AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : આશાવલ્લી, કર્ણાવતી, અમદાવાદ નામ, છતા અમદાવાદ જ કેમ ? જાણો શહેરના નામનો ઈતિહાસ

ગુજરાતનું સૌથી મોટું શહેર ગણાતું અમદાવાદ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. સમય જતાં તેના નામકરણ અને વિકાસની વાર્તા બદલાઈ છે, જેના કારણે અમદાવાદને એક અનોખી ઓળખ મળી છે.

| Updated on: Jul 17, 2025 | 8:45 PM
Share
અમદાવાદનો ઇતિહાસ 11મી સદીમાં અણહિલવાડ (આધુનિક પાટણ) ના શાસક સોલંકી રાજા કર્ણદેવ પ્રથમ સાથે શરૂ થયો હતો,  જેમણે ભીલ રાજા આશાપલ્લ અથવા આશાપાલ સામે યુદ્ધ કર્યું હતું અને તેમના વિજય પછી સાબરમતીના કિનારે કર્ણાવતી શહેરની સ્થાપના કરી હતી.   પછી જ્યારે 13મી સદીમાં ગુજરાત દ્વારકાના વાઘેલા રાજવંશના નિયંત્રણ હેઠળ આવ્યું, ત્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર વિજય મેળવ્યો અને તેને પોતાની સાથે જોડી દીધું. ( Credits: Getty Images )

અમદાવાદનો ઇતિહાસ 11મી સદીમાં અણહિલવાડ (આધુનિક પાટણ) ના શાસક સોલંકી રાજા કર્ણદેવ પ્રથમ સાથે શરૂ થયો હતો, જેમણે ભીલ રાજા આશાપલ્લ અથવા આશાપાલ સામે યુદ્ધ કર્યું હતું અને તેમના વિજય પછી સાબરમતીના કિનારે કર્ણાવતી શહેરની સ્થાપના કરી હતી. પછી જ્યારે 13મી સદીમાં ગુજરાત દ્વારકાના વાઘેલા રાજવંશના નિયંત્રણ હેઠળ આવ્યું, ત્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર વિજય મેળવ્યો અને તેને પોતાની સાથે જોડી દીધું. ( Credits: Getty Images )

1 / 8
અમદાવાદ શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 ના રોજ થઈ હતી અને 4 માર્ચ 1411 ના રોજ ગુજરાત સલ્તનતના અહમદ શાહ  દ્વારા રાજધાની જાહેર કરવામાં આવી હતી. સલ્તનતના શાસન હેઠળ જ્યારે રાજધાની ચાંપાનેર ખસેડવામાં આવી ત્યારે આ શહેરનો વિકાસ થયો. ( Credits: Getty Images )

અમદાવાદ શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 ના રોજ થઈ હતી અને 4 માર્ચ 1411 ના રોજ ગુજરાત સલ્તનતના અહમદ શાહ દ્વારા રાજધાની જાહેર કરવામાં આવી હતી. સલ્તનતના શાસન હેઠળ જ્યારે રાજધાની ચાંપાનેર ખસેડવામાં આવી ત્યારે આ શહેરનો વિકાસ થયો. ( Credits: Getty Images )

2 / 8
ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના થઈ ( Credits: Getty Images )

ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના થઈ ( Credits: Getty Images )

3 / 8
એક લોકપ્રિય દંતકથા અનુસાર, સુલતાન અહેમદ શાહની નજર સમક્ષ એક અસાધારણ દ્રશ્ય ઉભરી આવ્યું, એક નાનું સસલું નિર્ભયતાથી એક  કૂતરાનો પીછો કરી રહ્યું હતું., જે તેમને આ સ્થળનું પ્રતીક લાગ્યું. તેને શુભ સંકેત માનીને, તેમણે અહીં એક શહેર સ્થાપવાનું નક્કી કર્યું. તેમણે તેમના આધ્યાત્મિક સલાહકાર પાસેથી સલાહ માંગી. સલાહકારે આને આ ભૂમિની વિશિષ્ટતાનો ચમત્કારિક સંકેત માન્યો અને અહીં રાજધાની બનાવવાનું સૂચન કર્યું. આમ અમદાવાદની સ્થાપના થઈ.( Credits: Getty Images )

એક લોકપ્રિય દંતકથા અનુસાર, સુલતાન અહેમદ શાહની નજર સમક્ષ એક અસાધારણ દ્રશ્ય ઉભરી આવ્યું, એક નાનું સસલું નિર્ભયતાથી એક કૂતરાનો પીછો કરી રહ્યું હતું., જે તેમને આ સ્થળનું પ્રતીક લાગ્યું. તેને શુભ સંકેત માનીને, તેમણે અહીં એક શહેર સ્થાપવાનું નક્કી કર્યું. તેમણે તેમના આધ્યાત્મિક સલાહકાર પાસેથી સલાહ માંગી. સલાહકારે આને આ ભૂમિની વિશિષ્ટતાનો ચમત્કારિક સંકેત માન્યો અને અહીં રાજધાની બનાવવાનું સૂચન કર્યું. આમ અમદાવાદની સ્થાપના થઈ.( Credits: Getty Images )

4 / 8
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાવલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો  એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું ( Credits: Getty Images )

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાવલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું ( Credits: Getty Images )

5 / 8
15મી સદીની શરૂઆતમાં, મુસ્લિમ મુઝફ્ફરીદ રાજવંશે અહીં એક સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી અને ઈ.સ. 1411માં,  સુલતાન અહેમદ શાહે શહેરનું નામ બદલીને અમદાવાદ રાખ્યું અને તેને પોતાની રાજધાની જાહેર કરી, જે ઈ.સ. 1573 સુધી સલ્તનતની રાજધાની રહી. આ શહેર સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું, જે તેના વિકાસશીલ આયોજન અને સ્થાપત્ય માટે જાણીતું છે. ( Credits: Getty Images )

15મી સદીની શરૂઆતમાં, મુસ્લિમ મુઝફ્ફરીદ રાજવંશે અહીં એક સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી અને ઈ.સ. 1411માં, સુલતાન અહેમદ શાહે શહેરનું નામ બદલીને અમદાવાદ રાખ્યું અને તેને પોતાની રાજધાની જાહેર કરી, જે ઈ.સ. 1573 સુધી સલ્તનતની રાજધાની રહી. આ શહેર સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું, જે તેના વિકાસશીલ આયોજન અને સ્થાપત્ય માટે જાણીતું છે. ( Credits: Getty Images )

6 / 8
1573 માં જ્યારે મુઘલ સમ્રાટ અકબર દ્વારા ગુજરાત પર કબજો કરવામાં આવ્યો, ત્યારે અમદાવાદ વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું અને કાપડ ઉદ્યોગ પણ શરૂ થયો.  તે સમયે અહીંના કપડાં યુરોપમાં નિકાસ થતા હતા. પછી 1630 માં દુષ્કાળ પડ્યો અને ત્યારબાદ 1753 માં મરાઠા સેનાપતિ રઘુનાથ રાવ અને દામજી ગાયકવાડે શહેર પર કબજો કર્યો, જેનાથી અમદાવાદમાં મુઘલ શાસનનો અંત આવ્યો. ( Credits: Getty Images )

1573 માં જ્યારે મુઘલ સમ્રાટ અકબર દ્વારા ગુજરાત પર કબજો કરવામાં આવ્યો, ત્યારે અમદાવાદ વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું અને કાપડ ઉદ્યોગ પણ શરૂ થયો. તે સમયે અહીંના કપડાં યુરોપમાં નિકાસ થતા હતા. પછી 1630 માં દુષ્કાળ પડ્યો અને ત્યારબાદ 1753 માં મરાઠા સેનાપતિ રઘુનાથ રાવ અને દામજી ગાયકવાડે શહેર પર કબજો કર્યો, જેનાથી અમદાવાદમાં મુઘલ શાસનનો અંત આવ્યો. ( Credits: Getty Images )

7 / 8
આ પછી 1818નો સમયગાળો આવ્યો, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું અને પછી 1824માં તેને લશ્કરી છાવણી તરીકે સ્થાપિત કરવામાં આવ્યું.  ટૂંક સમયમાં જ 1864માં એ દિવસ આવ્યો, જ્યારે અમદાવાદ અને બોમ્બે (હવે મુંબઈ તરીકે ઓળખાય છે) વચ્ચે રેલવે જોડાણ સ્થાપિત થયું,  ત્યારબાદ અમદાવાદનો વેપારના સંદર્ભમાં વિકાસ ઝડપી ગતિએ શરૂ થયો. પછી 1915માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા, ત્યારે તેમણે સાબરમતીના કિનારે એક આશ્રમની સ્થાપના કરી, જે સાબરમતી આશ્રમ તરીકે જાણીતું બન્યું. ( Credits:Paras Shah Photography/Moment Open/Getty Images )

આ પછી 1818નો સમયગાળો આવ્યો, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું અને પછી 1824માં તેને લશ્કરી છાવણી તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. ટૂંક સમયમાં જ 1864માં એ દિવસ આવ્યો, જ્યારે અમદાવાદ અને બોમ્બે (હવે મુંબઈ તરીકે ઓળખાય છે) વચ્ચે રેલવે જોડાણ સ્થાપિત થયું, ત્યારબાદ અમદાવાદનો વેપારના સંદર્ભમાં વિકાસ ઝડપી ગતિએ શરૂ થયો. પછી 1915માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા, ત્યારે તેમણે સાબરમતીના કિનારે એક આશ્રમની સ્થાપના કરી, જે સાબરમતી આશ્રમ તરીકે જાણીતું બન્યું. ( Credits:Paras Shah Photography/Moment Open/Getty Images )

8 / 8

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">