Maharatna PSU ને ગુજરાતમાં મળ્યો કરોડોનો ઓર્ડર, 6 મહિનામાં 70 % રિટર્ન આપનાર સ્ટોક હજુ તેજી બતાવી શકે છે
મહારત્ન કંપની કોલ ઈન્ડિયા ગુજરાતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સૌથી મોટી બિડર તરીકે ઉભરી આવી છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે 25 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલી ઈ-ઓક્શનમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડનો 300 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે.

મહારત્ન કંપની કોલ ઈન્ડિયા ગુજરાતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સૌથી મોટી બિડર તરીકે ઉભરી આવી છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે 25 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલી ઈ-ઓક્શનમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડનો 300 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ હસ્તગત કર્યો છે. કોલ ઈન્ડિયાનો શેર આ સપ્તાહે રૂપિયા 390 ના સ્તરે બંધ થયો હતો. કંપનીના શેરે છ મહિનામાં 70 ટકા વળતર આપ્યું છે.
આ બિડ 600 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે હતી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) એ 600 મેગાવોટ ગ્રિડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટની ખરીદી માટે બિડ મંગાવી હતી. આ પ્રોજેક્ટ્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની (GIPCL)ની માલિકીના ખાવડા, ગુજરાત ખાતેના સોલાર પાર્કમાં સ્થિત હશે. GUVNL કોલ ઈન્ડિયા સાથે 25 વર્ષ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરશે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયાની તારીખથી 15 મહિનાની અંદર પ્રોજેક્ટ અમલમાં આવશે.
કોલ ઈન્ડિયા દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે.
કોલ ઈન્ડિયા દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. તાજેતરમાં કંપનીએ જણાવ્યું હતું કે FY24માં અત્યાર સુધીમાં તેણે નોન-રેગ્યુલેટેડ સેક્ટરને 98 મિલિયન ટન કોલસાનો સપ્લાય કર્યો છે. વાર્ષિક ધોરણે આ 31 ટકા વધુ છે. કોઈપણ નાણાકીય વર્ષના 9 મહિનામાં NRSને આ અત્યાર સુધીનો સૌથી વધુ કોલસો પુરવઠો છે.
કોલ ઇન્ડિયા શેરની પ્રાઇસ હિસ્ટ્રી
કોલ ઈન્ડિયાનો શેર અત્યારે 390 રૂપિયાના સ્તરે છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 405 રૂપિયા છે. આ સ્ટોક એક મહિનામાં 7 ટકા, ત્રણ મહિનામાં 25 ટકા, છ મહિનામાં 70 ટકા અને એક વર્ષમાં 75 ટકા વધ્યો છે. ત્રણ વર્ષનું વળતર 195 ટકા છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
આ પણ વાંચો : સુરત: હીરા વેપારીએ 94 લાખનું ઉઠમણું કર્યું, ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું, જુઓ વીડિયો