Shravan 2022 : શ્રદ્ધાળુઓની કામનાઓને સિદ્ધ કરે છે સિદ્ધનાથ મહાદેવ, વલસાડના પ્રાચીન શિવ મંદિરનો છે સવિશેષ મહિમા

લોકવાયકા અનુસાર સિદ્ધનાથ મહાદેવનું (Siddhanath Mahadev ) મંદિર લગભગ 1350 વર્ષ પ્રાચીન છે. અને તેના એ પ્રાચીનપણાના પૂરાવા આજે પણ મંદિરમાં અકબંધપણે સચવાયેલા છે. માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવ્યા બાદ ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો.

Shravan 2022 : શ્રદ્ધાળુઓની કામનાઓને સિદ્ધ કરે છે સિદ્ધનાથ મહાદેવ, વલસાડના પ્રાચીન શિવ મંદિરનો છે સવિશેષ મહિમા
Siddhanath Mahadev, Surat
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 24, 2022 | 6:26 AM

સમગ્ર ગુજરાતમાં અનેકવિધ શિવાલય (shivalaya) વિદ્યમાન છે અને તેટલી જ અનોખી તો તે દરેક સાથે જોડાયેલી ગાથા પણ છે. ત્યારે અમારે આજે એક એવાં શિવ મંદિર વિશે વાત કરવી છે કે જે દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવે છે. આ એ સ્થાનક છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ સિદ્ધનાથ મહાદેવનું (siddhnath mahadev) સ્વરૂપ ધારણ કરીને વિદ્યમાન થયા છે અને ભક્તોની સઘળી કામનાઓને સિદ્ધ કરી રહ્યા છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બગવાડા નામે ગામ આવેલું છે. પાવની કોલક નદીના કાંઠે સ્થિત આ ગામમાં કુદરતે ખોબલેને ખોબલે સૌંદર્ય વેર્યું છે અને આ સૌંદર્યની મધ્યે જ શોભાયમાન છે એક અત્યંત નાનકડું શિવાલય. એ શિવાલય કે જે કદમાં ભલે નાનું છે, પરંતુ, તેનો મહિમા ખૂબ જ મોટો છે. આ સ્થાનક એટલે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. લોકવાયકા અનુસાર સિદ્ધનાથ મહાદેવનું મંદિર લગભગ 1350 વર્ષ પ્રાચીન છે અને તેના એ પ્રાચીનપણાના પૂરાવા આજે પણ મંદિરમાં અકબંધપણે સચવાયેલા છે. અહીં મંદિરના પરિસરમાં પગ મૂકતાં જ ભક્તોને પ્રાચીન પોઠીયાના દર્શન થાય છે. આ પોઠીયાને વંદન કરી ભક્તો સિદ્ધનાથને નતમસ્તક થવા મંદિરની અંદર પ્રવેશ કરે છે. અહીં ગર્ભગૃહ મધ્યે સિદ્ધનાથનું ભવ્ય સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે.

આ સ્થાનકની વિશેષતા જ એ છે કે ભક્તો અહીં સ્વહસ્તે મહેશ્વરની પૂજા કરી શકે છે. અહીં આવતા દર્શનાર્થીઓનું માનીએ તો સિદ્ધનાથની તો શરણ માત્ર તેમને પરમશાંતિની અનુભૂતિ કરાવી દે છે. કહે છે કે આ એ શિવ સ્થાનક છે કે જેના સાનિધ્યે આવ્યા બાદ ભક્તોને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. કારણ કે સિદ્ધનાથ ભક્તોની સઘળી કામનાને પૂર્ણ કરનારા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પ્રચલિત કથા અનુસાર 7 મી સદીમાં આ ક્ષેત્રમાં સેન્દ્રક રાજાઓનું રાજ હતું. જેના સ્થાપક હતા ભાનુશક્તિ. આ ભાનુશક્તિના પૌત્ર અલ્લશક્તિ તેના બાહુબળે પૃથ્વીવલ્લભ અને નિકુમ્ભ જેવાં નામે પ્રસિદ્ધ થયા. તે અલ્લશક્તિ પરમ માહેશ્વર હતા. એટલે કે તે શિવજીના પરમ ઉપાસક હતા. ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર અલ્લશક્તિએ જ વર્ષ 656માં સિદ્ધનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને તેમાં દિવ્ય શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી હતી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">