Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રજનીકાંત

રજનીકાંત

રજનીકાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. લોકો તેમને શિવાજી રાવ ગાયકવાડના નામથી પણ ઓળખે છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. રજનીકાંતના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમણે તેમના બાળપણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એક સમયે બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

રજનીકાંતે પોતાના કરિયરની શરૂઆત 1975માં તમિલ ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’થી કરી હતી. ધીરે-ધીરે તેણે ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી અને ખૂબ જ લોકપ્રિય કલાકાર બની ગયા. ફેન્સ તેને પ્રેમથી ‘થલાઈવા’ કહે છે.

તેમની પ્રખ્યાત ફિલ્મો બાશા, મુથુ, પદયપ્પા, રોબોટ અને કબાલી છે. તેમની ફિલ્મોની ચર્ચા માત્ર તમિલનાડુમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોમાં અને વિદેશોમાં પણ થાય છે. તેમને 2000માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ અને 2016 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Read More

Jailer 2 Teaser: જેલર 2નું ટીઝર રિલીઝ, 74 વર્ષની ઉંમરે પણ જોરદાર એક્શનમાં જોવા મળ્યો સુપરસ્ટાર રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર 2' નું જાહેરાત ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેતા શાનદાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જેલર 2માં સુપરસ્ટાર રજનીકાંત એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે.

42 વર્ષની ઉંમર, 2 દીકરાની માતા 18 વર્ષ બાદ પતિથી છુટાછેડા લેનાર ઐશ્વર્યાનો આવો છે પરિવાર

ઐશ્વર્યાનો જન્મ અભિનેતા રજનીકાંત અને ગાયક લતા રંગાચારીના ઘરે થયો હતો.તેને એક નાની બહેન સૌંદર્યા છે, જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પણ કામ કરે છે. 18 વર્ષ બાદ છુટાછેડા લીધા છે. તો આજે આપણે ઐશ્વર્યાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

Dhanush-Aishwarya Divorce : 20 વર્ષ બાદ રજનીકાંતની દિકરી એશ્વર્યા અને ધનુષના થયા છુટાછેડા

સાઉથ અભિનેતા ધનુષ અને રજનીકાંતની દિકરી એશ્વર્યા છેલ્લા 18 વર્ષથી લગ્નના બંધનમાં બંઘાયેલી હતી. પરંતુ 2 વર્ષ પહેલા કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. ધનુષ અને એશ્વર્યાની સ્ટોરી ખુબ ફિલ્મી છે. બંન્ને 2 બાળકોના માતા-પિતા પણ છે.

એશિયાનો સૌથી મોંઘો એક્ટર, 73 વર્ષની ઉંમરે કરોડ રૂપિયાની ફી લે છે, જાણો કોણ છે આ સુપરસ્ટાર

સાઉથ સિનેમાના સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મની રિમેક બનાવી સુપરસ્ટાર બન્યો. આજે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં 73 વર્ષની ઉંમરે મસમોટો ચાર્જ લે છે, અભિનેતા રજનીકાંત ની તબિયત સોમવારે મોડી રાત્રે અચાનક બગડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Breaking News : દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ, હાલત સ્થિર

દિગ્ગજ અભિનેતા રજનીકાંત (73)ની સોમવારે રાત્રે અચાનક તબિયત લથડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">