AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah Video : હવે ખરાબ દિવસો શરૂ… બુમરાહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી, IPL 2025માં રમશે આ મેચ

IPL 2025: બુમરાહનું IPLમાં પુનરાગમન થયું છે. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ કહ્યું કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. બુમરાહ લાંબા સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો.

Jasprit Bumrah Video : હવે ખરાબ દિવસો શરૂ... બુમરાહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી, IPL 2025માં રમશે આ મેચ
| Updated on: Apr 06, 2025 | 9:49 PM
Share

જે ક્ષણની બધા રાહ જોઈ રહ્યા હતા અને જેના માટે ચાહકો બેચેન હતા તે ક્ષણ આવી ગઈ છે. આખરે બુમરાહ IPLમાં વાપસી કરી રહ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં વાપસી કરવા જઈ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા તે ટીમ કેમ્પમાં જોડાયો છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની પાંચમી ટેસ્ટ દરમિયાન પીઠની ઇજાને કારણે બુમરાહ લાંબા સમય સુધી બહાર રહ્યો હતો અને ગયા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ ચૂકી ગયો હતો.

જયવર્ધનેએ પુષ્ટિ કરી, બુમરાહ રમશે

મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ આરસીબી સામેની મેચ પહેલા બુમરાહની વાપસીની પુષ્ટિ કરતા કહ્યું, ‘હા, તે ઉપલબ્ધ છે. તે પ્રેક્ટિસ કરી રહ્યો છે, તેથી તે સોમવારની મેચમાં રમવા માટે તૈયાર રહેશે. બુમરાહનું મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી ટીમને મજબૂત બનાવશે. મુંબઈ ઈન્ડિયન્સને ખાસ કરીને બોલિંગમાં રાહત મળશે કારણ કે આ ટીમ નવા ફાસ્ટ બોલરો પર વધુ નિર્ભર લાગે છે. બુમરાહના મુંબઈ ઇન્ડિયન્સમાં પાછા ફરવાની સાથે, વિરોધી ટીમો માટે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે કારણ કે આ ખેલાડીનો IPLમાં અદ્ભુત રેકોર્ડ છે. જસપ્રીત બુમરાહે IPLમાં 133 મેચોમાં 165 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર માત્ર 7.30 રન છે. તેણે બે વાર પાંચ વિકેટ અને બે વાર ચાર વિકેટ લીધી છે.

શું રોહિત શર્માનો પણ સમાવેશ થશે?

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા, જેણે પાછલી મેચમાં ઘૂંટણની ઈજા બાદ આરામ લીધો હતો, તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. કોચ જયવર્ધને કહ્યું, ‘રોહિત સ્વસ્થ છે.’ તે આજે બેટિંગ કરશે. બેટિંગ કરતી વખતે તેના પગમાં કમનસીબ ઈજા થઈ હતી, જેના કારણે તે અસ્વસ્થતામાં મુકાઈ ગયો હતો. અત્યારે અમે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ રવિવારે તે પ્રેક્ટિસ કરશે અને પછી અમે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરીશું.

ટીમમાં હવે કોઈ ઈજા નથી

જ્યારે જયવર્ધનેને પૂછવામાં આવ્યું કે શું ટીમના અન્ય કોઈ ખેલાડીને ઈજાની સમસ્યા છે, ત્યારે તેમણે કહ્યું, ‘જ્યાં સુધી મારી જાણકારી છે, એવો કોઈ કેસ નથી.’ હવે જોવાનું એ રહે છે કે બુમરાહની વાપસી અને રોહિતની ફિટનેસ મુંબઈ ઈન્ડિયન્સને RCB સામે જીતવામાં મદદ કરશે કે નહીં.

Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
g clip-path="url(#clip0_868_265)">