AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: પહેલા પ્રયાસમાં ગરિમા અગ્રવાલ બની IPS ટોપર અને પછી IAS બનવાનું કર્યું નક્કી

IAS ગરિમા અગ્રવાલે પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT માંથી સ્નાતક થયા, પછી IPS ટોપર બન્યા અને આખરે IAS બનવાનું સપનું પૂરું કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:48 PM
Share
IAS અધિકારી ગરિમા અગ્રવાલની સફળતાની વાત લાખો યુવાનોએ વાંચવી જોઈએ. લાખો યુવાનોને પ્રેરણા આપનાર વિદ્યાર્થીઓમાં ગરિમા અગ્રવાલનું નામ લેવામાં આવે છે. પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT (હૈદરાબાદ) ગ્રેજ્યુએશન, પછી IPS ટોપર અને છેલ્લે IAS બનવાનો રેકોર્ડ ગરિમા અગ્રવાલના નામે છે. ચાલો તેની સફળતાની યાત્રા પર એક નજર કરીએ.

IAS અધિકારી ગરિમા અગ્રવાલની સફળતાની વાત લાખો યુવાનોએ વાંચવી જોઈએ. લાખો યુવાનોને પ્રેરણા આપનાર વિદ્યાર્થીઓમાં ગરિમા અગ્રવાલનું નામ લેવામાં આવે છે. પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT (હૈદરાબાદ) ગ્રેજ્યુએશન, પછી IPS ટોપર અને છેલ્લે IAS બનવાનો રેકોર્ડ ગરિમા અગ્રવાલના નામે છે. ચાલો તેની સફળતાની યાત્રા પર એક નજર કરીએ.

1 / 6
મૂળ મધ્યપ્રદેશના ખરગોનની રહેવાસી ગરિમા અગ્રવાલ શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ખરગોનમાં જ સરસ્વતી વિદ્યા મંદિરથી કર્યું. બિઝનેસ ફેમિલી સાથે જોડાયેલા હોવા છતાં, ગરિમાનું મન ભણવામાં ખૂબ જ લાગતું હતું. ખરગોનની શાળામાંથી અભ્યાસ કરતી વખતે તેણે 10 માં ઘોરણમાં 92% અને 12 માં ધોરણમાં 89% મેળવ્યા હતા.

મૂળ મધ્યપ્રદેશના ખરગોનની રહેવાસી ગરિમા અગ્રવાલ શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ખરગોનમાં જ સરસ્વતી વિદ્યા મંદિરથી કર્યું. બિઝનેસ ફેમિલી સાથે જોડાયેલા હોવા છતાં, ગરિમાનું મન ભણવામાં ખૂબ જ લાગતું હતું. ખરગોનની શાળામાંથી અભ્યાસ કરતી વખતે તેણે 10 માં ઘોરણમાં 92% અને 12 માં ધોરણમાં 89% મેળવ્યા હતા.

2 / 6
12 મી પછી ગરિમા અગ્રવાલે JEE પરીક્ષામાં સફળતા મેળવી અને IIT હૈદરાબાદમાં પ્રવેશ લીધો. આઇઆઇટીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ ગરિમાએ જર્મનીમાં ઇન્ટર્નશિપ કરી, પરંતુ તેણે વિદેશમાં નોકરી ન લીધી અને દેશમાં આવીને યુપીએસસી સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું નક્કી કર્યું.

12 મી પછી ગરિમા અગ્રવાલે JEE પરીક્ષામાં સફળતા મેળવી અને IIT હૈદરાબાદમાં પ્રવેશ લીધો. આઇઆઇટીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ ગરિમાએ જર્મનીમાં ઇન્ટર્નશિપ કરી, પરંતુ તેણે વિદેશમાં નોકરી ન લીધી અને દેશમાં આવીને યુપીએસસી સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું નક્કી કર્યું.

3 / 6
જર્મનીમાં એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ પછી ભારત પાછા ફર્યા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી UPSC પરીક્ષાની તૈયારી કરી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં વર્ષ 2017માં UPSC CSE પરીક્ષામાં 240 મો ક્રમ મેળવ્યો અને IPS માટે પસંદગી પામી.

જર્મનીમાં એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ પછી ભારત પાછા ફર્યા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી UPSC પરીક્ષાની તૈયારી કરી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં વર્ષ 2017માં UPSC CSE પરીક્ષામાં 240 મો ક્રમ મેળવ્યો અને IPS માટે પસંદગી પામી.

4 / 6
IPS બન્યા પછી પણ ગરિમા અગ્રવાલ સંતુષ્ટ ન હતા અને UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તાલીમ સાથે તેણીએ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. બીજા જ વર્ષે 2018માં તેણે બીજી વખત પરીક્ષા આપી અને તેના બીજા પ્રયાસમાં 40 મો રેન્ક મેળવીને IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

IPS બન્યા પછી પણ ગરિમા અગ્રવાલ સંતુષ્ટ ન હતા અને UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તાલીમ સાથે તેણીએ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. બીજા જ વર્ષે 2018માં તેણે બીજી વખત પરીક્ષા આપી અને તેના બીજા પ્રયાસમાં 40 મો રેન્ક મેળવીને IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

5 / 6
ગરિમા અગ્રવાલે (Garima Agrawal) વર્ષ 2019-20 માં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીમાંથી પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. હાલમાં, ગરીમા અગ્રવાલ તેલંગાણામાં મદદનીશ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. ગરિમા અગ્રવાલના મતે, 'નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. નિષ્ફળતા કે સફળતા બંને આપણા મનમાં થાય છે. જો આપણે નિશ્ચય કરીએ તો આપણે કંઈપણ હાંસલ કરી શકીએ છીએ.

ગરિમા અગ્રવાલે (Garima Agrawal) વર્ષ 2019-20 માં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીમાંથી પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. હાલમાં, ગરીમા અગ્રવાલ તેલંગાણામાં મદદનીશ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. ગરિમા અગ્રવાલના મતે, 'નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. નિષ્ફળતા કે સફળતા બંને આપણા મનમાં થાય છે. જો આપણે નિશ્ચય કરીએ તો આપણે કંઈપણ હાંસલ કરી શકીએ છીએ.

6 / 6
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">