આર માધવન
બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ રંગનાથન માધવન (જન્મ-1 જૂન 1970) એક ઈન્ડિયન, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે, જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુરમાં થયો હતો. તેઓ એક તમિલ બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવે છે. માધવને તેનું શાળાકીય શિક્ષણ જમશેદપુરની ડીબીએમએસ અંગ્રેજી શાળામાંથી કર્યું છે.
એક્ટરે પોતાના કરિયર દરમિયાન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 04 સાઉથ ફિલ્મફેર પુરસ્કારો અને 02 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. હાલમાં તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) પૂણેના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
માધવને મણિરત્નમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અલાઈ પીયુથે (2000)માં અભિનય કરીને તમિલ સિનેમામાં ઓળખ મેળવી હતી. તેમની હિન્દી મુવી 3 ઈડિયટ્સથી વધારે ઓળખ મળી હતી. તેની એક્ટિંગ કરિયર ઉપરાંત માધવને તેની પોતાની ફિલ્મોમાં લેખક તરીકે કામ કર્યું છે, ટેલિવિઝન કાર્યક્રમો હોસ્ટ કર્યા છે અને બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે મુખ્ય સેલિબ્રિટી એન્ડોર્સર છે.
આર માધવન અને સરિતાએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ પછી તેઓએ વર્ષ 1999માં પરંપરાગત રીતે તમિલ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
આર માધવનના પુત્રનું નામ વેદાંત છે. તેણે 48મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે મલેશિયન ઓપનમાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Tanu Weds Manu 3 : ‘તનુ વેડ્સ મનુ 3’ પર મોટી અપડેટ, 11 વર્ષ પછી કંગના-માધવનની જોડી પરત ફરશે
Tanu Weds Manu 3 : કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતા થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. એક બાજુ ફિલ્મ થિયેટરમાં આવી ચૂકી છે. તો બીજી બાજુ તેની સુપરહિટ ફિલ્મ પર મોટું અપડેટ સામે આવ્યું છે. તનુ વેડ્સ મનુ 3ને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.
- Nirupa Duva
- Updated on: Jun 12, 2026
- 10:16 am
Padma Awards : 23 જૂને આર માધવન સહિત આ હસ્તિઓને કરાશે પદ્મ પુરસ્કારથી સન્માનિત
આ વર્ષે 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પદ્મ પુરસ્કારોની યાદીમાં છે. જેમાંથી 66 લોકોને પહેલાથી જ સન્માનિત કરવામાં આવ્યા છે અને બાકીનાને હવે 23 જૂને સન્માનિત કરવામાં આવશે. આ વ્યક્તિઓમાં મામૂટી, આર. માધવન, સતીશ શાહ અને રાજેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: Jun 9, 2026
- 10:56 am
Breaking News : આમિર ખાને કન્ફોર્મ કર્યુ, ‘3 ઇડિયટ્સ ‘ની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ
3 Idiots 2: ચાહકો રાજુ, રાંચો અને ફરહાનની જોડીને જોવા ચાહકો આતુરતા છે. "3 ઇડિયટ્સ" ની સિક્વલ વિશે અપડેટ્સ આવી રહી છે ત્યારથી, ચાહકો ખૂબ જ ખુશ છે. પરંતુ હવે, આમિર ખાને આખરે "3 ઇડિયટ્સ 2" ની પુષ્ટિ કરી છે અને ફિલ્મના પ્લોટ પર એક મજબૂત અપડેટ પણ આપી છે. જાણો તેમણે શું કહ્યું
- Nirupa Duva
- Updated on: Apr 28, 2026
- 4:43 pm
Dhurandhar Cast Fees : જાણો ધુરંધરના સ્ટાર રણવીર સિંહથી લઈને આર માધવન સુધી, કોને કેટલા પૈસા મળ્યા?
Dhurandhar Cast Fees : વર્ષ 2025 પૂર્ણ થવાના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિનેમાઘરોમાં ધુરંધર ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. આ મલ્ટીસ્ટાર ફિલ્મ છે. તો ચાલો જાણીએ આ ફિલ્મના સ્ટારને કોને કેટલી ફી મળી છે.
- Nirupa Duva
- Updated on: Dec 8, 2025
- 11:26 am