Shravan 2021 Bhakti : જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !

માન્યતા અનુસાર સંપૂર્ણ શ્રાવણના વ્રતથી વ્યક્તિની કિસ્મતનો દ્વાર ખુલી જાય છે ! વ્રત દરમિયાન દિનચર્યાથી લઈ ભોજન સુધી જરૂરી બાબતોનું ધ્યાન રાખવાથી, તેમજ ભોળાનાથની ભક્તિ કરવાથી વ્યક્તિની દરેક કામના પૂર્ણ થઈ જાય છે.

Shravan 2021 Bhakti : જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !
નિયમ સાથે કરો શ્રાવણનું વ્રત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 4:21 PM

પાવન માસ એવાં શ્રાવણ (shravan) માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન લોકો શિવજીની તન, મન, ધનથી આરાધના કરે છે. મહાદેવને પ્રસન્ન કરવાના ઉપાયો કરતાં હોય છે. પણ, કહે છે કે જો વિશેષ નિયમો સાથે શ્રાવણ માસનું વ્રત અને ઉપવાસ કરવામાં આવે, તો તે વ્યક્તિને સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, વ્યક્તિના ભાગ્યોદય આડેના અવરોધો પણ દૂર થઈ જાય છે. આવો, આજે તે વિશે જ માહિતી મેળવીએ.

1.આખા મહિનાનું વ્રત રાખવું : શ્રાવણ મહિનામાં માત્ર સોમવારનું જ નહીં, પરંતુ આખા મહિનાનું વ્રત રાખવું જોઈએ. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર અને ઉપવાસનો મહિનો માનવામાં આવે છે. એટલે, શ્રાવણ મહિના દરમિયાન માત્ર ફળોનો જ આહાર કરવો જોઈએ ! શાસ્ત્રોમાં પણ શ્રાવણના ઉપવાસનું મહત્વ દર્શાવાયુ છે. અલબત્, ઉપવાસ કરવો અને માત્ર ફળાહાર પર રહેવું અશક્ય હોય તો એકટાણું કરવું. પરંતુ, ત્યારબાદ માત્ર ફળો જ ગ્રહણ કરવા. જો તમે સંપૂર્ણ શ્રાવણ દરમિયાન વ્રત ન રાખી શકો, તો શ્રાવણના સોમવારનું વ્રત તો અચૂક કરવું જોઈએ. જો નિયમ મુજબ ઉપવાસ કરવામાં આવે તો જ તેનું ફળ મળે છે. “દિવસમાં માત્ર ફળ જ ખાવ અને રાત્રે માત્ર પાણી પીવો” એ ઉપવાસની શ્રેષ્ઠ પ્રણાલી છે.

2. ઉપવાસના નિયમો : જો તમે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નથી કરી શકતા અને એકટાણું કરો છો, તો પણ કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખો. તેલ, રીંગણ, પાંદડાવાળા શાકભાજી, મસાલેદાર નમકીન, મીઠાઈ તેમજ સોપારીનું સેવન ન કરો. લસણ-઼ડુંગળી, માંસ અને મદિરાથી તો દૂર જ રહો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

3.સત્સંગ : શ્રાવણ શબ્દ ‘શ્રવણ’ પરથી આવ્યો છે, જેનો અર્થ સાંભળવું થાય છે. અર્થાત સંપૂર્ણ શ્રાવણ દરમિયાન શિવના ભજનો સાંભળવા. શિવ સંબંધી સ્તોત્રને સાંભળવા. ધર્મની વાતો સાંભળવી. જેમ શ્રાવણમાં વનરાજી ખીલી ઉઠે છે, તેવી જ રીતે સારી બાબતોનું શ્રવણ વ્યક્તિના જીવનમાં પણ હરિયાળી લાવે છે !

4.ખાસ ધ્યાનમાં રાખો : શક્ય હોય ત્યાં સુધી શ્રાવણ મહિનામાં વાળ અને નખ ન કાપવા. ક્રોધ ભૂલથી પણ ન કરવો તેમજ કોઈની નિંદા ન કરવી. શક્ય હોય તો જમીન પર જ સૂવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. આળસ બિલ્કુલ પણ ન કરવી. શક્ય હોય તેટલું મૌન રહેવું. એક આસને બેસી “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. તે સિવાય પણ સતત મનમાં મંત્રનું રટણ કરતા રહો.

લૌકિક માન્યતા એવી છે કે આ નિયમો સાથે વ્રત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે, અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

આ પણ વાંચો : જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્યની કથા, શા માટે અહીં દર્શનનો છે વિશેષ મહિમા ?

આ પણ વાંચો : ફટાફટ જાણી લો, શ્રાવણમાં કયા દ્રવ્યના અભિષેકથી મળશે સુખ, સમૃદ્ધિ અને સંપતિના આશિષ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">