, FPO દ્વારા વેચી ચૂકી છે હજારો લિટર શુદ્ધ સરસવનું તેલ

આ પણ વાંચો: Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">