AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirjala Ekadashi 2021: જેઠ મહિનાની સુદ એકાદશીને નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે ?

Nirjala Ekadashi 2021: આ બ્રહ્માંડના સંભાળનાર ભગવાન વિષ્ણુ ત્રિદેવ પૈકી એક છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે લોકો દર વર્ષે ઘણા વ્રત રાખે છે, જેમાંથી એકાદશી (Ekadashi) ઉપવાસને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Nirjala Ekadashi 2021:  જેઠ મહિનાની સુદ એકાદશીને નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે ?
નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે ?
Charmi Katira
| Edited By: | Updated on: Jun 21, 2021 | 6:54 PM
Share

Nirjala Ekadashi 2021: આ બ્રહ્માંડના સંભાળનાર ભગવાન વિષ્ણુ ત્રિદેવ પૈકી એક છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે લોકો દર વર્ષે ઘણા વ્રત રાખે છે, જેમાંથી એકાદશી (Ekadashi) ઉપવાસને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્તને મોક્ષ અને પુણ્ય પ્રાપ્ત કરવું હોય તેણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. મહિનામાં બે એકાદશી આવે છે. આખા વર્ષ દરમિયાન 24 એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ જેઠ મહિનાની સુદ એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જેઠ મહિનાની સુદ એકાદશીને ભીમસેની અથવા નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર પાંડવ પુત્ર ભીમની ભૂખ એટલી પ્રબળ હતી કે ઉપવાસ રાખવાની ખૂબ ઇચ્છા હોવા છતાં કોઈ ઉપવાસ રાખી શકતો ન હતો. તેથી, વેદ વ્યાસજીએ ભીષ્મને જેઠ સુદ એકાદશી પર પાણી વિના રહેવા કહ્યું. તેમણે કહ્યું કે આના દ્વારા જ વર્ષની બધી એકાદશીનું ફળ મળી શકે છે.

નિર્જળા વ્રત કેમ કરવામાં આવે છે. પાંચ તત્વોથી બનેલા માનવ શરીરમાં પાણીના પ્રમાણને સંતુલિત કરવાનું કાર્ય ફક્ત એકાદશી પર કરવામાં આવે છે. ગરમીમાં પાણી વગરના રહીને આપણા શરીરના પાણીના સંતુલનને જાળવવા માટે આંતરિક રીતે સહાય કરીએ છીએ. પાણીનો ત્યાગ કરવાથી શરીરના પાંચ તત્વોમાંથી ત્રણથી અલગ રહે છે. આ કરવાથી આપણા સૂક્ષ્મ શરીર / આત્માને પણ શક્તિ મળે છે.

આ દિવસે પાણીને લગતી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભકારક છે. આ દિવસે લોકો યોગ્ય વાસણોમાં પાણી, ચાસણી, મીઠું પાણી, જગ વગેરેનું દાન કરે છે. ભારતીય તહેવારો ઋતુ અનુસાર આવે છે જેથી કોઈ વ્યક્તિ કષ્ટ સહન કરીને પુણ્ય મેળવી શકે.

નિર્જળા એકાદશી 2021 ના ​​ઉપવાસના નિયમો

પીવાનું પાણી પ્રતિબંધિત છે: આ વ્રતનું નામ સૂચવે છે કે આ ઉપવાસ દરમિયાન પાણી ન પીવું જોઈએ. નિર્જળા એકાદશીનો પહેલો નિયમ છે કે વ્રતની શરૂઆતથી પારણાં સમય સુધી પાણી પીવું નહીં. તમને જણાવી દઈએ કે આ ઉપવાસના નિયમો દશમથી લઈને દ્વાદશી સુધી માનવામાં આવે છે.

દશમના આ વસ્તુઓનું સેવન ન કરો: નિષ્ણાંતો કહે છે કે જે ભક્તો આ વ્રતનું પાલન કરવા માગે છે તેઓએ દશમી તિથિ પર લસણ, ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે સૂર્યોદય પછી ખોરાક ન લો જેથી ઉપવાસના દિવસે તમારું પેટ ખાલી રહે અને તેમાં ખોરાક ન આવે.

દશમના દિવસે જમીન પર સૂઈ જાઓ: આ વ્રતનો ત્રીજો નિયમ છે કે દશમના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ જમીન પર સૂવું જોઈએ અને એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને રોજિંદી પ્રવૃત્તિઓ કરી લેવી જોઈએ. સ્નાન કર્યા પછી વ્રત લેવું જોઈએ. નિર્જળા એકાદશી ઉપવાસના કાયદા મુજબ લોકોએ એકાદશી પર રાત્રી જાગરણ કરવું જોઈએ, તમે રાત્રે ભજન-કીર્તન પણ કરી શકો છો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">