AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organic Fertilizers: ખેડૂતો આ રીતે કેળાની ડાળીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને કમાઈ શકે છે નફો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર (Organic Fertilizers)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત અનાજ લોકો સુધી પહોંચશે.

Organic Fertilizers: ખેડૂતો આ રીતે કેળાની ડાળીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને કમાઈ શકે છે નફો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Banana Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:19 AM
Share

ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરતી રહે છે. ખેતીને રાસાયણિક ખાતર મુક્ત બનાવવા માટે સરકાર ખેડૂતોને જાગૃત કરવા તાલીમ આપવાનું કામ કરતી રહે છે. સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર (Organic Fertilizers)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત અનાજ લોકો સુધી પહોંચશે. તેનાથી તે દરેક પ્રકારની બીમારીઓથી દૂર રહેશે.

ઘણીવાર ખેડૂતો કેળાના ઝાડના અવશેષોને નકામા ગણીને ખેતરમાં છોડી દે છે. આ ન માત્ર પર્યાવરણને બગાડે છે પરંતુ જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, ખેડૂતો નકામા કેળાના થડમાંથી જૈવિક ખાતર બનાવીને સારો નફો મેળવી શકે છે.

સીતાપુરના રાહુલ સિંહ મોટા પાયે કેળાની ખેતી કરે છે. તેમનું કહેવું છે કે અગાઉ અહીં પણ મોટાભાગના ખેડૂતો કેળાની ડાળીને નકામી ગણીને ફેંકી દેતા હતા. દુર્ગંધને કારણે આજુબાજુથી પસાર થવું મુશ્કેલ હતું પરંતુ હવે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો જાગૃત બન્યા છે. હવે તેઓ તેના થડમાંથી જૈવિક ખાતર બનાવી રહ્યા છે.

આ માટે ત્યાં એક ખાડો બનાવવામાં આવ્યો છે. જેમાં કેળાની ડાળીઓ મુકવામાં આવે છે. પછી તેમાં ગાયનું છાણ અને નીંદણ પણ નાખવામાં આવે છે. આ પછી, ડિકંપોઝર છાંટવામાં આવે છે. થોડા જ સમયમાં આ છોડ ખાતરના રૂપમાં તૈયાર થઈ જાય છે, જેનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે અને સાથે જ પાકની ઉપજમાં પણ વધારો કરી શકે છે.

ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે તે માટે સરકાર ખેડૂતોને આવા જૈવિક ખાતર બનાવવા અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે. આ ઉપરાંત ખેડૂતો માટે આ વિષય પર ઘણા સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Success Story: સફળતાના નવા શિખરો સર કરી રહી છે મહિલા ખેડૂત, FPO દ્વારા વેચી ચૂકી છે હજારો લિટર શુદ્ધ સરસવનું તેલ

આ પણ વાંચો: Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">