POK માં 5 ફેબ્રુઆરીએ હમાસ અને લશ્કર-એ- તૈયબાના પ્રોગ્રામ દરમિયાન પહલગામ હુમલાનું ઘડાઈ ગયુ હતુ કાવતરુ?
ઈઝરાયેલ બાદ હમાસ હવે ક્યાંક ભારત તરફ તો દુશ્મનાવટથી નથી જોઈ રહ્યુ ને? આવુ અમે નથી કહી રહ્યા પરંતુ દાવો એવો કરાઈ રહ્યો છે કે તાજેતરમાં પાકિસ્તાન ઓક્યુપાઈટ કાશ્મીરમાં હમાસ અને પાકિસ્તાની આતંકી જૂથો લશ્કર અને જૈશના આતંકીઓ એક મંચ પર આવ્યા હતા અને હમાસના લીડર સાથે આ આતંકીઓએ હાથ મિલાવ્યા છે.

કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા પહલગામ હુમલા બાદ હાલ હમાસ અને લશ્કર-એ-તૈયબાની પીઓકેમાં મળેલી મીટીંગનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે પીઓકેમાં આયોજિત આ પ્રોગ્રામમાં લશ્કર-એ-તૈયબા અને આતંકવાદી સંગઠન હમા સાથે મંચ શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહને ‘દુશ્મન’ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનો કથિત વીડિયો પણ વાયરલ થયો છે. હાલ પહલગામના આતંકી હુમલા બાદ આ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે અને એવુ મનાઈ રહ્યુ છે કે કાશ્મીર પર આ હુમલાનો તખ્તો શું ત્યારે જ ઘડાઈ ગયો હતો. તેની પાછળના કેટલાક કારણો પણ સમજી લઈએ.. પાકિસ્તાન શું કરવા માગે છે? પેલેસ્ટાઈનની જેમ હમાસે અલ અક્સા ફ્લડ નામનું મિશન ચલાવ્યુ હતુ. આ અલ અક્સા ફ્લડ મિશનથી પાકિસ્તાની લીડર મોટિવેટ થયા છે. તે અલ અક્સા ફ્લડ મિશન અંતર્ગત હમાસના...
