સાબરમતી આશ્રમ
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાદોને આજે પણ અકબંધ સાચવીને બેસેલા સાબરમતી આશ્રમની સ્થાપના 25 મે 1915ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી. એ સમયે આ આશ્રમ સત્યાગ્રહ છાવણી તરીકે વધુ જાણીતો હતો. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધી આશ્રમથી જ દાંડી કૂચની શરૂઆત કરી હતી.
આજે પણ ગુજરાત સરકારના પ્રયાસોથી આ આશ્રમમાં ગાંધીજીનો ચરખો, તેમના ચશ્મા- ચપ્પલ, તેમની ઘડિયાળ, તેમના પત્રો સહિતની તમામ ચીજોને ખૂબ માવજતથી સાચવવામાં આવી છે. આ આશ્રમમાં મારુ જીવન એ જ મારો સંદેશ નામથી ગેલેરી આવેલી છે, જેમા ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને વર્ણવતી 250 કરતા પણ વધુ પેઈન્ટિંગ્સ છે. આ ગેલેરીમાં ગાંધીજીના 1915થી 1930 સુધીનુ જીવન દર્શાવાયુ છે.
દર વર્ષે સાત લાખ જેટલા મુલાકાતીઓ આ આશ્રમની મુલાકાત લે છે. જો કે હવે સરકારના પ્રયાસોથી સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારોનું 235 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે.
ગાંધી આશ્રમની ગરીમા આજે પણ એટલી જ જળવાયેલી રહે છે. વિદેશીઓ પણ અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લે છે. ભારતની મુલાકાતે આવતા વિદેશના રાષ્ટ્રધ્યક્ષો પણ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લે છે. જેમા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ હોય કે ઈઝરાયેલા વડા બેન્ઝામિન નેતન્યાહુ હોય કે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે હોય. આ તમામ રાષ્ટ્રાધ્યક્ષો ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે.
History of city name : સાબરમતી આશ્રમના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સાબરમતી આશ્રમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે, જે મહાત્મા ગાંધીના જીવન અને ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે સઘન રીતે જોડાયેલું છે.
- Ashvin Patel
- Updated on: May 2, 2025
- 4:58 pm
History of city name : આશાવલ્લી, કર્ણાવતી, અમદાવાદ નામ, છતા અમદાવાદ જ કેમ ? જાણો શહેરના નામનો ઈતિહાસ
ગુજરાતનું સૌથી મોટું શહેર ગણાતું અમદાવાદ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. સમય જતાં તેના નામકરણ અને વિકાસની વાર્તા બદલાઈ છે, જેના કારણે અમદાવાદને એક અનોખી ઓળખ મળી છે.
- Ashvin Patel
- Updated on: Jul 17, 2025
- 8:45 pm